GSEB Class 11 Chemistry Solutions Chapter 14 પર્યાવરણીય રસાયણવિજ્ઞાન

Get the most accurate GSEB Solutions for Class 11 Chemistry Chapter 14 પર્યાવરણીય રસાયણવિજ્ઞાન here. Updated for the 2026-27 academic session, these solutions are based on the latest GSEB textbooks for Class 11 Chemistry. Our expert-created answers for Class 11 Chemistry are available for free download in PDF format.

Detailed Chapter 14 પર્યાવરણીય રસાયણવિજ્ઞાન GSEB Solutions for Class 11 Chemistry

For Class 11 students, solving GSEB textbook questions is the most effective way to build a strong conceptual foundation. Our Class 11 Chemistry solutions follow a detailed, step-by-step approach to ensure you understand the logic behind every answer. Practicing these Chapter 14 પર્યાવરણીય રસાયણવિજ્ઞાન solutions will improve your exam performance.

Class 11 Chemistry Chapter 14 પર્યાવરણીય રસાયણવિજ્ઞાન GSEB Solutions PDF

 

Question 1. પર્યાવરણીય રસાયણવિજ્ઞાનને વ્યાખ્યાયિત કરો.
Answer: પર્યાવરણીય રસાયણવિજ્ઞાન એટલે કુદરતમાં થતી રાસાયણિક અને જૈવરાસાયણિક પ્રક્રિયાઓનો અભ્યાસ. આ શાખામાં પર્યાવરણમાં વિવિધ રાસાયણિક ઘટકોની ઉત્પત્તિ, વહન, પ્રક્રિયાઓ અને તેની અસરોનો અભ્યાસ થાય છે.
In simple words: Environmental chemistry studies chemical and biochemical changes happening naturally. It looks at how chemicals appear, move, react, and affect the environment.

 

Question 2. ક્ષોભ-આવરણીય પ્રદૂષણને લગભગ 100 શબ્દોમાં સમજાવો.
Answer:

  • ક્ષોભ-આવરણીય પ્રદૂષણ વાતાવરણના સૌથી નીચેના સ્તરમાં અનિચ્છનીય ઘટકોની હાજરીને કારણે થાય છે.
  • કાર્બન, નાઇટ્રોજન અને સલ્ફરના ઑક્સાઇડ તેમજ હાઇડ્રોકાર્બન મુખ્ય વાયુરૂપ પ્રદૂષકો છે.
  • ઑક્સાઇડ્સ જેવા કે \( SO_2 \) અને \( SO_3 \), તેમજ નાઇટ્રોજનના ઑક્સાઇડ્સ જેવા કે \( NO \) અને \( NO_2 \), અશ્મિગત ઇંધણના દહનથી ઉત્પન્ન થાય છે.
  • આ ઑક્સાઇડ્સ વાતાવરણમાં ઑક્સિજન સાથે પ્રક્રિયા કરીને નાઇટ્રિક ઍસિડ \( (HNO_3) \) અને સલ્ફ્યુરિક ઍસિડ \( (H_2SO_4) \) બનાવે છે, જે ઍસિડ વરસાદનું મુખ્ય કારણ બને છે.
    \( 2SO_2(g) + O_2(g) + 2H_2O(l) \rightarrow 2H_2SO_4(aq) \)
    \( 4NO_2(g) + O_2(g) + 2H_2O(l) \rightarrow 4HNO_3(aq) \)
  • ઍસિડ વરસાદ ખેતીવાડી અને વૃક્ષો માટે નુકસાન પહોંચાડે છે.
  • હાઇડ્રોકાર્બન એ કાર્બન અને હાઇડ્રોજનના સંયોજનો છે. તેમના દહનથી કાર્બનના ઑક્સાઇડ પ્રાપ્ત થાય છે.
  • હાઇડ્રોકાર્બન કાર્સિનોજેનિક હોય છે અને તેમાંથી બનતા સંયોજનો પણ મુખ્ય પ્રદૂષકો છે.
  • \( CO \) પણ ખૂબ જ ઝેરી વાયુ છે. તે લોહીમાં ભળે તો વ્યક્તિનું મૃત્યુ થઈ શકે છે.
  • \( CO_2 \) સ્વભાવે ઝેરી નથી, પરંતુ તે ગ્લોબલ વૉર્મિંગમાં મહત્વનો ભાગ ભજવે છે. પરિણામે પૃથ્વીનું તાપમાન વધે છે અને ધ્રુવીય પ્રદેશનો બરફ પીગળે છે.
  • ચોક્કસ પ્રકારના ધુમ્મસ, ધૂમ્ર, ધુમાડો અને ધુમ્મસ-ધુમ્મસ જેવા મિશ્રણો મનુષ્યમાં શ્વસન સંબંધિત રોગો ઉત્પન્ન કરે છે.

In simple words: Smog forms in the lowest atmosphere from unwanted substances. Things like carbon, nitrogen, and sulfur oxides, plus hydrocarbons, are the main culprits. These come from burning fuels. They react to form acids, causing acid rain which harms crops. Carbon monoxide is very toxic, and too much carbon dioxide causes global warming. This leads to various respiratory illnesses.

 

Question 3. કાર્બન ડાયૉક્સાઇડ વાયુ કરતાં કાર્બન મોનૉક્સાઇડ વાયુ વધુ ખતરનાક શા માટે છે ? સમજાવો.
Answer:

  • વિવિધ પ્રકારના બળતણના દહનથી \( CO \) અને \( CO_2 \) વાયુઓ મુક્ત થાય છે. કાર્બન મોનૉક્સાઇડ ઝેરી હોય છે, જ્યારે કાર્બન ડાયૉક્સાઇડ સામાન્ય રીતે બિનઝેરી છે.
  • કાર્બન મોનૉક્સાઇડ હિમોગ્લોબિન સાથે પ્રતિક્રિયા કરીને કાર્બોક્સિહિમોગ્લોબિન સંકીર્ણ બનાવે છે, જે તેને ઝેરી બનાવે છે. આ કાર્બોક્સિહિમોગ્લોબિન ઑક્સિહિમોગ્લોબિન કરતાં વધુ સ્થાયી છે.
  • 3 થી 4 % સાંદ્રતા ધરાવતું કાર્બોક્સિહિમોગ્લોબિન લોહીની ઑક્સિજન શોષણ કરવાની ક્ષમતાને ઘટાડે છે.
  • તેના પરિણામે માથાનો દુ:ખાવો, નબળી દ્રષ્ટિ, હૃદય અને રક્તવાહિનીઓની કાર્યક્ષમતામાં અનિયમિતતા સર્જાય છે.
  • તેનું પ્રમાણ ખૂબ જ વધી જાય તો મૃત્યુ થઈ શકે છે.
  • કાર્બન ડાયૉક્સાઇડ બિનઝેરી છે અને તે ફક્ત ખૂબ જ ઊંચી સાંદ્રતાએ જ નુકસાનકારક હોય છે.

In simple words: Carbon monoxide is very dangerous because it mixes with blood more easily than oxygen, forming a stable complex that stops oxygen from getting to your body. This causes serious health problems like headaches and heart issues, and can even be fatal. Carbon dioxide is less harmful unless in very high amounts.

 

Question 4. ગ્રીન હાઉસ અસર માટે જવાબદાર વાયુઓની યાદી તૈયાર કરો.
Answer: મુખ્ય ગ્રીન હાઉસ વાયુઓ નીચે મુજબ છે :
1. કાર્બન ડાયૉક્સાઇડ \( (CO_2) \)
3. પાણીની બાષ્પ \( (H_2O) \)
4. નાઇટ્રસ ઑક્સાઇડ \( (NO) \)
5. ઓઝોન \( (O_3) \)
6. ક્લોરોફ્લોરો કાર્બન \( (CFC) \)
In simple words: The main gases causing the greenhouse effect are carbon dioxide, water vapor, nitrous oxide, ozone, and chlorofluorocarbons.

 

Question 5. ઍસિડ વર્ષા ભારતમાં રહેલ મૂર્તિઓ અને સ્મારકોને કેવી રીતે નુકસાન કરે છે ? અથવા તાજમહેલ પર ઍસિડ વર્ષાની અસર સમજાવો.
Answer:

  • તાજમહેલની આસપાસ ઘણા ઉદ્યોગો અને પાવર પ્લાન્ટ્સ આવેલા છે. તેઓ ઓછી ગુણવત્તાવાળા કોલસા, કેરોસીન અને લાકડાનો બળતણ તરીકે ઉપયોગ કરે છે. આનાથી હવામાં સલ્ફર અને નાઇટ્રોજન ઑક્સાઇડનું પ્રમાણ વધે છે. તેના પરિણામે ઍસિડ વરસાદ થાય છે, જે તાજમહેલના આરસપહાણ સાથે પ્રતિક્રિયા કરે છે.
    \( CaCO_3 + H_2SO_4 \rightarrow CaSO_4 + H_2O + CO_2 \)
  • આમ, આખા વિશ્વને આકર્ષિત કરનાર આ સુંદર સ્મારકને નુકસાન પહોંચે છે. ઍસિડ વરસાદને કારણે આ સ્મારક ધીમે ધીમે વિકૃત બને છે અને તેની કુદરતી ચમક ગુમાવતું જાય છે.

In simple words: Acid rain harms monuments like the Taj Mahal because local industries burn low-quality fuels, releasing sulfur and nitrogen oxides. These create acid rain that reacts with the marble, causing the monument to slowly decay and lose its natural shine.

 

Question 6. ધૂમ્ર-ધુમ્મસ એટલે શું ? પ્રકાશ રાસાયણિક ધૂમ્ર-ધુમ્મસથી કેવી રીતે જુદું પડે છે ? અથવા ધૂમ્ર-ધુમ્મસના પ્રકારો વિશે ટૂંકમાં માહિતી આપો.
Answer: ધૂમ્ર-ધુમ્મસ શબ્દ ધુમાડો અને હવામાંના ભેજ શબ્દોના મિશ્રણથી બનેલો છે. સામાન્ય રીતે હવાના પ્રદૂષણ તરીકે ધૂમ્ર-ધુમ્મસ જોવા મળે છે. તેના મુખ્ય બે પ્રકાર છે:
(i) પારંપરિક ધૂમ્ર-ધુમ્મસ: તે ઠંડા અને ભેજવાળા વાતાવરણમાં ઉત્પન્ન થાય છે. તે ધુમાડો, હવામાંના ભેજ અને સલ્ફર ડાયૉક્સાઇડનું મિશ્રણ છે. તે રાસાયણિક રીતે રિડક્શનકર્તા મિશ્રણ હોવાથી તેને રિડક્શનકર્તા ધૂમ્ર-ધુમ્મસ કહે છે.
(ii) પ્રકાશરાસાયણિક ધૂમ્ર-ધુમ્મસ: તે ગરમ, સૂકા અને સૂર્યપ્રકાશવાળા હવામાનમાં ઉત્પન્ન થાય છે. તે વાહનો અને ઔદ્યોગિક એકમોમાંથી ઉત્પન્ન થતા નાઇટ્રોજન ઑક્સાઇડ અને હાઇડ્રોકાર્બન સંયોજનો પર પ્રકાશ પડવાથી ઉત્પન્ન થાય છે. ધૂમ્ર-ધુમ્મસ ઑક્સિડેશનકર્તા ધૂમ્ર-ધુમ્મસ કહે છે.
In simple words: Smog is a mix of smoke and fog, a type of air pollution. Traditional smog happens in cold, wet weather from smoke, moisture, and sulfur dioxide, and it reduces things. Photochemical smog forms in hot, dry, sunny weather from car and factory emissions reacting with sunlight, and it oxidizes things.

 

Question 7. ધૂમ્ર-ધુમ્મસના નિર્માણ દરમિયાન થતી રાસાયણિક પ્રક્રિયાઓ લખો. અથવા પ્રકાશરાસાયણિક ધૂમ્ર-ધુમ્મસનું નિર્માણ કેવી રીતે થાય છે ? પ્રક્રિયાસહ સમજાવો.
Answer:

  • અશ્મિગત બળતણના દહનથી વિવિધ પ્રકારના પ્રદૂષકો પૃથ્વીના ક્ષોભમંડળમાં ઉત્સર્જિત થાય છે. આ પૈકી નાઇટ્રિક ઑક્સાઇડ \( (NO) \) અને હાઇડ્રોકાર્બનનું પૂરતું ઊંચું પ્રમાણ એકઠું થાય છે.
  • સૂર્યપ્રકાશની હાજરીમાં આ નાઇટ્રિક ઑક્સાઇડ અને હાઇડ્રોકાર્બન વચ્ચે સાંકળ પ્રતિક્રિયા થઈને \( NO_2 \) બને છે. આ \( NO_2 \) સૂર્યપ્રકાશમાંથી મળતી ઊર્જાને શોષીને નાઇટ્રિક ઑક્સાઇડ અને મુક્ત ઑક્સિજન પરમાણુમાં રૂપાંતરિત થાય છે.
    \( NO_2(g) \xrightarrow{hv} NO(g) + O(g) \) (i)
  • મુક્ત થયેલો ઑક્સિજન પરમાણુ વધુ પ્રતિક્રિયાત્મક હોવાથી હવામાં રહેલા ઑક્સિજન વાયુ સાથે સંયોજાઈને ઓઝોન બનાવે છે.
    \( O(g) + O_2(g) \rightleftharpoons O_3(g) \) (ii)
  • આમ, પ્રતિક્રિયા (ii) દ્વારા બનેલો ઓઝોન વાયુ પ્રતિક્રિયા (i) દ્વારા બનેલા \( NO(g) \) સાથે ખૂબ જ ઝડપથી પ્રતિક્રિયા કરી ફરીથી \( NO_2(g) \) બનાવે છે. આ \( NO_2 \) કથ્થાઈ રંગનો વાયુ છે. તેનું ઊંચું પ્રમાણ વાતાવરણને ધૂંધળું બનાવે છે.
    \( NO(g) + O_3(g) \rightarrow NO_2(g) + O_2(g) \) (iii)
  • ઓઝોન ઝેરી વાયુ છે. \( NO_2 \) અને \( O_3 \) બંને પ્રબળ ઑક્સિડેશનકર્તા છે. તે પ્રદૂષિત હવામાં દહન ન પામેલા હાઇડ્રોકાર્બન સાથે પ્રતિક્રિયા કરી ફોર્માલ્ડિહાઇડ, ઍક્રોલિન અને પરઑક્સિએસિટાઇલ નાઇટ્રેટ \( (PAN) \) બનાવે છે.
    \( 3CH_4 + 2O_3 \rightarrow 3CH_2 = O + 3H_2O \) (ફોર્માલ્ડિહાઇડ)
    \( CH_2 = CHCH = O \) (એક્રોલિન)
    \( CH_3COONO_2 \) (પરઑક્સિએસિટાઇલ નાઇટ્રેટ (PAN))

In simple words: Photochemical smog forms when fuels burn, releasing pollutants like nitrogen oxides and hydrocarbons into the air. Sunlight causes nitrogen dioxide to break down, releasing oxygen atoms. These atoms react with oxygen to form ozone. This ozone then reacts with the nitrogen oxide to make more nitrogen dioxide, which is brown and makes the air hazy. Ozone, nitrogen dioxide, and other substances like formaldehyde and PAN, are strong oxidizers and create harmful compounds.

 

Question 8. પ્રકાશરાસાયણિક ધૂમ્ર-ધુમ્મસ કઈ નુકસાનકારક અસરો દર્શાવે છે ? તેઓને કેવી રીતે નિયંત્રિત કરી શકાય ? અથવા પ્રકાશરાસાયણિક ધૂમ્ર-ધુમ્મસના ઘટકો જણાવી, તેની અસરો જણાવો.
Answer:

  • ઓઝોન, નાઇટ્રિક ઑક્સાઇડ, ઍક્રોલિન, ફોર્માલ્ડિહાઇડ અને પરઑક્સિએસિટાઇલ નાઇટ્રેટ \( (PAN) \) પ્રકાશ રાસાયણિક ધૂમ્ર-ધુમ્મસના સામાન્ય ઘટકો છે.
  • પ્રકાશ રાસાયણિક ધૂમ્ર-ધુમ્મસ આરોગ્ય પર ગંભીર અસર કરે છે. ઓઝોન અને \( PAN \) આંખોમાં તીવ્ર બળતરા પેદા કરે છે.
  • ઓઝોન અને નાઇટ્રિક ઑક્સાઇડ નાક અને ગળામાં બળતરા પેદા કરે છે. તેમની ઊંચી સાંદ્રતાથી માથાનો દુ:ખાવો થવો, છાતીમાં દુઃખાવો થવો, ગળું શુષ્ક થવું, કફ થવો અને શ્વાસ લેવામાં તકલીફ પડવી જેવી સમસ્યાઓ થાય છે.
  • ધૂમ્ર-ધુમ્મસ રબરને તોડે છે અને વનસ્પતિસૃષ્ટિને પણ નુકસાન પહોંચાડે છે. તેનાથી ધાતુઓ, પથ્થરો, બાંધકામ માટેની સામગ્રી, રબર અને રંગેલી સપાટીનું અપક્ષરણ પણ થાય છે.

પૂરક પ્રશ્ન : પ્રકાશરાસાયણિક ધૂમ્ર-ધુમ્મસને નિયંત્રિત કરવા તમે શું કરશો ?
Answer:

  • પ્રકાશરાસાયણિક ધૂમ્ર-ધુમ્મસને નિયંત્રિત કરવા ઘણી પદ્ધતિઓ વપરાય છે. જેમાંની કેટલીક નીચે મુજબ છે:
  • જો પ્રકાશ રાસાયણિક ધૂમ્ર-ધુમ્મસના પ્રાથમિક પૂર્વવર્તી જેવા કે \( NO_2 \) અને હાઇડ્રોકાર્બન સંયોજનો તેમજ દ્વિતીયક પૂર્વવર્તી જેવા કે ઓઝોન અને \( PAN \) ને નિયંત્રિત કરીએ તો પ્રકાશરાસાયણિક ધૂમ્ર-ધુમ્મસ પર નિયંત્રણ મેળવી શકાય છે.
  • વાહનોમાં ઉદ્દીપકીય રૂપાંતરકોના ઉપયોગ દ્વારા નાઇટ્રોજન ઑક્સાઇડ અને હાઇડ્રોકાર્બન સંયોજનોને વાતાવરણમાં ભળતાં ઘટાડી શકાયા છે.
  • કેટલાક વૃક્ષો જેવા કે પાઇનસ, જુનિયર, ક્લાર્કસ, પાયરસ અને વિટિસ નાઇટ્રોજન ઑક્સાઇડનું ચયાપચયન કરે છે. આવા વૃક્ષો વધુ ઉગાડવાથી પણ પ્રકાશરાસાયણિક ધૂમ્ર-ધુમ્મસ પર નિયંત્રણ કરી શકાય છે.

In simple words: Photochemical smog contains ozone, nitric oxide, acrolein, formaldehyde, and PAN. It causes eye and throat irritation, headaches, chest pain, and breathing problems. It also damages rubber, plants, metals, stones, and painted surfaces. To control it, we can reduce primary pollutants like nitrogen dioxide and hydrocarbons, and secondary ones like ozone and PAN. Using catalytic converters in vehicles and planting specific trees can help.

 

Question 9. ક્ષોભ-આવરણમાં ઓઝોનના ક્ષયન માટે કઈ રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે ? (સ્વાધ્યાય-14,9) અથવા ક્લોરોફ્લોરોકાર્બન (CFC) દ્વારા ઓઝોન વાયુનું ખંડન કેવી રીતે થાય છે ?
Answer:

  • ઓઝોન સ્તરના ક્ષયનનું મુખ્ય કારણ ક્લોરોફ્લોરોકાર્બન \( (CFCs) \) સંયોજનનું ઉત્સર્જન છે, જેને ફ્રિઓન કહે છે. આ સંયોજનો અપ્રતિક્રિયાત્મક, અજ્વલનશીલ અને બિનઝેરી કાર્બનિક સંયોજનો છે.
  • તેઓનો ઉપયોગ રેફ્રિજરેટર, એર-કંડિશનર, પ્લાસ્ટિક ફોમના ઉત્પાદનમાં અને કમ્પ્યુટરના ભાગોની સફાઈ માટે ઇલેક્ટ્રોનિક ઉદ્યોગોમાં થાય છે.
  • \( CFCs \) વાતાવરણના વાયુઓ સાથે ભળીને સમતાપ આવરણમાં પ્રબળ પારજાંબલી કિરણોથી વિઘટિત થઈને ક્લોરિન મુક્તમૂલક ઉત્પન્ન કરે છે.
    \( CF_2Cl_2(g) \xrightarrow{UV} \dot{C}F_2Cl(g) + \dot{C}l(g) \) (i)
  • આ ક્લોરિન મુક્તમૂલક સમતાપ આવરણમાં રહેલા ઓઝોન સાથે પ્રતિક્રિયા કરીને ક્લોરિન મોનૉક્સાઇડ અને ઑક્સિજન અણુ બનાવે છે.
    \( \dot{C}l(g) + O_3(g) \rightarrow Cl\dot{O}(g) + O_2(g) \) (ii)
  • આ ક્લોરિન મોનૉક્સાઇડ મુક્તમૂલક ઑક્સિજન પરમાણુ સાથે પ્રતિક્રિયા કરીને ક્લોરિન મુક્તમૂલક ફરીથી બનાવે છે.
    \( Cl\dot{O}(g) + O(g) \rightarrow \dot{C}l(g) + O_2(g) \) (iii)
  • ક્લોરિન મુક્તમૂલક સતત બનતા રહે છે, જે ઓઝોન વાયુનું ક્ષયન કરે છે. તેથી \( CFCs \) સમતાપ આવરણમાં ક્લોરિન મુક્તમૂલક ઉત્પન્ન કરતા અને ઓઝોન સ્તરને નુકસાન પહોંચાડવાના કારણો છે.

In simple words: The ozone layer is depleted mainly by chlorofluorocarbons (CFCs), also called freons. These stable compounds, used in refrigerators and aerosols, travel to the stratosphere. There, UV rays break them down, releasing chlorine free radicals. These chlorine radicals react with ozone, forming chlorine monoxide and oxygen, and then regenerate, continuing to destroy more ozone.

 

Question 10. ઓઝોન-સ્તરમાં ગાબડું એટલે શું ? તેના પરિણામો શું છે ? અથવા ઓઝોન સ્તરના ક્ષયનની પર્યાવરણ પર અસરો વિશે ટૂંકમાં સમજાવો.
Answer:

  • ઓઝોન સ્તરના ક્ષયનથી વધુ પારજાંબલી કિરણો ક્ષોભ-આવરણમાં પ્રવેશે છે. આ પારજાંબલી કિરણોના કારણે ચામડી જલ્દી વૃદ્ધ થવી, આંખમાં મોતિયો આવવો, સૂર્યની ગરમીથી દઝાવું, ચામડીનું કેન્સર થવું, જલજ વનસ્પતિનો નાશ થવો, માછલીની પ્રજનન ક્ષમતામાં ઘટાડો થવો વગેરે થાય છે.
  • પારજાંબલી કિરણો વનસ્પતિ પ્રોટીન પર પણ અસર કરે છે. તેઓ વનસ્પતિ કોષમાં નુકસાનકારક ઉત્પરિવર્તન લાવે છે. તેનાથી વનસ્પતિના પાંદડાં પર રહેલા છિદ્રો દ્વારા પાણીનું બાષ્પીભવન થાય છે અને જમીનમાં રહેલા ભેજનું પ્રમાણ ઘટે છે. આમ, ભૂપૃષ્ઠીય જળનું બાષ્પીભવન વધે છે.
  • પારજાંબલી કિરણોના વધુ પ્રમાણથી રંગ અને રેસાઓને નુકસાન થાય છે અને તેઓ જલદી ઝાંખા પડી જાય છે.

In simple words: Ozone depletion lets more harmful UV rays reach Earth. This causes skin aging, cataracts, sunburn, skin cancer, and harms aquatic plants and fish reproduction. UV rays also damage plant proteins, causing mutations and increasing water evaporation from leaves and soil. Additionally, increased UV exposure fades colors and fibers quickly.

 

Question 11. જળ પ્રદૂષણના મુખ્ય કારણો કયાં છે ? સમજાવો.
Answer: જળ પ્રદૂષણના મુખ્ય કારણો નીચે મુજબ છે :
(i) રોગકારકો : રોગ પેદા કરતા અતિ ગંભીર જળપ્રદૂષકોને રોગકારકો કહેવાય છે. સુએજ અને પ્રાણીઓના મળમૂત્રોમાંથી બેક્ટેરિયા અને અન્ય સૂક્ષ્મજીવો સહિતના રોગકારકો પાણીમાં પ્રવેશે છે. મળમૂત્રમાં ઈસ્ટેરેશિયા કોલાઈ અને સ્ટેપ્ટોકોક્સ ફેકેલીસ જેવા બેક્ટેરિયા રહેલા હોય છે, જે પેટના રોગો માટે જવાબદાર હોય છે.
(ii) કાર્બનિક કચરો : પાંદડાં, ઘાસ, કૃષિ કચરો વગેરે જેવા કાર્બનિક કચરાને પણ મુખ્ય જળપ્રદૂષક તરીકે ગણવામાં આવે છે. તેઓ પાણીને પ્રદૂષિત કરે છે. પાણીમાં વધુ જલજ વનસ્પતિને કારણે પણ જળ પ્રદૂષણ થાય છે. આ કચરો જૈવવિઘટનીય હોય છે.

  • બેક્ટેરિયાની વધુ સંખ્યા પાણીમાં રહેલા કાર્બનિક પદાર્થનું વિઘટન કરે છે. તેઓ પાણીમાં રહેલા દ્રાવ્ય ઑક્સિજનનો ઉપયોગ કરે છે.
  • જલીય દ્રાવણમાં દ્રાવ્ય ઑક્સિજનનું પ્રમાણ સીમિત હોય છે. ઠંડા પાણીમાં દ્રાવ્ય ઑક્સિજનની સાંદ્રતા 10 ppm હોય છે, જ્યારે હવામાં ઑક્સિજનની સાંદ્રતા 2,00,000 ppm હોય છે. તેથી ઓછા પ્રમાણમાં રહેલા કાર્બનિક પદાર્થના વિઘટનથી પાણીમાં રહેલા દ્રાવ્ય ઑક્સિજનનું પ્રમાણ ઘટે છે.
  • જલીય જીવસૃષ્ટિ માટે પાણીમાં રહેલા દ્રાવ્ય ઑક્સિજનની સાંદ્રતા 6 ppm થી ઓછી હોય તો તેમનું સંવર્ધન રોકાઈ જાય છે.
  • પાણીમાં ઑક્સિજન વાતાવરણ દ્વારા અથવા જલીય લીલી વનસ્પતિઓ દ્વારા સૂર્યપ્રકાશની હાજરીમાં થતાં પ્રકાશસંશ્લેષણ મારફતે પ્રવેશે છે.
  • રાત્રિના સમય દરમિયાન પ્રકાશસંશ્લેષણ થતું નથી, પરંતુ વનસ્પતિની શ્વસનક્રિયા ચાલુ હોય છે. તેથી દ્રાવ્ય ઑક્સિજનનું પ્રમાણ ઘટે છે.
  • સૂક્ષ્મજીવો કાર્બનિક પદાર્થના ઑક્સિડેશન માટે પણ દ્રાવ્ય ઑક્સિજનનો ઉપયોગ કરે છે. આથી, જો પાણીમાં વધુ પ્રમાણમાં કાર્બનિક પદાર્થ ઉમેરવામાં આવે છે, તો તેમાં રહેલો ઑક્સિજન વપરાઈ જાય છે, જેથી ઑક્સિજન પર આધારિત જલીય જીવસૃષ્ટિ નાશ પામે છે.
  • અજારક બેક્ટેરિયા કે જેને ઑક્સિજનની જરૂર નથી, તેઓ કાર્બનિક કચરાનું વિઘટન કરે છે અને ખરાબ વાસવાળા રસાયણો ઉત્પન્ન કરે છે, જે માનવ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. જારક બેક્ટેરિયા કે જેને ઑક્સિજનની જરૂર છે, તેઓ કાર્બનિક કચરાનું વિઘટન કરે છે અને પાણીમાં દ્રાવ્ય ઑક્સિજનનું પ્રમાણ ઘટાડે છે.

પૂરક પ્રશ્ન : જૈવરાસાયણિક ઑક્સિજન જરૂરિયાત (BOD) એટલે શું ?
Answer:

  • નિશ્ચિત કદના પાણીના નમૂનામાં રહેલા કાર્બનિક પદાર્થોના વિઘટન માટે જરૂરી ઑક્સિજનના જથ્થાને જૈવરાસાયણિક ઑક્સિજન (BOD) જરૂરિયાત કહે છે.
  • પાણીમાં \( BOD \) નું મૂલ્ય કાર્બનિક પદાર્થના જૈવવિઘટન માટે જરૂરી ઑક્સિજનનો જથ્થો સૂચવે છે. સ્વચ્છ પાણીનું \( BOD \) મૂલ્ય 5 ppm થી ઓછું હોય છે, જ્યારે પ્રદૂષિત પાણીનું \( BOD \) મૂલ્ય 17 ppm કે તેથી વધુ હોય છે.

પૂરક પ્રશ્ન : રાસાયણિક પ્રદૂષકો દ્વારા થતું જળ પ્રદૂષણ સવિસ્તર સમજાવો.
Answer:(iii) રાસાયણિક પ્રદૂષકો : પાણી ઉત્તમ દ્રાવક છે. કેડમિયમ, મરક્યુરી, નિકલ વગેરે ભારે ધાતુઓ ધરાવતા પાણીમાં દ્રાવ્ય અકાર્બનિક સંયોજનોને રાસાયણિક પ્રદૂષકો કહી શકાય.

  • આ ધાતુઓનો માનવશરીર નિકાલ કરી શકતું નથી. તેથી તેઓ માનવજાત માટે હાનિકારક છે. સમય જતાં માનવ શરીરમાં તેમનું પ્રમાણ વધી જાય તો તે કિડની, મધ્યસ્થ ચેતાતંત્ર, યકૃત વગેરે જેવા અવયવોને નુકસાન પહોંચાડે છે.
  • ખનીજ ઉદ્યોગના નકામા કચરામાં આવતો સલ્ફ્યુરિક ઍસિડ અને બરફને પીગાળવા ઉપયોગમાં લેવામાં આવતા દ્રાવ્ય ક્ષારો જેવા કે સોડિયમ ક્લોરાઇડ અને કેલ્શિયમ ક્લોરાઇડ વગેરે પણ રાસાયણિક પ્રદૂષકો છે. પેટ્રોલિયમ પેદાશો પણ પાણીના સ્રોતને પ્રદૂષિત કરે છે, દા.ત., સમુદ્રમાં ઢોળાયેલું તેલ.
  • વિવિધ ઔદ્યોગિક રસાયણો જેવા કે પોલિક્લોરિનેટેડ બાયફિનાઇલ \( (PCBs) \) કે જે સફાઈ માટે દ્રાવક તરીકે, ડિટર્જન્ટ તરીકે અને ખાતર તરીકે વપરાય છે, તે પણ જળપ્રદૂષક છે. \( PCBs \) કેન્સરપ્રેરક સંયોજનો છે.
  • મોટાભાગના ડિટર્જન્ટ જૈવવિઘટનીય હોવા છતાં તેઓ મુશ્કેલીઓ ઊભી કરે છે. બેક્ટેરિયાને જ્યારે ડિટર્જન્ટ સાથે ઉમેરવામાં આવે છે, ત્યારે તે ઝડપથી વૃદ્ધિ પામી પાણીમાંના ઑક્સિજનનો ઉપયોગ કરે છે.
  • ઑક્સિજનની ઊણપને કારણે જલીય જૈવસૃષ્ટિના ઘટકો જેવા કે, માછલી અને વનસ્પતિઓ નાશ પામે છે.
  • ખાતરમાં રહેલા ફૉસ્ફેટ પાણીમાં ઉમેરાતાં લીલની ઝડપથી વૃદ્ધિ થાય છે. આ લીલ પાણીની સપાટી પર છવાઈ જતાં ઑક્સિજનની પાણીમાં સાંદ્રતા ઘટે છે.
  • આમ, અજારક પરિસ્થિતિ ઉત્પન્ન થવાથી દુર્ગંધવાળી કોહવાણની પ્રક્રિયા શરૂ થાય છે અને જલીય જીવોના મૃત્યુનું કારણ બને છે. આ રીતે પુષ્પકુંજવાળું પાણી અન્ય જીવોની વૃદ્ધિને અવરોધે છે.
  • જળાશયોમાં પોષક તત્ત્વોના વધુ પ્રમાણને કારણે વનસ્પતિનું પ્રમાણ વધે છે, તેથી પાણીમાં ઑક્સિજનનું પ્રમાણ ઘટે છે, જે અન્ય જીવોનો નાશ કરે છે અને જૈવવિવિધતા ગુમાવાય છે, જેને સુપોષણ (યુટ્રોફિકેશન) કહે છે.

In simple words: Water pollution has several causes. Pathogens from sewage and animal waste cause diseases. Organic waste like leaves and grass also pollutes water; bacteria break it down, using up oxygen and harming aquatic life. Chemical pollutants like heavy metals (cadmium, mercury, nickel) from industries are toxic and accumulate in the body, damaging organs. Sulfuric acid and salts from mining also pollute water. PCBs, used in cleaning, detergents, and fertilizers, are carcinogenic. Many detergents, even biodegradable ones, cause problems by making bacteria use up oxygen in water. Low oxygen levels kill fish and plants. Excess phosphates from fertilizers lead to algal blooms that cover the water surface, reducing oxygen and creating foul-smelling, decaying conditions that kill aquatic life. This process, where increased nutrients lead to reduced biodiversity, is called eutrophication.

 

Question 12. શું તમે તમારા વિસ્તારમાં જળપ્રદૂષણ જોયું છે ? તેને નિયંત્રિત કરવા તમે શું સૂચવો છો ?
Answer:

  • વિવિધ માનવીય પ્રવૃત્તિઓને કારણે પાણીનું પ્રદૂષણ થાય છે. પ્રદૂષકો જળ સ્રોતમાં દાખલ થાય છે અને પાણીને દૂષિત કરે છે.
  • ઉદ્યોગો અને કારખાનાઓ ઝેરી પદાર્થો અને Fe, Al, Mn જેવી ભારે ધાતુઓનો ત્યાગ કરે છે. સુએજનો નિકાલ અને પ્રાણીઓ દ્વારા ઉત્સર્જિત પદાર્થો પણ પાણીના પ્રદૂષણમાં ભાગ ભજવે છે. આ પદાર્થો ભળેલું પાણી પીવાલાયક રહેતું નથી.
  • તેથી બધા જ ઔદ્યોગિક અને કારખાનાઓ દ્વારા છોડવામાં આવેલો કચરો પાણીમાં ભળે તે પહેલાં તેને પ્રદૂષકો અને ઝેરી ધાતુઓ રહિત કરવો જોઈએ. આ પ્રદૂષકોની સાંદ્રતા સમય-સમય પર તપાસવી જોઈએ. રાસાયણિક ખાતરને બદલે કૉમ્પોસ્ટ ખાતર વાપરવું જોઈએ. ઝેરી રસાયણો ભૂગર્ભજળમાં દાખલ થતા અટકાવવા જોઈએ.

In simple words: Yes, water pollution is common due to human activities. Factories and industries release toxic substances and heavy metals, while sewage and animal waste also enter water sources, making the water unfit to drink. To control this, industrial waste should be treated before release, and chemical fertilizers should be replaced with compost. Regular checks for pollutants are important, and preventing harmful chemicals from seeping into groundwater is essential.

 

Question 13. પૂરક પ્રશ્ન : જૈવરાસાયણિક ઑક્સિજન જરૂરિયાત (BOD) એટલે શું ?
Answer:

  • નિશ્ચિત કદના પાણીના નમૂનામાં રહેલા કાર્બનિક પદાર્થોના વિઘટન માટે જરૂરી ઑક્સિજનના જથ્થાને જૈવરાસાયણિક ઑક્સિજન (BOD) જરૂરિયાત કહે છે.
  • પાણીમાં \( BOD \) નું મૂલ્ય કાર્બનિક પદાર્થના જૈવવિઘટન માટે જરૂરી ઑક્સિજનનો જથ્થો સૂચવે છે. સ્વચ્છ પાણીનું \( BOD \) મૂલ્ય 5 ppm થી ઓછું હોય છે, જ્યારે પ્રદૂષિત પાણીનું \( BOD \) મૂલ્ય 17 ppm કે તેથી વધુ હોય છે.

In simple words: Biochemical Oxygen Demand (BOD) is the amount of oxygen needed by microorganisms to break down organic matter in a water sample. A low BOD (below 5 ppm) means clean water, while a high BOD (above 17 ppm) indicates polluted water.

 

Question 14. શું તમે તમારા પડોશી વિસ્તારમાં જમીનનું પ્રદૂષણ જોયું છે ? જમીન પ્રદૂષણને નિયંત્રિત કરવા તમે કેવા પ્રયત્નો હાથ ધરશો ?
Answer:

  • ઔદ્યોગિક નકામા પદાર્થો અને જંતુનાશકો, ખાતરો વગેરે જેવા ખેતીવાડીના પ્રદૂષકો જમીન પ્રદૂષણના મુખ્ય સ્રોત છે.
  • વનસ્પતિને ટકી રહેવા માટે જમીનની ગુણવત્તા અને ફળદ્રુપતા જાળવી રાખવી ખૂબ જ જરૂરી છે.
  • \( DDT \) જેવા કીટનાશકો પાણીમાં દ્રાવ્ય હોય છે, તેને કારણે તે જમીનમાં ખૂબ જ લાંબો સમય ટકી રહે છે.
  • આલ્ફીન અને ડાયએલ્ડ્રીન જેવા જંતુનાશકો નોન-બાયોડિગ્રેડેબલ હોવાથી તે પર્યાવરણ માટે ખૂબ જ ઝેરી છે.
  • તે આહારજાળમાં પ્રવેશીને શરીરની ક્રિયાઓમાં અવ્યવસ્થા ઉત્પન્ન કરે છે. આ ઉદ્યોગોના ખરાબ કચરા માટે પણ સાચું છે, કારણ કે તેઓમાં \( Pb, Hg, Cd, As \) જેવા તત્ત્વો હોય છે.
  • આના માટેનો સારો રસ્તો એ છે કે સમય-સમય પર જમીનના પ્રદૂષણની તપાસ કરાવતા રહેવું જોઈએ. ગંદું પાણી મુક્ત કરતા પહેલાં યોગ્ય પ્રક્રિયા દ્વારા તેને શુદ્ધ કરવું જરૂરી છે.

In simple words: Yes, I have seen soil pollution from industrial waste, pesticides, and fertilizers. To control it, we must remember that agricultural pollutants harm soil quality. Pesticides like DDT and aldrin are very toxic and persistent, entering the food chain and causing health problems. Regular soil pollution checks and proper wastewater treatment before disposal are essential.

 

Question 15. કીટનાશક અને નીંદણનાશક એટલે શું ? ઉદાહરણ આપી સમજાવો.
Answer: કીટનાશકો એ બે કે તેથી વધુ પદાર્થોનું મિશ્રણ છે. તે તીડ અને તીતીઘોડા જેવા અન્ય કીટકોનો નાશ કરવા ઉપયોગી છે. દા.ત., એલ્ડ્રીન અને ડેલ્ફીન. નીંદણનાશકો એ એવા પદાર્થો છે કે જે નીંદણનો નાશ કરવા વપરાય છે. દા.ત., સોડિયમ ક્લોરેટ \( (NaClO_3) \), સોડિયમ આર્સેનેટ \( (Na_3AsO_3) \).
In simple words: Pesticides are mixtures of substances that kill pests like locusts and grasshoppers, for example, aldrin and delphine. Herbicides are substances used to kill weeds, such as sodium chlorate and sodium arsenate.

 

Question 16. હરિયાળું રસાયણવિજ્ઞાન એટલે શું ? તે પર્યાવરણને ઘટાડવા કેવી રીતે મદદરૂપ થશે ?
Answer:

  • 20મી સદીના અંત સુધીમાં ખાતર અને કીટનાશકોના ઉપયોગથી, તેમજ સુધારેલી કૃષિ પદ્ધતિઓ, ઉચ્ચ ગુણવત્તાવાળા બીજ અને સિંચાઈની મદદથી આપણા દેશે ખાદ્ય ક્ષેત્રમાં આત્મનિર્ભરતા પ્રાપ્ત કરી છે.
  • આ દરમિયાન જમીનનું વધુ શોષણ કરવાથી તથા ખાતર અને કીટનાશકોના વધુ ઉપયોગથી જમીન, પાણી અને હવાની ગુણવત્તા ઘટી છે.
  • રસાયણવિજ્ઞાન અને અન્ય વિજ્ઞાનના સિદ્ધાંતો તેમજ વર્તમાન જ્ઞાનના ઉપયોગથી પર્યાવરણ પર થતી અવળી અસરને ઓછી કરવાના વિચારોને હરિયાળું રસાયણવિજ્ઞાન કહે છે.
  • હરિયાળું રસાયણવિજ્ઞાન ઉત્પાદનની એવી પદ્ધતિ છે જે પર્યાવરણમાં ન્યૂનતમ પ્રદૂષણ પેદા કરે છે. પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતી ઉપપેદાશોનો લાભદાયી ઉપયોગ ન કરી શકાય તો તે પ્રદૂષણમાં ઉમેરો કરે છે.
  • નકામા પદાર્થો બનવા અને તેમનો નિકાલ બંને આર્થિક દૃષ્ટિએ નુકસાનકારક છે.
  • કાર્બનિક દ્રાવકો જેવા કે બેન્ઝિન, ટોલ્યુઇન અને કાર્બન ટેટ્રાક્લોરાઇડ અત્યંત ઝેરી છે. તેમનો ઉપયોગ કાળજીપૂર્વક કરવો જોઈએ.
  • રાસાયણિક પ્રક્રિયાનો વ્યાપ તાપમાન, દબાણ અને ઉદ્દીપકના ઉપયોગ પર રહેલો છે.
  • જો પર્યાવરણીય મિત્ર સ્વરૂપના માધ્યમની મદદથી પ્રક્રિયકો પર્યાવરણીય મિત્ર સ્વરૂપની નીપજોમાં ફેરવાય તો પર્યાવરણમાં કોઈ રાસાયણિક પ્રદૂષક ઉમેરાતું નથી.
  • સંશ્લેષણ દરમિયાન પ્રારંભિક પદાર્થની પસંદગી સમયે એ બાબત ધ્યાનમાં રાખવી જોઈએ કે જ્યારે તે અંતિમ નીપજમાં રૂપાંતરિત થાય ત્યારે 100% નીપજ બને છે, જેને સંશ્લેષણ પ્રક્રિયા દરમિયાન મેળવી શકાય છે.
  • પાણીની ઊંચી વિશિષ્ટ ઉષ્મા અને નીચી બાષ્પશીલતાને કારણે તેને સંશ્લેષણ પ્રક્રિયાઓમાં માધ્યમ તરીકે ઉપયોગમાં લેવાય છે. તે સસ્તું, અપ્રજ્વલનશીલ અને અકેન્સરપ્રેરક માધ્યમ છે.

In simple words: Green chemistry is about using chemical principles to reduce environmental harm. It helps by minimizing pollution from production processes and creating useful by-products. It encourages using eco-friendly methods and materials, like non-toxic solvents, efficient catalysts, and renewable resources, to make sure no chemical pollutants are released into the environment. It also focuses on maximizing product yield and using water as a safe, cost-effective solvent.

 

Question 17. પૃથ્વીના વાતાવરણમાં જો ગ્રીન હાઉસ વાયુઓ સંપૂર્ણપણે ગેરહાજર હોય તો શું થાય ? ચર્ચો.
Answer:

  • પૃથ્વી પર સૌથી વધુ પ્રમાણમાં ગ્રીન હાઉસ વાયુઓ \( CO_2, CH_4, O_3, CFC \) અને પાણીની બાષ્પ છે. આ વાયુઓ પૃથ્વીની નજીકની સપાટી પર જોવા મળે છે.
  • શોષાયેલી સૌર ઊર્જા પૃથ્વીના વાતાવરણમાંથી ઉત્સર્જિત થાય છે અને તેને પરિણામે વાતાવરણ ગરમ બને છે.
  • પૃથ્વીના વાતાવરણનું તાપમાન જાળવી રાખવા ગ્રીન હાઉસ વાયુઓ જરૂરી છે.
  • જો ગ્રીન હાઉસ વાયુઓ ન હોય તો પૃથ્વીનું સરેરાશ તાપમાન ઘટી જાય અને તેને જીવન જીવવા માટે અયોગ્ય બનાવે. તેથી પૃથ્વી પર જીવન શક્ય ન બને.

In simple words: If greenhouse gases were absent, Earth's average temperature would drop significantly. These gases, like \( CO_2 \), methane, ozone, and water vapor, absorb solar energy and keep the atmosphere warm. Without them, the planet would become too cold for life to exist.

 

Question 18. એક તળાવમાં મોટી સંખ્યામાં મરેલી માછલીઓ તરતી જોવા મળી, તેમજ વિપુલ પ્રમાણમાં જલીય વનસ્પતિ જોવા મળી, માછલીઓના મરવાનાં કારણો સૂચવો.
Answer: પાણીમાં દ્રાવ્ય ઑક્સિજનની માત્રા ખૂબ જ ઓછી હોય છે. પાણીમાં રહેલા સૂક્ષ્મજીવાણુઓની પ્રચુરતાને કારણે દ્રાવ્ય ઑક્સિજન ઘટે છે. કારણ કે પાણીમાં રહેલા સૂક્ષ્મજીવાણુઓ બેક્ટેરિયા દ્વારા વિઘટન પામે છે. તેમના વિઘટન માટે ખૂબ જ વધુ માત્રામાં ઑક્સિજનની જરૂર પડે છે. તેથી તે પાણીમાં દ્રાવ્ય ઑક્સિજન વાપરે છે અને તેને કારણે પાણીનું \( BOD \) મૂલ્ય 6 થી પણ નીચું જાય છે અને તેને કારણે વધુ પ્રમાણમાં માછલીઓનું મૃત્યુ થાય છે.
In simple words: The dead fish in the pond, along with abundant aquatic plants, indicate very low dissolved oxygen levels. Microorganisms in the water, like bacteria, break down organic matter and consume large amounts of oxygen. This lowers the Biochemical Oxygen Demand (BOD) value below 6, leading to a severe lack of oxygen that kills the fish.

 

Question 19. ઘરેલું કચરાને કેવી રીતે ખાતર તરીકે ઉપયોગમાં લઈ શકશો ?
Answer: નકામા પદાર્થના સ્વભાવને ધ્યાનમાં રાખીને તેનું વર્ગીકરણ બે પ્રકારે કરવામાં આવે છે:
(i) બાયોડિગ્રેડેબલ પદાર્થો (જૈવવિઘટનીય પદાર્થો)
(ii) નોન-બાયોડિગ્રેડેબલ પદાર્થો (જૈવઅવિઘટનીય પદાર્થો)
બાયોડિગ્રેડેબલ નકામો કચરો જેમ કે પાંદડાં, પાકેલાં ફળો વગેરેને જમીનમાં દાટી દેવા જોઈએ જેથી તેનું વિઘટન થાય અને તે ઉપયોગી ખાતર બને.
નોન-બાયોડિગ્રેડેબલ પદાર્થો જેવા કે પ્લાસ્ટિક, કાચ, ધાતુનો ભંગાર વગેરેનું પુન:ચક્રણ કરીને ઉપયોગમાં લેવો જોઈએ.
In simple words: Household waste can be sorted into two types: biodegradable and non-biodegradable. Biodegradable waste, like leaves and fruit peels, can be buried in the soil to decompose and form useful compost. Non-biodegradable waste, such as plastic, glass, and metal, should be recycled and reused.

 

Question 20. તમે તમારા ખેતરમાં અથવા બગીચામાં કૉમ્પોસ્ટ બનાવવાના ખાડા તૈયાર કરેલા છે. ઉત્તમ કૉમ્પોસ્ટ બનાવવાની પ્રક્રિયાની ચર્ચા દુર્ગંધ, માખીઓ તથા નકામા પદાર્થોના પુન:ચક્રણના સંદર્ભમાં કરો.
Answer: માનવજાતને ખરાબ દુર્ગંધથી બચાવવા માટે કૉમ્પોસ્ટ નીપજોની યોગ્ય માવજત જરૂરી છે. તેને ઢાંકીને રાખવાથી તેની દુર્ગંધમાં ઘટાડો થાય છે. જેનું પુન:ચક્રણ થઈ શકતું હોય તેમને પુન:ચક્રણ માટે ઉદ્યોગો સુધી પહોંચાડવા જોઈએ.
In simple words: To make good compost and avoid bad smells, proper management is key. Covering the compost pit reduces odor and keeps flies away. Any recyclable waste that cannot be composted should be sent to recycling facilities.

 

GSEB Class 11 Chemistry પર્યાવરણીય રસાયણવિજ્ઞાન NCERT Exemplar Questions

બહુવિકલ્પ પ્રશ્નો (પ્રકાર – I) નીચેના પ્રશ્નોમાં એક જ વિકલ્પ સાચો છે.

 

Question 1. નીચેના પૈકી કયો ગ્રીનહાઉસ વાયુ નથી ?
(a) CO
(b) O3
(c) CH4
(d) H₂O બાષ્પ
Answer: (a) CO
In simple words: Greenhouse gases absorb sunlight and send radiation back to Earth, making it warmer. Carbon dioxide, methane, water vapor, and CFCs are all greenhouse gases, but carbon monoxide is not.

 

Question 2. પ્રકાશરાસાયણિક ધૂમ્ર-ધુમ્મસ હૂંફાળા સૂકા અને સૂર્યપ્રકાશવાળા વાતાવરણમાં ઉદ્ભવે છે. નીચેના પૈકી એક પ્રકાશ- રાસાયણિક ધૂમ્ર-ધુમ્મસનો ઘટક નથી તેને ઓળખો :
(a) NO2
(b) O3
(c) SO2
(d) અસતૃત હાઈડ્રોકાર્બન
Answer: (c) SO2
In simple words: Photochemical smog forms in hot, dry, sunny conditions. Its main components are nitrogen dioxide, ozone, aldehydes, and ketones. Sulfur dioxide is not a component of photochemical smog.

 

Question 3. પારંપરિક ધૂમ્ર-ધુમ્મસ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી ?
(a) તેનાં મુખ્ય ઘટકો ઑટોમોબાઇલ અને ફૅક્ટરીઓમાંથી થતા ઉત્સર્જન ઉપર સૂર્યપ્રકાશની અસરથી ઉદ્ભવે છે.
(b) ઠંડા અને ભેજવાળા વાતાવરણમાં ઉત્પન્ન થાય છે.
(c) તે રિડક્શનકર્તા ગુણધર્મવાળાં સંયોજનો ધરાવે છે.
(d) તે ધુમાડો, ધુમ્મસ અને સલ્ફર ડાયૉક્સાઇડ ધરાવે છે.
Answer: (a) તેનાં મુખ્ય ઘટકો ઑટોમોબાઇલ અને ફૅક્ટરીઓમાંથી થતા ઉત્સર્જન ઉપર સૂર્યપ્રકાશની અસરથી ઉદ્ભવે છે.
In simple words: Traditional smog forms in cold, damp weather, consisting of smoke, fog, and sulfur dioxide. It has reducing properties. The statement that its main components arise from automobile and factory emissions due to sunlight is incorrect, as this describes photochemical smog.

 

Question 4. જૈવરાસાયણિક ઑક્સિજન જરૂરિયાત (BOD) એ પાણીમાં રહેલા કાર્બનિક ઘટકોનું માપ છે. BODનું મૂલ્ય 5 ppm કરતાં ઓછું હોય તેવો પાણીનો નમૂનો સૂચવે છે કે
(a) ઓગળેલા ઑક્સિજનથી સમૃદ્ધ છે.
(b) ઓગળેલા ઑક્સિજનની ઊણપ છે.
(c) પુષ્કળ પ્રદૂષિત છે.
(d) જલીય જીવન માટે અયોગ્ય છે.
Answer: (a) ઓગળેલા ઑક્સિજનથી સમૃદ્ધ છે.
In simple words: BOD measures organic matter in water. A BOD value below 5 ppm shows that the water is rich in dissolved oxygen, meaning it's clean and healthy for aquatic life.

 

Question 5. નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ?
(A) ગ્રીનહાઉસ અસર માટે ઓઝોન જવાબદાર નથી.
(B) ઓઝોન વાયુ વાતાવરણમાંના સલ્ફર ડાયૉક્સાઇડનું ઑક્સિડેશન સલ્ફર ટ્રાયૉકસાઇડમાં કરી શકે છે.
(C) ઓઝોન છિદ્ર સમતાપ આવરણમાં ઓઝોન સ્તરને પાતળું કરે છે.
(D) ઉપરના સમતાપ આવરણમાં UV કિરણોની ઑકિસજન ઉપર પ્રક્રિયાથી ઓઝોન ઉત્પન્ન થાય છે.
Answer: (A) ગ્રીનહાઉસ અસર માટે ઓઝોન જવાબદાર નથી.
ઓઝોન ગ્રીનહાઉસ અસર માટે જવાબદાર છે. તેનો ફાળો 8% જેટલો છે. પૃથ્વી જ્યારે સૌર ઊર્જા મેળવે છે, તે પછી પાછી વાતાવરણમાં છોડે છે. આ ઊર્જાને પૃથ્વીની નજીકનાં સ્તરમાં રહેલા \( \text{CO}_2 \) અને \( \text{H}_2\text{O} \) શોષી લે છે. આ પ્રક્રિયા પૃથ્વીના તાપમાનને વધારે છે, જેને ગ્રીનહાઉસ અસર કહેવાય છે.
In simple words: Ozone is responsible for the greenhouse effect, contributing about 8%. The greenhouse effect is when Earth absorbs solar energy, then re-emits it. Gases like \( \text{CO}_2 \) and \( \text{H}_2\text{O} \) near the surface trap this re-emitted energy, increasing Earth's temperature.

Exam Tip: For 'Which is false' MCQs, confirm why the correct option is false and why other options are true.

 

Question 6. કાર્બનિક કચરો ધરાવતું સુએજ પાણી, નદી, તળાવ જેવા જળસ્રોતમાં નિકાલ ન કરવું જોઈએ, કારણ કે તે જળને પ્રદૂષિત કરે છે. આવા પ્રદૂષિત પાણીમાં માછલી મૃત્યુ પામે છે, કારણ કે
(A) મચ્છરોની પુષ્કળ સંખ્યા
(B) ઓગળેલા ઑક્સિજનના પ્રમાણમાં વધારો
(C) ઓગળેલા ઑક્સિજનના પ્રમાણમાં ધટાડો
(D) કાદવથી ઝાલરના (gills) અવરોધને લીધે
Answer: (C) ઓગળેલા ઑક્સિજનના પ્રમાણમાં ઘટાડો
જળચર જીવન માટે પાણીમાં ઓગળેલા ઑક્સિજનની માત્રા ખૂબ જ આવશ્યક છે. સૂક્ષ્મજીવાણુઓ પાણીમાં રહેલા ઑક્સિજનનો ઉપયોગ કરીને કાર્બનિક કચરાનું વિઘટન કરે છે. આના પરિણામે પાણીમાં ઑક્સિજનનું પ્રમાણ ઘટી જાય છે, જે જળચર પ્રાણીઓ માટે હાનિકારક છે.
In simple words: Aquatic life needs a lot of dissolved oxygen in water. Microbes use this oxygen to break down organic waste. This process lowers the amount of oxygen in the water, which is bad for aquatic animals.

Exam Tip: Understand how organic pollution leads to oxygen depletion, which then impacts aquatic life.

 

Question 7. પ્રકાશરાસાયણિક ધૂમ્ર-ધુમ્મસ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી ?
(A) ઑક્સિડેશનકર્તાનું ઊંચું પ્રમાણ ધરાવે છે.
(B) ઑક્સિડેશનકર્તાનું નીચું પ્રમાણ ધરાવે છે.
(C) તેનું નિયમન \( \text{NO}_2 \), હાઇડ્રોકાર્બન ઓઝોન વગેરેના ઉત્સર્જનને નિયંત્રિત કરીને કરી શકાય છે.
(D) પિનસ (pinus) જેવાં વૃક્ષોના વાવેતરથી પ્રકાશ-રાસાયણિક ધૂમ્ર-ધુમ્મસને નિયંત્રિત કરી શકાય છે.
Answer: (B) ઑક્સિડેશનકર્તાનું નીચું પ્રમાણ ધરાવે છે.
ઈ.સ. 1950માં પહેલીવાર લોસ એન્જલસમાં પ્રકાશ-રાસાયણિક ધૂમ્ર-ધુમ્મસ જોવા મળ્યું હતું. હવામાં રહેલા \( \text{NO}_2 \) અને હાઇડ્રોકાર્બન વચ્ચે થતી પ્રકાશરાસાયણિક પ્રતિક્રિયા દ્વારા આ ધૂમ્ર-ધુમ્મસ બને છે. ઓઝોન, PAN, આલ્ડિહાઇડ (RCHO) અને \( \text{R}_2\text{CO}_3 \) જેવા પદાર્થો વાતાવરણમાં બને છે. આ બધા ઘટકો આંખોમાં સખત બળતરા પેદા કરે છે. પ્રકાશરાસાયણિક ધૂમ્ર-ધુમ્મસમાં ઓઝોન અને ઑર્ગેનિક ઑક્સિડન્ટ જેવા ઘટકો વધુ માત્રામાં હોય છે.
In simple words: Photochemical smog was first seen in Los Angeles in 1950. It forms when \( \text{NO}_2 \) and hydrocarbons react in sunlight, creating substances like ozone, PAN, aldehydes, and ketones. These substances cause severe eye irritation, and photochemical smog contains high levels of oxidants.

Exam Tip: Remember that photochemical smog is 'oxidizing' due to the presence of strong oxidants like ozone and PAN.

 

Question 8. પૃથ્વીની આસપાસ વાયુઓના આવરણને વાતાવરણ કહે છે. દરિયાની સપાટીથી 10 km સુધી વિસ્તરેલા સૌથી નીચા સ્તરને _______________ કહે છે.
(A) સમતાપ આવરણ
(B) ક્ષોભ આવરણ
(C) મેસોસ્ફિયર
(D) જલાવરણ
Answer: (B) ક્ષોભ આવરણ
વાતાવરણનો સૌથી નીચેનો ભાગ ક્ષોભ-આવરણ કહેવાય છે. તે દરિયાઈ સપાટીથી લગભગ 10 km સુધી ઊંચો ફેલાયેલો છે. ક્ષોભ-આવરણમાં અશાંત ધૂળના નાના કણો, વધુ પાણીની વરાળ અને વાદળો હોય છે. વાતાવરણના મુખ્ય ચાર સ્તરો છે: (i) ક્ષોભ-આવરણ, (ii) સમતાપ આવરણ, (iii) મેસોસ્ફિયર, અને (iv) થર્મોસ્ફિયર (વિકાસશીલ).
In simple words: The lowest part of the atmosphere is called the troposphere. It extends up to about 10 km from sea level and contains dust particles, water vapor, and clouds. The atmosphere has four main layers: troposphere, stratosphere, mesosphere, and thermosphere.

Exam Tip: Clearly remember the names and approximate altitudes of the different layers of the atmosphere.

 

Question 9. ડાયનાઇટ્રોજન અને ડાયઑક્સિજન હવાનાં મુખ્ય ઘટકો છે. પરંતુ તેઓ એકબીજા સાથે પ્રક્રિયા કરી નાઇટ્રોજનના ઑક્સાઇડ બનાવતા નથી કારણ કે
(A) આ પ્રક્રિયા ઉષ્માશોષક છે અને ખૂબ ઊંચું તાપમાન આવશ્યક છે.
(B) આ પ્રક્રિયા ઉદીપકની હાજરીમાં જ શરૂ થઈ શકે છે.
(C) નાઇટ્રોજનના ઑક્સાઇડ ખૂબ જ અસ્થાયી છે.
(D) \( \text{N}_2 \) અને \( \text{O}_2 \) નિષ્ક્રિય છે.
Answer: (A) આ પ્રક્રિયા ઉષ્માશોષક છે અને ખૂબ ઊંચું તાપમાન આવશ્યક છે.
નાઇટ્રોજન સક્રિય ગેસ ન હોવાને કારણે તે ઑક્સિજન સાથે સહેલાઈથી પ્રતિક્રિયા કરતો નથી. \( \text{N}_2 \) માં ટ્રિપલ બોન્ડ ખૂબ જ સ્થિર છે અને તેને તોડવા માટે ઘણી ઊંચી ઊર્જા (વિયોજન એન્થાલ્પી) જોઈએ છે. આ કારણોસર, બંને વાયુઓ એકબીજા સાથે ખૂબ જ ઊંચા તાપમાને જ પ્રતિક્રિયા આપે છે.
\( \text{N}_2\text{(g)} + \text{O}_2\text{(g)} \xrightarrow{1483 K} 2\text{NO(g)} \)
In simple words: Nitrogen is not a reactive gas. The triple bond in \( \text{N}_2 \) is very stable and needs a lot of energy to break, so it only reacts with oxygen at very high temperatures.

Exam Tip: Remember that nitrogen's inertness is due to the strong triple bond, which requires high energy to break, preventing it from easily reacting with oxygen at normal temperatures.

 

Question 10. પ્રદૂષકો જે હવામાં સીધા જ સ્રોતમાંથી ભળે છે તેમને પ્રાથમિક પ્રદૂષકો કહે છે. પ્રાથમિક પ્રદૂષકો કેટલીક વાર દ્વિતીયક પ્રદૂષકોમાં રૂપાંતરિત થાય છે. નીચેનામાંથી કર્યો દ્વિતીયક વાયુ પ્રદૂષક છે ?
(A) CO
(B) હાઇડ્રોકાર્બન
(C) પેરૉક્સિએસિટાઇલ નાઇટ્રેટ
(D) NO
Answer: (C) પેરૉક્સિએસિટાઇલ નાઇટ્રેટ
વાતાવરણમાં હાજર હાઇડ્રોકાર્બન \( \text{NO}_2 \) સાથે પ્રકાશ પ્રક્રિયા કરીને ફ્રી રેડિકલ્સ બનાવે છે. આ રેડિકલ્સ પ્રતિક્રિયાઓની લાંબી શ્રેણી શરૂ કરે છે. પેરૉક્સિએસિટાઇલ નાઇટ્રેટ (PAN) આ પ્રક્રિયાઓ દ્વારા બને છે, જેને સેકન્ડરી પોલ્યુટન્ટ કહેવામાં આવે છે.
Hydrocarbon \( \rightarrow \) RCO \( \cdot \) (ફ્રી રેડિકલ)
\( \text{RCO} \cdot + \text{O}_2 \rightarrow \text{RCO}_3 \cdot \)
\( \text{RCO}_3 \cdot + \text{NO}_2 \rightarrow \text{RCO}_3\text{NO}_2 \)
In simple words: Hydrocarbons react with \( \text{NO}_2 \) in sunlight to create free radicals. These radicals form new compounds like PAN, which is a secondary pollutant because it's not released directly but formed from other pollutants.

Exam Tip: Distinguish between primary pollutants (directly emitted) and secondary pollutants (formed in the atmosphere through reactions), identifying key examples of each.

 

Question 11. નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?
(A) ઓઝોન છિદ્ર એ સમતાપ આવરણમાં રચાયેલું છિદ્ર છે, જેમાંથી ઓઝોન વાયુ બહાર નીકળે છે.
(B) ઓઝોન છિદ્ર એ ક્ષોભ આવરણમાં રચાયેલું છિદ્ર છે, જેમાંથી ઓઝોન વાયુ બહાર નીકળે છે.
(C) ઓઝોન છિદ્ર સમતાપ આવરણમાં કેટલાંક સ્થળોએ ઓઝોન સ્તરને પાતળું કરે છે.
(D) ઓઝોન છિદ્ર એટલે પૃથ્વીની ફરતેથી ઓઝોન સ્તરનું સંપૂર્ણપણે દૂર થઈ જવું.
Answer: (C) ઓઝોન છિદ્ર સમતાપ આવરણમાં કેટલાંક સ્થળોએ ઓઝોન સ્તરને પાતળું કરે છે.
બે પ્રકારના રસાયણો ઓઝોન સ્તરના ઘટાડા માટે સૌથી વધુ જવાબદાર છે. આમાં (i) નાઇટ્રોજન ઑક્સાઇડ (NO) અને (ii) ક્લોરોફ્લોરોકાર્બન (CFCs) શામેલ છે.
\( \text{NO} + \text{O}_3 \rightarrow \text{NO}_2 + \text{O}_2 \)
\( \text{CF}_2\text{Cl}_2\text{(g)} \xrightarrow{\text{UV}} \text{CF}_2\text{Cl(g)} + \text{Cl(g)} \)
\( \text{Cl(g)} + \text{O}_3\text{(g)} \rightarrow \text{ClO(g)} + \text{O}_2\text{(g)} \)
\( \text{ClO(g)} + \text{O(g)} \rightarrow \text{Cl(g)} + \text{O}_2\text{(g)} \)
આ બધી પ્રતિક્રિયાઓ સમતાપ આવરણમાં થાય છે.
In simple words: Ozone depletion is caused by compounds like NO and CFCs. CFCs release chlorine atoms when hit by UV light. These chlorine atoms then react with ozone, breaking it down into oxygen molecules. This process happens in the stratosphere.

Exam Tip: Focus on the chemical reactions and the role of chlorine free radicals in breaking down ozone in the stratosphere.

 

Question 12. નીચેનામાંથી કઈ બાબત હરિયાળું રસાયણવિજ્ઞાનમાં સમાયેલ નથી ?
(A) શક્ય હોય તો સંશ્વેષિત પ્રક્ષાલકોના સ્થાને વનસ્પતિજન્ય તેલમાંથી બનાવેલા સાબુનો ઉપયોગ કરવો જોઈએ.
(B) ક્લોરિનયુક્ત વિરંજકોના સ્થાને H₂O₂નો ઉપયોગ વિરંજનકાર્યમાં કરવો જોઈએ.
(C) ટૂંકા અંતરની મુસાફરી માટે પેટ્રોલ / ડીઝલ વડે ચાલતાં વાહનોને બદલે સાઇકલનો ઉપયોગ કરવો જોઈએ.
(D) પદાર્થોના સ્વચ્છ સંરક્ષણ માટે પ્લાસ્ટિકના પાત્રોનો ઉપયોગ કરવો જોઈએ.
Answer: (D) પદાર્થોના સ્વચ્છ સંરક્ષણ માટે પ્લાસ્ટિકના પાત્રોનો ઉપયોગ કરવો જોઈએ.
વસ્તુઓને સંગ્રહ કરવા માટે પ્લાસ્ટિકના પાત્રોનો ઉપયોગ કરવો એ હરિયાળા રસાયણશાસ્ત્રમાં શામેલ નથી. પ્લાસ્ટિકના વપરાશથી નદીઓ અને સરોવરોનું પાણી દૂષિત થાય છે. પ્લાસ્ટિકની ચીજો બાયોડિગ્રેડેબલ નથી, એટલે કે તે કુદરતી રીતે વિઘટિત થતી નથી.
In simple words: Green chemistry means using things that don't harm the environment. Using plastic containers is not part of green chemistry because plastic pollutes water and doesn't break down naturally.

Exam Tip: Green chemistry focuses on reducing pollution at the source and using eco-friendly alternatives.

બહુવિકલ્પ પ્રશ્નો (પ્રકાર – II)

 

Question 1. નીચેનામાંથી કઈ પરિસ્થિતિ પ્રદૂષિત વાતાવરણ દર્શાવ છે :
(A) વરસાદી પાણીની pH 5.6
(B) વાતાવરણમાં કાર્બન ડાયૉક્સાઇડનું પ્રમાણ 0.03 %
(C) જૈવરાસાયણિક ઑક્સિજન જરૂરિયાત (BOD) 10 ppm
(D) સુપોષણ (Eutrophication)
Answer: (C) જૈવરાસાયણિક ઑક્સિજન જરૂરિયાત (BOD) 10 ppm, (D) સુપોષણ (Eutrophication)
પ્રદૂષિત જળમાં હાજર ઘટકો શેવાળના વિકાસ માટે કારણભૂત છે. શેવાળ પાણીની સપાટીને સંપૂર્ણપણે ઢાંકી દે છે અને જળમાં ઑક્સિજનનું સ્તર ઘટાડે છે. આનાથી ઍનૅરોબિક (ઑક્સિજન વિનાની) પરિસ્થિતિ બને છે, જે સડો અને પ્રાણીઓના મૃત્યુનું કારણ બને છે, જેને યુટ્રોફિકેશન (સુપોષણ) કહેવામાં આવે છે. પાણીના નમૂનામાં કાર્બનિક પદાર્થોના વિઘટન માટે જરૂરી ઑક્સિજનની માત્રાને જૈવ-રાસાયણિક ઑક્સિજન જરૂરિયાત (BOD) કહે છે. શુદ્ધ પાણીનું BOD મૂલ્ય 5 ppm કરતાં ઓછું હોય છે, જ્યારે વધુ દૂષિત પાણીનું BOD મૂલ્ય 17 ppm કે તેથી વધુ હોય છે. વરસાદના પાણીમાં રહેલો \( \text{H}^+ \) વાતાવરણમાંના કાર્બન ડાયૉક્સાઇડ સાથે પ્રતિક્રિયા કરતો હોવાથી તેની pH 6 જેટલી હોય છે. જો વરસાદના પાણીની pH 5.6 કરતાં ઓછી હોય, તો તેને ઍસિડ વર્ષા કહેવાય છે.
In simple words: Polluted water causes algae to grow, which covers the surface and reduces oxygen, leading to eutrophication. BOD measures the oxygen needed to break down organic matter in water; higher BOD means more pollution. Acid rain has a pH less than 5.6, caused by CO2 in normal rain.

Exam Tip: For questions about environmental pollution, define terms like eutrophication and BOD, and explain how they indicate a polluted environment.

 

Question 2. ફૉસ્ફેટ ધરાવતાં ખાતરો પાણીને પ્રદૂષિત કરે છે. આવા પદાર્થો જળસ્રોતમાં ઉમેરવાથી _______________
(A) લીલનો વિકાસ વધે છે.
(B) પાણીમાં ઓગળેલા ઑક્સિજનની માત્રા ઘટે છે.
(C) કૅલ્શિયમ ફૉસ્ફેટ જમા થાય છે.
(D) માછલીઓનું પ્રમાણ વધે છે.
Answer: (A) લીલનો વિકાસ વધે છે., (B) પાણીમાં ઓગળેલા ઑક્સિજનની માત્રા ઘટે છે.
ખાતરોમાં ફોસ્ફેટ હોય છે. જ્યારે આ ફોસ્ફેટ પાણીમાં ભળે છે, ત્યારે શેવાળનો વિકાસ ઝડપથી થાય છે. આ શેવાળ પાણીની સપાટી પર ફેલાઈ જાય છે અને પાણીમાં ઑક્સિજનનું પ્રમાણ ઘટાડે છે. આનાથી ઑક્સિજન-વિહીન સ્થિતિ બને છે, જે સડો અને જળચર પ્રાણીઓના મૃત્યુનું કારણ બને છે. આ પ્રકારે શેવાળથી ભરેલું પાણી જળાશયોમાં રહેલા અન્ય જીવોના વિકાસને પણ રોકે છે. જ્યારે જળાશયોમાં પોષક તત્ત્વોનું પ્રમાણ વધે છે, ત્યારે વનસ્પતિનો વિકાસ વધે છે, જેનાથી ઑક્સિજન ઘટે છે અને અન્ય જીવોનો નાશ થાય છે, પરિણામે જૈવવિવિધતા ઘટે છે. આ સ્થિતિને સુપોષણ (યુટ્રોફિકેશન-Eutrophication) કહે છે.
In simple words: Fertilizers with phosphate in water cause algae to grow fast. This algae covers the water, lowers oxygen levels, and creates conditions where aquatic animals die. This process, called eutrophication, reduces biodiversity.

Exam Tip: Focus on the chain reaction: increased nutrients (phosphates) -> algal bloom -> oxygen depletion -> death of aquatic life -> eutrophication.

 

Question 3. ઍસિડ-વર્ષામાં હાજર ઍસિડ _______________ છે.
(A) પેરૉક્સિએસિટાઇલ નાઇટ્રેટ
(B) \( \text{H}_2\text{CO}_3 \)
(C) \( \text{HNO}_3 \)
(D) \( \text{H}_2\text{SO}_4 \)
Answer: (B) H₂CO₃, (C) HNO₃, (D) H₂SO₄
ઍસિડ વર્ષામાં કાર્બોનિક ઍસિડ \( (\text{H}_2\text{CO}_3) \), નાઇટ્રિક ઍસિડ \( (\text{HNO}_3) \) અને સલ્ફ્યુરિક ઍસિડ \( (\text{H}_2\text{SO}_4) \) હાજર હોય છે.
\( \text{CO}_2 + \text{H}_2\text{O} \rightarrow \text{H}_2\text{CO}_3 \)
નાઇટ્રોજન ઑક્સાઇડ \( (\text{NO}_x) \) પાણી સાથે પ્રતિક્રિયા કરીને \( \text{HNO}_3 \) બનાવે છે.
સલ્ફર ઑક્સાઇડ \( (\text{SO}_x) \) પાણી સાથે પ્રતિક્રિયા કરીને \( \text{H}_2\text{SO}_4 \) બનાવે છે.
In simple words: Acid rain contains carbonic acid, nitric acid, and sulfuric acid. These acids are formed when carbon dioxide, nitrogen oxides, and sulfur oxides in the air react with water.

Exam Tip: Recall the main acids present in acid rain (\( \text{H}_2\text{SO}_4 \), \( \text{HNO}_3 \), \( \text{H}_2\text{CO}_3 \)) and their formation from atmospheric pollutants like \( \text{SO}_x \) and \( \text{NO}_x \).

 

Question 4. ગ્લોબલ વૉર્મિંગને લીધે પરિણામો હોઈ શકે છે _______________
(A) પૃથ્વીના સરેરાશ તાપમાનમાં વધારો
(B) હિમાલયના ગ્લેશિયરના બરફનું પીગળવું
(C) જૈવરાસાયણિક ઑક્સિજન જરૂરિયાતમાં વધારો
(D) સુપોષણ (Eutrophication)
Answer: (A) પૃથ્વીના સરેરાશ તાપમાનમાં વધારો, (B) હિમાલયના ગ્લેશિયરના બરફનું પીગળવું
પૃથ્વી પર આવતી સૌર ઊર્જા સ્થિર રહે છે, પરંતુ વાતાવરણમાં \( \text{CO}_2 \) નું પ્રમાણ વધે છે. પરિણામે, પૃથ્વી દ્વારા પાછી છોડવામાં આવતી સૌર ઊર્જા પણ વધે છે. આના કારણે પૃથ્વીની સપાટીનું તાપમાન વધે છે. આ તાપમાન વધવાથી હિમાલયના ગ્લેશિયર્સનો બરફ પીગળી જશે અને પૃથ્વીના નીચાણવાળા વિસ્તારોમાં પૂર આવવાની શક્યતા રહે છે.
In simple words: Global warming happens because more \( \text{CO}_2 \) in the air traps more heat from the sun. This makes the Earth hotter, causing glaciers in places like the Himalayas to melt and leading to floods in low-lying areas.

Exam Tip: Connect the increase in greenhouse gases (like \( \text{CO}_2 \)) to the enhanced greenhouse effect, leading to rising global temperatures and melting ice caps.

ટૂંક જવાબી પ્રકારના પ્રશ્નો

 

Question 1. ગ્રીનહાઉસ અસરને કારણે ગ્લોબલ વૉર્મિંગ થાય છે. ગ્રીનહાઉસ અસર માટે જવાબદાર પદાર્થો કયા છે ?
Answer: અમુક ગેસ ગ્રીનહાઉસ અસર અને ગ્લોબલ વૉર્મિંગમાં ફાળો આપે છે. તે વાયુઓ અને તેમનો ફાળો નીચે પ્રમાણે છે:

કેટલાક વાયુઓતેઓનો ફાળો
કાર્બન ડાયૉક્સાઇડ50%
પાણીની બાષ્પ2%
નાઇટ્રસ ઑક્સાઇડ4%
ઓઝોન8%
ક્લોરોફ્લોરોકાર્બન17%
મિથેન19%
In simple words: Global warming is caused by several gases trapping heat in the atmosphere. The main gases contributing to this are carbon dioxide, methane, CFCs, ozone, nitrous oxide, and water vapor, each with a specific share in the total effect.

Exam Tip: Be able to list the major greenhouse gases and their approximate contributions to global warming.

 

Question 2. ઍસિડ-વર્ષા કેટલાક ઍસિડ ધરાવે છે. આવા એસિડનાં નામ આપો અને તે વરસાદમાં ક્યાંથી ભળે છે તે જણાવો.
Answer: ઍસિડ વર્ષામાં કાર્બોનિક ઍસિડ \( (\text{H}_2\text{CO}_3) \), નાઇટ્રિક ઍસિડ \( (\text{HNO}_3) \) અને સલ્ફ્યુરિક ઍસિડ \( (\text{H}_2\text{SO}_4) \) હોય છે.
વાતાવરણમાં હાજર \( \text{CO}_2 \) પાણીની વરાળ સાથે ભળીને \( \text{H}_2\text{CO}_3 \) બનાવે છે:
\( \text{CO}_2 + \text{H}_2\text{O} \rightarrow \text{H}_2\text{CO}_3 \)
નાઇટ્રિક ઑક્સાઇડ \( (\text{NO}) \) ના કુદરતી સ્ત્રોતોમાં જંગલની આગ અને વીજળીના ચમકારાનો સમાવેશ થાય છે. વિમાનો, વાહનોના એન્જિન અને પાવર પ્લાન્ટ્સ પણ નાઇટ્રોજન ઑક્સાઇડ ઉત્પન્ન કરે છે.
નાઇટ્રિક ઑક્સાઇડ ધીમે ધીમે હવા સાથે પ્રતિક્રિયા કરીને \( \text{NO}_2 \) બનાવે છે. આ \( \text{NO}_2 \) પાણીમાં ભળીને \( \text{HNO}_3 \) બનાવે છે:
\( 3\text{NO}_2 + \text{H}_2\text{O} \rightleftharpoons 2\text{HNO}_3 + \text{NO} \)
કોલસો અને સલ્ફાઇડયુક્ત ખનીજો જેવાં અશ્મિભૂત ઇંધણના દહનથી સલ્ફર ઑક્સાઇડ ઉત્પન્ન થાય છે. સલ્ફર ડાયૉક્સાઇડ પણ સલ્ફ્યુરિક ઍસિડ બનાવે છે:
\( \text{SO}_2 + \text{O}_2 + \text{H}_2\text{O} \rightarrow \text{H}_2\text{SO}_4 + \text{[O]} \)
In simple words: Acid rain includes carbonic, nitric, and sulfuric acids. Carbonic acid forms from \( \text{CO}_2 \) and water. Nitric acid comes from \( \text{NO}_x \) (from fires, lightning, engines) reacting with air and water. Sulfuric acid forms from \( \text{SO}_x \) (from burning fossil fuels) reacting with water.

Exam Tip: List the three main acids in acid rain and explain the atmospheric processes (including chemical equations) by which \( \text{CO}_2 \), \( \text{NO}_x \), and \( \text{SO}_x \) form them.

 

Question 3. ઓઝોન વાયુ હવા કરતાં ભારે છે છતાં પૃથ્વીની નજીક ઓઝોન સ્તર ગોઠવાતું નથી. શા માટે ?
Answer: ઓઝોન વાયુ હવા કરતાં ભારે હોવા છતાં, તે પૃથ્વીની નજીક એક સ્તર તરીકે ગોઠવાતો નથી કારણ કે સમતાપ આવરણમાં ઓઝોનનું સતત નિર્માણ અને વિઘટન થતું રહે છે.
• સમતાપ આવરણમાં ઓઝોન વાયુ સતત બને છે અને 240 થી 360 nm તરંગલંબાઈવાળા UV-વિકિરણની હાજરીમાં તેનું વિઘટન પણ થાય છે.
\( \text{O}_3 + \text{H}_2 \xrightarrow{\text{(240 - 360 nm)}} \text{O}_2 + \text{O} \)
• ઑક્સિજન પરમાણુ \( (\text{O}) \) ઓઝોન \( (\text{O}_3) \) મુક્તમૂલક સાથે પ્રતિક્રિયા કરે છે.
\( \text{O}_3 + \text{O} \rightarrow 2\text{O}_2 \)
\( 2\text{O}_3 \rightarrow 3\text{O}_2 \)
• તેથી, આ પ્રક્રિયાઓ દરમિયાન એક સંતુલન સ્થપાય છે, જ્યાં ઓઝોનનું વિઘટન અને ઓઝોનનું નિર્માણ સમાન દરે થાય છે, જેના કારણે ઓઝોનની સાંદ્રતા સ્થિર રહે છે.
In simple words: Even though ozone is heavier than air, its layer is found high up because it's constantly being made and broken down in the stratosphere. UV light causes ozone to break, and oxygen atoms react with ozone to form oxygen molecules. This balance keeps the ozone concentration stable in the stratosphere, away from the Earth's surface.

Exam Tip: Explain the dynamic equilibrium of ozone formation and destruction in the stratosphere, emphasizing how it maintains a stable ozone layer at higher altitudes despite ozone's molecular weight.

 

Question 4. જલીયજીવન માટે પાણીમાં ઓગળેલો ઑક્સિજન વાયુ ખૂબ જ અગત્યનો છે. પાણીમાં ઓગળેલા ઑક્સિજનની માત્રામાં ઘટાડા માટે કઈ પ્રક્રિયાઓ જવાબદાર છે ?
Answer: પાણીમાં ઓગળેલા ઑક્સિજનની માત્રામાં ઘટાડા માટે નીચેની પ્રક્રિયાઓ જવાબદાર છે:
• ફોસ્ફેટ અને નાઇટ્રેટવાળા ખાતરોનો ઉપયોગ, ડિટર્જન્ટ, માનવીય કચરાનો નિકાલ અને ખાદ્ય તથા કાગળ મિલોમાંથી આવતો કાર્બનિક કચરો પાણીમાં ભળવાથી ઓગળેલા ઑક્સિજનનું પ્રમાણ ઘટાડે છે.
• સૂક્ષ્મજીવાણુઓ કાર્બનિક પદાર્થોના વિઘટન માટે પણ પાણીમાંના ઑક્સિજનનો ઉપયોગ કરે છે. રાત્રિના સમયે પ્રકાશસંશ્લેષણ થતું નથી પરંતુ વનસ્પતિઓ શ્વાસ લેવાની ક્રિયા ચાલુ રાખે છે. આના પરિણામે પાણીમાં ઓગળેલા ઑક્સિજનનું પ્રમાણ ઘટી જાય છે.
In simple words: The amount of oxygen in water decreases due to things like phosphate and nitrate fertilizers, detergents, human waste, and organic waste from factories. Microorganisms use up dissolved oxygen to break down organic matter, and plants use oxygen at night when photosynthesis stops, further reducing its level.

Exam Tip: List the main sources of organic pollution and explain how microbial decomposition and plant respiration at night contribute to the reduction of dissolved oxygen.

 

Question 5. રાસાયણિક પ્રક્રિયાઓને આધારે ક્લોરોફ્લોરો કાર્બન (CFC) દ્વારા સમતાપ આવરણમાં થતું ઓઝોન સ્તરનું ક્ષયન સમજાવો.
Answer: ક્લોરોફ્લોરોકાર્બન (CFCs) દ્વારા સમતાપ આવરણમાં ઓઝોન સ્તરનો ઘટાડો નીચે મુજબ થાય છે:
• એરોસોલ અને રેફ્રિજરેટરમાં પ્રોપેલન્ટ અથવા શીતક તરીકે વપરાતા CFCs વાતાવરણમાં મુક્ત થાય છે. તેનો ઉપયોગ સોલવન્ટ તરીકે પણ થાય છે.
• CFCs ઘણા લાંબા સમય સુધી વાતાવરણમાં રહે છે અને સ્ટ્રેટોસ્ફિયરના ઉપરના સ્તરો સુધી પહોંચે છે. ત્યાં, સૂર્યપ્રકાશના પારજાંબલી કિરણોની હાજરીમાં તે વિઘટિત થાય છે અને ક્લોરિન પરમાણુ અથવા મુક્તમૂલક ઉત્પન્ન કરે છે.
\( \text{CF}_2\text{Cl}_2\text{(g)} \xrightarrow{\text{UV}} \text{CF}_2\text{Cl(g)} + \text{Cl(g)} \)
• આ સક્રિય ક્લોરિન પરમાણુ ઓઝોન સ્તરને નુકસાન પહોંચાડે છે.
\( \text{Cl(g)} + \text{O}_3\text{(g)} \rightarrow \text{ClO(g)} + \text{O}_2\text{(g)} \)
\( \text{ClO(g)} + \text{O(g)} \rightarrow \text{Cl(g)} + \text{O}_2\text{(g)} \)
• એવું નોંધવામાં આવ્યું છે કે CFC નો એક જ અણુ 1000 ઓઝોન અણુઓનો નાશ કરી શકે છે.
In simple words: CFCs, used in aerosols and refrigerators, travel to the stratosphere. There, UV light breaks them down, releasing chlorine atoms. These chlorine atoms then react with ozone, destroying it and forming oxygen molecules. A single CFC molecule can destroy many ozone molecules.

Exam Tip: Explain the multi-step chain reaction involving CFCs and ozone, highlighting the role of UV radiation in breaking down CFCs and the catalytic destruction of ozone by chlorine radicals.

 

Question 6. શહેરમાં ઔધોગિક અને ઘરેલું ઘન કચરાનું અયોગ્ય સંચાલનથી કઈ હાનિકારક અસરો ઉદ્ભવે છે ?
Answer: શહેરોમાં ઔદ્યોગિક અને ઘરના કચરાનું યોગ્ય રીતે વ્યવસ્થાપન ન થવાથી નીચેની નુકસાનકારક અસરો થાય છે:
• ઔદ્યોગિક અને સામાન્ય ઘન કચરો બે મુખ્ય પ્રકારનો હોય છે:
1. જૈવવિઘટનીય (બાયોડિગ્રેડેબલ)
2. જૈવઅવિઘટનીય (નોન-બાયોડિગ્રેડેબલ)
• જો આ કચરાનો યોગ્ય રીતે નિકાલ કરવામાં ન આવે, તો પશુઓ તેને ખાઈ શકે છે. ખાસ કરીને પ્લાસ્ટિક જેવો જૈવઅવિઘટનીય કચરો ખાવાથી પશુઓનું મૃત્યુ પણ થઈ શકે છે.
In simple words: Bad management of city and industrial waste causes problems. Waste is either biodegradable or non-biodegradable. If not disposed of properly, animals might eat non-biodegradable waste like plastic, which can kill them.

Exam Tip: Classify solid waste into biodegradable and non-biodegradable categories and discuss the environmental and health impacts of improper disposal, especially on animals.

 

Question 7. શૈક્ષણિક પ્રવાસ દરમિયાન વનસ્પતિ વિજ્ઞાનના વિધાર્થીએ એક સુંદર તળાવ એક ગામમાં જોયું. એ વિસ્તારના ઘણા છોડ તે વિધાર્થીએ એકઠા કર્યા. તેણે જોયું કે ગ્રામવાસીઓ તળાવ નજીક કપડાં ધોતા હતા અને કેટલાક નકામો ઘરગથ્થુ કચરો તળાવની સુંદરતા બગાડી રહ્યાં હતાં. થોડા વર્ષો બાદ તેણે તે જ તળાવની ફરીથી મુલાકાત લીધી. તે એ જોઈ ખૂબ જ આશ્ચર્યચકિત થયો કે તળાવ આખું લીલથી ભરાઈ ગયું હતું. અણગમતી વાસ આવતી હતી અને તેનું પાણી ઉપયોગમાં લેવા લાયક ન હતું. આ તળાવની પરિસ્થિતિનાં કારણોની ચર્ચા કરો.
Answer: તળાવની આ સ્થિતિ માટે સુપોષણ (યુટ્રોફિકેશન) પ્રક્રિયા જવાબદાર છે. સામાન્ય કચરો અને ડિટર્જન્ટ જેવા કાર્બનિક પદાર્થો જળચર વનસ્પતિઓ અને શેવાળના વિકાસ માટે પોષક તત્ત્વો પૂરા પાડે છે. આનાથી શેવાળની અતિશય વૃદ્ધિ થાય છે.
શેવાળ અને કાર્બનિક કચરાનું બેક્ટેરિયા દ્વારા વિઘટન થાય છે. આ પ્રક્રિયા દરમિયાન ખરાબ વાસ આવે છે અને તળાવની સુંદરતા બગડે છે. આ વિઘટનથી પાણીમાં ઑક્સિજનનો ઘટાડો થાય છે, જેનાથી તળાવનું પાણી ઉપયોગી રહેતું નથી.
In simple words: The pond became polluted due to eutrophication. Organic waste and detergents provided nutrients, causing too much algae to grow. Bacteria then broke down the algae and waste, creating a bad smell and making the water look ugly. This process also reduced oxygen in the water.

Exam Tip: When analyzing environmental changes in a case study, identify the pollutants, explain their impact (eutrophication, oxygen depletion), and describe the resulting visible effects.

 

Question 8. જૈવ-વિઘટનીય અને જૈવ-અવિઘટનીય પ્રદૂષકો એટલે શું?
Answer: જૈવ-વિઘટનીય અને જૈવ-અવિઘટનીય પ્રદૂષકો નીચે મુજબ છે:
• જૈવ-વિઘટનીય પ્રદૂષકો (બાયોડિગ્રેડેબલ પોલ્યુટન્ટ્સ) એવા પદાર્થો છે જે બેક્ટેરિયા અને સૂક્ષ્મજીવાણુઓ દ્વારા કુદરતી રીતે વિઘટિત થઈ શકે છે. ઉદાહરણ તરીકે, ગટરનો કચરો, ગાયનું છાણ, ફળો અને શાકભાજી વગેરે.
• જૈવ-અવિઘટનીય પ્રદૂષકો (નોન-બાયોડિગ્રેડેબલ પોલ્યુટન્ટ્સ) એવા પદાર્થો છે જે બેક્ટેરિયા દ્વારા વિઘટિત થઈ શકતા નથી. ઉદાહરણ તરીકે, પારો, ઍલ્યુમિનિયમ, કોપર, લીડ, ડીડીટી વગેરે.
In simple words: Biodegradable pollutants can be broken down by bacteria, like sewage or fruit peels. Non-biodegradable pollutants, such as mercury or DDT, cannot be broken down by nature.

Exam Tip: Provide clear definitions for biodegradable and non-biodegradable pollutants, along with common examples for each category.

 

Question 9. પાણીમાં ઓગળેલા ઑક્સિજનના સ્રોત કયા કયા છે ?
Answer: પાણીમાં દ્રાવ્ય ઑક્સિજનનાં સ્ત્રોત નીચે મુજબ છે :
1. જળચર વનસ્પતિઓ દ્વારા થતું પ્રકાશસંશ્લેષણ.
2. પાણીની સપાટી સીધી હવાના સંપર્કમાં આવવાથી (કુદરતી રીતે હવા ભળવાથી).
3. યાંત્રિક વાયુમિશ્રણ (એટલે ​​કે મશીન દ્વારા હવામાં ઑક્સિજન ઉમેરવો).
In simple words: Water gets its oxygen from three main places: plants in the water making oxygen through photosynthesis, air mixing directly with the water's surface, and artificial methods like aeration.

Exam Tip: List and briefly explain the natural and artificial sources that contribute to the dissolved oxygen content in water bodies.

 

Question 10. જળસ્રોતમાં BODના માપનનું મહત્ત્વ શું છે ?
Answer: જૈવ-રાસાયણિક ઑક્સિજન જરૂરિયાત (BOD) જળ પ્રદૂષણને માપવા માટેનું એક મહત્વનું ધોરણ છે. જૈવવિઘટનીય પ્રદૂષકોનું બેક્ટેરિયા દ્વારા વિઘટન થાય છે, અને આ પ્રક્રિયામાં તેઓ પાણીમાંના ઓગળેલા ઑક્સિજનનો ઉપયોગ કરે છે. BOD નું ઓછું મૂલ્ય સૂચવે છે કે પાણીમાં જૈવવિઘટનીય પદાર્થો ઓછા પ્રમાણમાં છે, જે પાણીની સ્વચ્છતા દર્શાવે છે.
In simple words: BOD is important because it measures how polluted water is. It shows how much oxygen bacteria need to break down biodegradable pollutants. A low BOD means the water is cleaner and has fewer pollutants.

Exam Tip: Define BOD and explain its significance as an indicator of organic pollution in water, linking low BOD values to cleaner water.

 

Question 11. શા માટે લીલના વધુ પડતા વિકાસને કારણે લીલથી ઢંકાયેલું પાણી પ્રદૂષિત થાય છે ?
Answer: ખાતરોનો વધુ પડતો ઉપયોગ કરવાથી ફોસ્ફેટ આયન આજુબાજુના પાણીમાં ભળી જાય છે. આ ફોસ્ફેટ આયન શેવાળના અતિશય વિકાસ માટે જવાબદાર છે. જ્યારે આ શેવાળનું વિઘટન થાય છે, ત્યારે તેમાંથી ખરાબ વાસ આવે છે અને પાણીનો દેખાવ બગડે છે. આ કારણે પાણી તરવા કે બોટિંગ જેવી પ્રવૃત્તિઓ માટે યોગ્ય રહેતું નથી. ઉપરાંત, પાણીમાં ઓગળેલા ઑક્સિજનનો ઘટાડો માછલીઓ અને અન્ય જળચર જીવો માટે પણ હાનિકારક છે, જેનાથી તેઓ મરી શકે છે.
In simple words: Too much fertilizer in water leads to a lot of algae growing. When this algae dies and breaks down, it smells bad and makes the water look ugly. This process uses up oxygen in the water, which harms fish and other aquatic animals.

Exam Tip: Explain how excess nutrients from fertilizers cause algal blooms, leading to decomposition, bad odor, aesthetic damage, and critically, oxygen depletion detrimental to aquatic life.

 

Question 12. ગામમાં એક ફેક્ટરી શરૂ થઈ અચાનક જ ગ્રામવાસીઓને અણગમતી વાસનો અનુભવ થયો. ત્યારબાદ _______________, ખાવો, છાતીમાં દુખાવો, ગળામાં શુષ્કતા તથા શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદો કરવા માંડ્યા. ગ્રામવાસીઓએ ફેકટરીની ચીમનીમાંથી નીકળતાં ઘટકોને આ માટે જવાબદાર ગણ્યા. આ બાબતમાં શું થયું હશે ? તે સમજાવો તથા તમારી સમજૂતીને સમર્થન આપતી રાસાયણિક પ્રક્રિયાઓ લખો.
Answer: ગામમાં અણગમતી વાસ અને સ્વાસ્થ્ય સમસ્યાઓ સૂચવે છે કે ફેક્ટરીની ચીમનીમાંથી નાઇટ્રોજન ઑક્સાઇડ અને સલ્ફર ઑક્સાઇડ ગેસ બહાર નીકળી રહ્યા છે. આ વાયુઓ ગેસોલિન, કોલસો અને કુદરતી ગેસ જેવા ઇંધણના દહનથી ઉત્પન્ન થાય છે.
• ઑટોમોબાઇલ એન્જિનમાં જ્યારે ઇંધણનું દહન ઊંચા તાપમાને થાય છે, ત્યારે નાઇટ્રોજન અને ઑક્સિજન ગેસ ભેગા મળીને નાઇટ્રિક ઑક્સાઇડ \( (\text{NO}) \) બનાવે છે.
\( \text{N}_2 + \text{O}_2 \xrightarrow{1483 K} 2\text{NO} \)
\( 2\text{NO} + \text{O}_2 \xrightarrow{1483 K} 2\text{NO}_2 \)
• સલ્ફરવાળા ઇંધણના દહનથી અથવા આયર્ન કોપર પાઇરાઇટ્સ જેવી સલ્ફાઇડવાળી કાચી ધાતુને ગરમ કરવાથી \( \text{SO}_2 \) ગેસ બને છે.
\( \text{Cu}_2\text{S} + \text{O}_2 \rightarrow 2\text{Cu} + \text{SO}_2 \)
In simple words: The bad smell and health issues point to the factory releasing nitrogen oxides and sulfur oxides. These gases come from burning fuels like gasoline and coal. At high temperatures in engines, nitrogen and oxygen form NO and then \( \text{NO}_2 \). Also, burning sulfur-rich fuels or processing sulfide ores releases \( \text{SO}_2 \).

Exam Tip: Identify the key pollutants (\( \text{NO}_x \), \( \text{SO}_x \)) from industrial and vehicular emissions, and provide the relevant chemical reactions for their formation.

 

Question 13. \( \text{SO}_2 \) નું \( \text{SO}_3 \) માં ઑક્સિડેશન ઉદ્દીપકની ગેરહાજરીમાં ખૂબ જ ધીમી પ્રક્રિયા છે. છતાં વાતાવરણમાં આ પ્રક્રિયા ખૂબ જ સરળતાથી થાય છે. સમજાવો આ કઈ રીતે થાય છે ? અને \( \text{SO}_2 \) નું \( \text{SO}_3 \) માં રૂપાંતર થવા માટેની રાસાયણિક પ્રક્રિયાનાં સમીકરણો આપો.
Answer: વાતાવરણમાં \( \text{SO}_2 \) નું \( \text{SO}_3 \) માં રૂપાંતર ઉદ્દીપક વિના પણ સરળતાથી થાય છે:
• \( \text{SO}_2 \) નું \( \text{SO}_3 \) માં રૂપાંતર પ્રકાશરાસાયણિક પ્રક્રિયા દ્વારા અથવા બિન-પ્રકાશરાસાયણિક રીતે થાય છે. \( \text{SO}_2 \) ના અણુઓ પારજાંબલી પ્રકાશની નજીક ઓઝોન સાથે પ્રકાશરાસાયણિક પ્રતિક્રિયા કરે છે.
\( \text{SO}_2 + \text{O}_3 \xrightarrow{\text{hv}} \text{SO}_3 + \text{O}_2 \)
\( 2\text{SO}_2 + \text{O}_2 \xrightarrow{\text{hv}} 2\text{SO}_3 \)
• ધૂળના રજકણોની હાજરીમાં, \( \text{SO}_2 \) ગેસ ઑક્સિજન અણુઓ સાથે પ્રતિક્રિયા કરીને બિન-પ્રકાશરાસાયણિક રીતે \( \text{SO}_3 \) માં પરિવર્તિત થાય છે.
\( 2\text{SO}_2 + \text{O}_2 \xrightarrow{\text{અણુ}} 2\text{SO}_3 \)
In simple words: \( \text{SO}_2 \) changes into \( \text{SO}_3 \) in the air, even without a catalyst. This happens either with sunlight (photochemically), where \( \text{SO}_2 \) reacts with ozone, or without sunlight (non-photochemically) in the presence of dust particles, where \( \text{SO}_2 \) reacts with oxygen.

Exam Tip: Explain both photochemical and non-photochemical oxidation pathways for \( \text{SO}_2 \) to \( \text{SO}_3 \) in the atmosphere, including the role of ozone and particulate matter.

 

Question 14. પ્રકાશરાસાયણિક ધૂમ્ર-ધુમ્મસમાં ઓઝોન ક્યાંથી દાખલ થાય છે ?
Answer: પ્રકાશરાસાયણિક ધૂમ્ર-ધુમ્મસમાં ઓઝોન નીચે મુજબ બને છે:
• સૂર્યપ્રકાશની હાજરીમાં, નાઇટ્રોજન ડાયૉક્સાઇડ \( (\text{NO}_2) \) પ્રકાશરાસાયણિક રીતે વિઘટિત થઈને નાઇટ્રિક ઑક્સાઇડ \( (\text{NO}) \) અને પરમાણુ ઑક્સિજન \( (\text{O}) \) ઉત્પન્ન કરે છે.
\( \text{NO}_2 \xrightarrow{\text{hv}} \text{NO} + \text{[O]} \)
• પરમાણુ ઑક્સિજન ખૂબ જ સક્રિય હોવાથી તે દ્વિપરમાણ્વીય ઑક્સિજન \( (\text{O}_2) \) સાથે પ્રતિક્રિયા કરીને ઓઝોન \( (\text{O}_3) \) બનાવે છે.
\( \text{O}_2 + \text{O} + \text{M} \rightarrow \text{O}_3 + \text{M} \)
• અહીં, \( \text{M} \) એ નાઇટ્રોજન જેવો નિષ્ક્રિય ગેસ છે. આ ઓઝોન ધૂમ્ર-ધુમ્મસના નિર્માણમાં બને છે.
In simple words: In photochemical smog, ozone is formed when nitrogen dioxide breaks down with sunlight into NO and an oxygen atom. This oxygen atom then quickly reacts with an oxygen molecule in the air to create ozone, with another molecule (M) helping the reaction.

Exam Tip: Describe the two-step process of ozone formation in photochemical smog, starting with \( \text{NO}_2 \) photolysis and ending with the combination of atomic oxygen and molecular oxygen.

 

Question 15. સમતાપ આવરણમાં ઓઝોન કઈ રીતે બને છે ?
Answer: સમતાપ આવરણમાં ઓઝોન નીચે મુજબ રચાય છે:
સમતાપ આવરણમાં ઓઝોન \( (\text{O}_3) \) એ ડાયઑક્સિજન \( (\text{O}_2) \) પર પારજાંબલી \( (\text{UV}) \) કિરણોની અસરથી બને છે. \( \text{UV} \) કિરણો ઑક્સિજન ગેસના અણુઓને ઑક્સિજન પરમાણુઓમાં વિભાજિત કરે છે. આ ઑક્સિજન પરમાણુઓ પછી અન્ય ઑક્સિજન અણુઓ સાથે પ્રતિક્રિયા કરીને ઓઝોન બનાવે છે.
\( \text{O}_2\text{(g)} \xrightarrow{\text{UV પારજાંબલી પ્રકાશ}} \text{O} + \text{O} \)
\( \text{O}_2\text{(g)} + \text{O(g)} \xrightarrow{\text{UV વિકિરણ}} \text{O}_3 \)
નોંધ: સમતાપ આવરણમાં 180 nm થી 240 nm ની તરંગલંબાઈવાળા ફોટોન \( \text{O}_2 \) અણુને તોડીને \( \text{O}_2 \) પરમાણુમાં બદલી નાખે છે.
In simple words: Ozone forms in the stratosphere when UV radiation breaks down oxygen molecules into individual oxygen atoms. These free oxygen atoms then join with other oxygen molecules to create ozone.

Exam Tip: Explain the role of UV radiation in the formation of stratospheric ozone from oxygen molecules, showing the two key steps in the process.

 

Question 16. ઓઝોન વાયુ હવા કરતાં ભારે છે છતાં પૃથ્વીની નજીક ઓઝોન સ્તર ગોઠવાતું નથી. શા માટે ?
Answer: ઓઝોન વાયુ હવા કરતાં ભારે હોવા છતાં, તે પૃથ્વીની નજીક એક સ્તર તરીકે ગોઠવાતો નથી કારણ કે સમતાપ આવરણમાં ઓઝોનનું સતત નિર્માણ અને વિઘટન થતું રહે છે.
• સમતાપ આવરણમાં ઓઝોન વાયુ સતત બને છે અને 240 થી 360 nm તરંગલંબાઈવાળા UV-વિકિરણની હાજરીમાં તેનું વિઘટન પણ થાય છે.
\( \text{O}_3 + \text{H}_2 \xrightarrow{\text{(240 - 360 nm)}} \text{O}_2 + \text{O} \)
• ઑક્સિજન પરમાણુ \( (\text{O}) \) ઓઝોન \( (\text{O}_3) \) મુક્તમૂલક સાથે પ્રતિક્રિયા કરે છે.
\( \text{O}_3 + \text{O} \rightarrow 2\text{O}_2 \)
\( 2\text{O}_3 \rightarrow 3\text{O}_2 \)
• તેથી, આ પ્રક્રિયાઓ દરમિયાન એક સંતુલન સ્થપાય છે, જ્યાં ઓઝોનનું વિઘટન અને ઓઝોનનું નિર્માણ સમાન દરે થાય છે, જેના કારણે ઓઝોનની સાંદ્રતા સ્થિર રહે છે.
In simple words: Even though ozone is heavier than air, its layer is found high up because it's constantly being made and broken down in the stratosphere. UV light causes ozone to break, and oxygen atoms react with ozone to form oxygen molecules. This balance keeps the ozone concentration stable in the stratosphere, away from the Earth's surface.

Exam Tip: Explain the dynamic equilibrium of ozone formation and destruction in the stratosphere, emphasizing how it maintains a stable ozone layer at higher altitudes despite ozone's molecular weight.

 

Question 17. થોડા સમય પહેલાં ઍન્ટાટિકાની ઉપર ધ્રુવીય સમતાપી વાદળોની રચના થઈ હતી તેમ નોંધ્યું છે. શા માટે તેની રચના થઈ ? સૂર્યપ્રકાશની ગરમીથી આવા વાદળો તૂટતા શું થશે ?
Answer: ધ્રુવીય સમતાપી વાદળોની રચના અને તેમની અસર નીચે મુજબ છે:
ઉનાળા દરમિયાન, નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને મિથેન ક્લોરિન મોનોક્સાઇડ અને ક્લોરિન સાથે પ્રતિક્રિયા કરીને ક્લોરિનયુક્ત ઉત્પાદનો બનાવે છે. આ પ્રતિક્રિયાઓ ઓઝોનના ઘટાડાને મોટા પ્રમાણમાં અટકાવે છે. જોકે, શિયાળામાં એન્ટાર્કટિકા ઉપર એક ખાસ પ્રકારના વાદળો બને છે, જેને ધ્રુવીય સમતાપી વાદળો કહેવાય છે.
• આ વાદળો એવી સપાટી પૂરી પાડે છે જેના પર ક્લોરિન નાઇટ્રેટ જળવિઘટન દ્વારા હાઇપોક્લોરસ ઍસિડ બનાવે છે. તે હાઇડ્રોજન ક્લોરાઇડ સાથે પણ પ્રતિક્રિયા કરીને ક્લોરિન અણુ બનાવે છે.
\( \text{ClO(g)} + \text{NO}_2\text{(g)} \rightarrow \text{CIONO}_2\text{(g)} \) (ક્લોરિન નાઇટ્રેટ)
\( \text{Cl(g)} + \text{CH}_4\text{(g)} \rightarrow \text{CH}_3\text{(g)} + \text{HCl(g)} \)
\( \text{CIONO}_2\text{(g)}+\text{H}_2\text{O(g)} \xrightarrow{\text{હાઇડ્રોલિસિસ}} \text{HOCl(g)}+\text{HNO}_3\text{(g)} \)
\( \text{CIONO}_2\text{(g)} + \text{HCl(g)} \rightarrow \text{Cl}_2\text{(g)} + \text{HNO}_3\text{(g)} \)
• જ્યારે વસંતઋતુમાં એન્ટાર્કટિકા ઉપર સૂર્યપ્રકાશ પાછો આવે છે, ત્યારે સૂર્યની ગરમી આ વાદળોને તોડી નાખે છે. સૂર્યપ્રકાશ દ્વારા \( \text{HOCl} \) અને \( \text{Cl}_2 \) નું પ્રકાશ-વિભાજન થાય છે.
\( \text{HOCl(g)} \xrightarrow{\text{hv}} \text{OH(g)} + \text{Cl(g)} \)
\( \text{Cl}_2\text{(g)} \xrightarrow{\text{hv}} 2\text{Cl(g)} \)
• આમ, ક્લોરિન મુક્તમૂલક બને છે અને ઓઝોનના ઘટાડા માટેની શૃંખલા પ્રતિક્રિયા શરૂ થાય છે.
In simple words: Polar stratospheric clouds form over Antarctica in winter. These clouds provide surfaces where chemical reactions occur, converting less reactive chlorine compounds into more reactive forms like \( \text{Cl}_2 \) and HOCl. When spring sunlight returns, these clouds break up. UV light then breaks down \( \text{Cl}_2 \) and HOCl, releasing chlorine atoms, which then start a chain reaction that destroys ozone.

Exam Tip: Explain the conditions for the formation of polar stratospheric clouds (PSCs) and the subsequent chemical reactions on their surfaces that lead to the release of ozone-depleting chlorine radicals when sunlight returns in spring.

 

Question 18. એક વ્યક્તિ મહાનગરપાલિકા દ્વારા પૂરા પડાતું પાણી ઉપયોગમાં લે છે. પાણીની અછતને કારણે તે ભૂગર્ભ જળનો ઉપયોગ કરે છે. તેને વિરેચક અસર અનુભવાય છે. તેનું કારણ શું હશે ?
Answer: જો પીવાના પાણીમાં સલ્ફેટનું પ્રમાણ 500 ppm કરતાં વધુ હોય, તો વ્યક્તિને વિરેચક અસર \( (\text{Laxative effect}) \) અનુભવાઈ શકે છે. સલ્ફેટનું સામાન્ય પ્રમાણ નુકસાનકારક નથી.
In simple words: The person might experience a laxative effect because the drinking water contains more than 500 ppm of sulfates. High sulfate levels in water can cause digestive issues.

Exam Tip: Remember that high concentrations of sulfates in drinking water can cause a laxative effect.

Match The Following Type Questions

 

Question 1. કૉલમ – Iનાં પદોને કૉલમ – IIનાં સંયોજનો સાથે યોગ્ય રીતે જોડો :

Column I (Issue/Effect)Column II (Cause/Compound)
(A) ઍસિડ વર્ષા(1) \( \text{CHCl}_2 - \text{CHF}_2 \)
(B) પ્રકાશરાસાયણિક ધૂમ્ર-ધુમ્મસ(2) CO
(C) હીમોગ્લોબિન સાથે સંયોજાય(3) \( \text{CO}_2 \)
(D) ઓઝોન-સ્તર ક્ષયન(4) \( \text{SO}_2 \)
(5) અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન
Answer:
(A) ઍસિડ વર્ષા: (3) \( \text{CO}_2 \), (4) \( \text{SO}_2 \). ઍસિડ વર્ષા કાર્બનના ઑક્સાઇડ્સ (\( \text{CO}_2 \)), સલ્ફર ઑક્સાઇડ્સ (\( \text{SO}_2 \)), અને નાઇટ્રોજન ઑક્સાઇડ્સ જેવા વાયુઓને કારણે થાય છે.
(B) પ્રકાશરાસાયણિક ધૂમ્ર-ધુમ્મસ: (5) અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન, (4) \( \text{SO}_2 \). પ્રકાશરાસાયણિક ધૂમ્ર-ધુમ્મસ ન બળેલા ઇંધણ (અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન) અને સલ્ફર ડાયોક્સાઇડ (\( \text{SO}_2 \)) ને કારણે બને છે.
(C) હીમોગ્લોબિન સાથે સંયોજાય: (2) CO. કાર્બન મોનોક્સાઇડ (\( \text{CO} \)) હીમોગ્લોબિન સાથે જોડાઈને ઝેરી અસર ઉત્પન્ન કરે છે.
(D) ઓઝોન-સ્તર ક્ષયન: (1) \( \text{CHCl}_2 - \text{CHF}_2 \). ઓઝોન સ્તરનું ઘસારા ક્લોરોફ્લોરોકાર્બન (\( \text{CHCl}_2 - \text{CHF}_2 \)) જેવા સંયોજનો દ્વારા થાય છે.
In simple words: Acid rain is caused by \( \text{CO}_2 \) and \( \text{SO}_2 \). Photochemical smog is caused by unburnt hydrocarbons and \( \text{SO}_2 \). Carbon monoxide (CO) is dangerous because it combines with hemoglobin. Ozone layer depletion is caused by CFCs like \( \text{CHCl}_2 - \text{CHF}_2 \).

Exam Tip: For matching questions, understand the core relationship between each environmental issue/effect and its primary cause or responsible chemical compound.

 

Question 2. કોલમ – । (પ્રદૂષક) કોલમ – II (અસર) સાથે યોગ્ય રીતે જોડો :
કોલમ – । (પ્રદૂષક)
(A) સલ્ફર ડાયોક્સાઇડ
(B) નાઇટ્રોજન ડાયોક્સાઇડ
(C) કાર્બન ડાયોક્સાઇડ
(D) પીવાના પાણીમાં નાઇટ્રેટ
(E) લૅડ
કોલમ – II (અસર)
(1) ગ્લોબલ વૉર્મિંગ
(2) કિડનીને નુકસાન
(3) ‘બ્લૂબેબી' રોગ
(4) શ્વાસને લગતા રોગો
(5) ગીચ અને ટ્રાફિકવાળા વિસ્તારોમાં લાલ ઝાકળ
Answer:
(A) સલ્ફર ડાયૉક્સાઇડની ઓછી માત્રાને કારણે શ્વાસને લગતા રોગો થાય છે. દા.ત., અસ્થમા.
(B) ગીચ અને ટ્રાફિકવાળા વિસ્તારોમાં લાલ ઝાકળ તે નાઇટ્રોજનના ડાયૉક્સાઇડને કારણે હોય છે.
(C) વાતાવરણમાં વધતું જતું \( CO_2 \)નું પ્રમાણ એ ગ્લોબલ વૉર્મિંગ માટે જવાબદાર છે.
(D) પીવાના પાણીમાં નાઇટ્રેટનું વધુ પડતું પ્રમાણ મિથેનો- ગ્લોબિનેમિયા (બ્લુબેબી) રોગ માટે કારણભૂત છે.
(E) લૅડ એ કિડનીને નુકસાન કરી શકે છે.
In simple words: પ્રદૂષકોને તેમની અસરો સાથે જોડો: સલ્ફર ડાયોક્સાઇડ શ્વાસ સંબંધિત રોગો કરે છે. નાઇટ્રોજન ડાયોક્સાઇડ ગીચ વિસ્તારોમાં લાલ ધુમ્મસ બનાવે છે. કાર્બન ડાયોક્સાઇડ વૈશ્વિક તાપમાનમાં વધારો કરે છે. પીવાના પાણીમાં નાઇટ્રેટ 'બ્લુ બેબી' રોગનું કારણ છે. લૅડ કિડનીને નુકસાન પહોંચાડે છે.

Exam Tip: પ્રદૂષકો અને તેમની અસરોને બરાબર સમજવા માટે, દરેક પ્રદૂષકના મુખ્ય સ્ત્રોતો અને તે કેવી રીતે જીવંત સૃષ્ટિ અને પર્યાવરણને અસર કરે છે તેની યાદી બનાવો.

 

Question 3. કૉલમ – । માં આપેલી પ્રવૃત્તિને કૉલમ – II માં આપેલ પ્રદૂષકના પ્રકાર સાથે યોગ્ય રીતે જોડો :
કોલમ – । (પ્રવૃત્તિ)
(A) સલ્ફરયુક્ત નકામા કચરાના દહનથી ઉદ્ભવતા વાયુને વાતાવરણમાં મુક્ત કરતાં
(B) કાર્લોમેટને કીટનાશક તરીકે ઉપયોગ કરતાં
(C) સાંશ્વેષિત પ્રક્ષાલકોનો ઉપયોગ કપડાં ધોવામાં કરતાં
(D) ઑટોમોબાઇલ અને ફેકટરીઓમાંથી નીકળતાં વાયુઓને વાતાવરણમાં મુક્ત કરતાં
(E) કમ્પ્યૂટરના ભાગોની સફાઈ માટે ક્લોરોફલોરોકાર્બન સંયોજનનો ઉપયોગ કરતાં
કોલમ – II (પ્રદૂષકના પ્રકાર)
(1) જળ-પ્રદૂષણ
(2) પ્રકાશરાસાયણિક ધૂમ્ર-ધુમ્મસ, વનસ્પતિસૃષ્ટિને નુકસાન, બાંધકામ-સામગ્રીનું ક્ષારણ, શ્વસનને લગતી તક્લીફો, જળ-પ્રદૂષણ
(3) ઓઝોન-સ્તરને નુકસાન
(4) માનવીમાં ચેતાતંત્રને લગતા રોગો
(5) પારંપરિક ધૂમ્ર-ધુમ્મસ, એસિડવર્ષા, શ્વસનને લગતી તકલીફો બાંધકામને નુકસાન, ધાતુક્ષારણ
Answer:
(A) સલ્ફરયુક્ત કચરાના દહનથી નીકળતો વાયુ પારંપરિક ધૂમ્ર-ધુમ્મસ, ઍસિડવર્ષા, પાણીનું પ્રદૂષણ, શ્વસનની સમસ્યાઓ, બાંધકામને નુકસાન અને ધાતુઓનું ક્ષારણ જેવા પરિણામો આપે છે.
(B) કાર્બામેટને કીટનાશક તરીકે વાપરવાથી મનુષ્યમાં ચેતાતંત્ર સંબંધિત રોગો થાય છે.
(C) કપડાં ધોવા માટે કૃત્રિમ ડિટર્જન્ટનો ઉપયોગ કરવાથી જળ પ્રદૂષણ થાય છે.
(D) ઑટોમોબાઇલ અને ફેક્ટરીઓમાંથી નીકળતા વાયુઓ પ્રકાશરાસાયણિક ધૂમ્ર-ધુમ્મસ, વનસ્પતિને નુકસાન, બાંધકામના પદાર્થોનું ક્ષારણ, શ્વાસની તકલીફો અને જળ પ્રદૂષણનું કારણ બને છે.
(E) કમ્પ્યુટરના ભાગો સાફ કરવા માટે ક્લોરોફ્લોરોકાર્બન સંયોજનોનો ઉપયોગ ઓઝોન-સ્તરને નુકસાન પહોંચાડે છે.
In simple words: પ્રવૃત્તિઓને પ્રદૂષણના પ્રકારો સાથે જોડો: સલ્ફર કચરો બાળવાથી પારંપરિક ધુમ્મસ, એસિડ વરસાદ અને શ્વાસની સમસ્યા થાય છે. કાર્બામેટ જંતુનાશકો નર્વસ સિસ્ટમના રોગોનું કારણ બને છે. સિન્થેટિક ડિટર્જન્ટ પાણી પ્રદૂષિત કરે છે. વાહન અને ફેક્ટરીના ધુમાડાથી ફોટોકેમિકલ ધુમ્મસ અને છોડને નુકસાન થાય છે. CFC નો ઉપયોગ ઓઝોન સ્તરને નુકસાન પહોંચાડે છે.

Exam Tip: દરેક પ્રદૂષકના સ્ત્રોતો અને તેના કારણે થતી વિવિધ અસરોને સારી રીતે યાદ રાખો. આ પ્રકારના પ્રશ્નોમાં બહુવિધ જોડાણો હોઈ શકે છે.

 

Question 4. કૉલમ – । પ્રદૂષકોને કૉલમ – IIમાં તેની અસરો સાથે યોગ્ય રીતે જોડો :
કોલમ – । (પ્રદૂષકો)
(A) ફોસ્ફેટ ખાતરયુક્ત પાણી
(B) હવામાં મિથેન વાયુ
(C) પાણીમાં સાંશ્વેષિત પ્રક્ષાલક
(D) હવામાં નાઇટ્રોજન ઑક્સાઇડ્સ
કોલમ – II (અસરો)
(1) પાણીમાં BODની માત્રામાં વધારો
(2) એસિડવર્ષા
(3) ગ્લોબલ વૉર્મિંગ
(4) સુપોષણ
Answer:
(A) ફૉસ્ફેટ ખાતર યુક્ત પાણીમાં લીલનો વધારો થાય છે અને તેને કારણે સુપોષણ થાય છે.
(B) હવામાં મિથેન વાયુ ઑક્સિડેશન થઈને \( CO_2 \) બનાવે છે જેને કારણે ગ્લોબલ વૉર્મિંગ થાય છે.
(C) પાણીમાં રહેલ સાંશ્વેષિત પ્રક્ષાલક BOD ની માત્રામાં વધારો કરે છે.
(D) હવામાં નાઇટ્રોજન ઑક્સાઇડ્સ પાણી સાથે મિશ્ર થઈને નાઇટ્રિક ઍસિડ બનાવે (ઍસિડવર્ષા) છે.
In simple words: પ્રદૂષકોને તેમની અસરો સાથે જોડો: ફોસ્ફેટવાળું પાણી સુપોષણ અને BOD માં વધારો કરે છે. હવામાં મિથેન વૈશ્વિક તાપમાનમાં વધારો કરે છે. પાણીમાં ડિટર્જન્ટ BOD માં વધારો કરે છે. હવામાં નાઇટ્રોજન ઑક્સાઇડ્સ એસિડ વરસાદનું કારણ બને છે.

Exam Tip: BOD અને સુપોષણ વચ્ચેનો સંબંધ તેમજ મુખ્ય ગ્રીનહાઉસ વાયુઓ અને એસિડ વર્ષાના કારણોને સમજવું મહત્વપૂર્ણ છે.

V. વિધાન અને કારણ પ્રકારના પ્રશ્નો

 

Question 1. વિધાન, (A) : છોડના વિકાસ માટે બનાવેલા ઘરોમાં ગ્રીનહાઉસ અસર જોવા મળી હતી અને તે લીલાં રંગના કાચમાંથી બનાવેલા હતા. કારણ (R) : લીલાં રંગના કાચથી બનેલા હોવાથી જ ગ્રીનહાઉસ નામ આપવામાં આવ્યું છે.
Answer: (C) વિધાન A અને R બંને ખોટાં છે.
ઠંડા દેશોમાં વનસ્પતિને ઊગવા માટે જરૂરી સૂર્યપ્રકાશ ઓછો હોય છે તેથી વનસ્પતિને એવા કાચના ઘરમાં ઉગાડવામાં આવે છે કે જેથી સૂર્યપ્રકાશ એ ગ્રીનહાઉસમાં આવે તથા જમીન અને છોડને ઉષ્માભર્યા રાખે. હૂંફાળી જમીન અને છોડ પારરક્ત વિકિરણોનું ઉત્સર્જન કરે છે. કાચ એ પારરક્ત કિરણો માટે અર્ધપારદર્શક હોવાથી કેટલાક વિકિરણો શોષાય છે અને કેટલાક વિકિરણો પાછા ફરે છે.
In simple words: ઠંડા પ્રદેશોમાં, છોડને ઉગાડવા માટે કાચના ઘરનો ઉપયોગ થાય છે જેથી સૂર્યપ્રકાશ અંદર આવી શકે અને જમીન ગરમ રહે. ગરમ જમીન અને છોડ ઇન્ફ્રારેડ કિરણો છોડે છે. કાચ ઇન્ફ્રારેડ કિરણો માટે આંશિક રીતે પારદર્શક હોવાથી, તે કેટલાક કિરણોને શોષી લે છે અને કેટલાકને પાછા મોકલે છે.

Exam Tip: ગ્રીનહાઉસનો હેતુ અને ગ્રીનહાઉસ અસરની મૂળભૂત વિભાવના વચ્ચેના તફાવતને સમજો.

 

Question 2. વિધાન (A) : ઍસિડ-વર્ષાની pH 5.6 કરતાં ઓછી હોય છે. કારણ (R) : વાતાવરણમાં રહેલો \( CO_2 \) વરસાદી પાણીમાં ઓગળે છે અને કાર્બોનિક ઍસિડ બનાવે છે.
Answer: (B) વિધાન A અને R બંને સાચાં છે, પરંતુ R એ વિધાન A ની સાચી સમજૂતી નથી.
સામાન્ય રીતે વરસાદનાં પાણીની pH 5.6 જેટલી હોય છે અને તે વાતાવરણનો \( CO_2 \) વરસાદના પાણી સાથે પ્રક્રિયા કરે ત્યારે તે પાણીમાં રહેલા \( H^+ \) ને કારણે હોય છે.
\( H_2O(l) + CO_2(g) \rightarrow H_2CO_3(aq) \)
\( H_2CO_3(aq) \rightleftharpoons H_{(aq)}^{+} + HCO_3(aq) \)
જો વરસાદના પાણીની pH 5.6 કરતાં ઓછી હોય તો તેને ઍસિડવર્ષા કહે છે.
In simple words: સામાન્ય રીતે, વરસાદના પાણીનું pH લગભગ 5.6 હોય છે. આ એટલા માટે થાય છે કારણ કે વાતાવરણમાંનો કાર્બન ડાયોક્સાઇડ વરસાદના પાણી સાથે પ્રતિક્રિયા કરીને હાઇડ્રોજન આયનો બનાવે છે. જો વરસાદના પાણીનું pH 5.6 થી ઓછું હોય, તો તેને એસિડ વરસાદ કહેવાય છે.

Exam Tip: એસિડ વર્ષાની વ્યાખ્યા અને વાતાવરણીય ઘટકો સાથે પાણીની પ્રતિક્રિયાઓ કેવી રીતે pH ને અસર કરે છે તે જાણો.

 

Question 3. વિધાન (A) : પ્રકાશરાસાયણિક ધૂમ્ર-ધુમ્મસનું એ સ્વભાવે ઑક્સિડેશનકર્તા છે. કારણ (R) : પ્રકાશરાસાયણિક ધૂમ્ર-ધુમ્મસ \( NO_2 \) અને \( O_3 \) ધરાવે છે. જે સાંકળ-પ્રક્રિયાને પરિણામે ઉત્પન્ન થાય છે.
Answer: (A) વિધાન A અને R બંને સાચાં છે અને R વિધાન A ની સાચી સમજૂતી છે.
જ્યારે અશ્મિભૂત બળતણનું દહન થાય છે ત્યારે જુદા-જુદા પ્રદૂષકો તેમાંથી નીકળીને પૃથ્વીનાં ટ્રોપોસ્ફિયરમાં ભળે છે. બહાર નીકળતા પ્રદૂષકોમાંના બે હાઇડ્રોકાર્બન (ન બળેલ બળતણ) અને નાઇટ્રિક ઑક્સાઇડ (NO) છે. જ્યારે આ પ્રદૂષકો પૂરતી ઊંચાઈએ જમા થાય છે ત્યારે સૂર્યપ્રકાશ સાથેની તેમની આંતરક્રિયાથી NOનું ઑક્સિડેશન થઈ \( NO_2 \) બને છે. આ \( NO_2 \) સૂર્યપ્રકાશમાંથી મળતી ઊર્જાનું શોષણ કરી નાઇટ્રિક ઑક્સાઇડ અને ઑક્સિજન મુક્તમૂલકમાં વિઘટતિ થાય છે.
In simple words: અશ્મિભૂત ઇંધણ સળગાવવાથી ઘણા પ્રદૂષકો પૃથ્વીના વાતાવરણમાં જાય છે. તેમાં હાઇડ્રોકાર્બન અને નાઇટ્રિક ઑક્સાઇડ હોય છે. સૂર્યપ્રકાશની હાજરીમાં, નાઇટ્રિક ઑક્સાઇડ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ બને છે, જે પછી સૂર્યપ્રકાશથી વિભાજિત થઈને ઑક્સિજન મુક્તમૂલક બનાવે છે.

Exam Tip: પ્રકાશરાસાયણિક ધૂમ્ર-ધુમ્મસની રચના, તેમાં સામેલ રાસાયણિક પ્રક્રિયાઓ અને તેના ઓક્સિડાઇઝિંગ સ્વભાવને સમજો.

 

Question 4. વિધાન (A) : કાર્બન ડાયોક્સાઇડ એક અગત્યનો ગ્રીનહાઉસ વાયુ છે. કારણ (R) : કોલસો અને વનસ્પતિની શ્વસનક્રિયાને કારણે તે પુષ્કળ પ્રમાણમાં ઉત્પન્ન થાય છે.
Answer: (B) વિધાન A અને R બંને સાચાં છે, પરંતુ R એ વિધાન A ની સાચી સમજૂતી નથી.
કાર્બન ડાયૉક્સાઇડ એ એક અગત્યનો ગ્રીનહાઉસ વાયુ છે. તે કોલસો, કુદરતી વાયુ, પેટ્રોલિયમ જેવા અશ્મિભૂત બળતણના દહન દ્વારા ખૂબ જ મોટી માત્રામાં ઉત્પન્ન થાય છે. તે વનસ્પતિ અને પ્રાણીઓની શ્વસનક્રિયા દ્વારા પુષ્કળ પ્રમાણમાં ઉત્પન્ન થાય છે.
In simple words: કાર્બન ડાયોક્સાઇડ એક મહત્વપૂર્ણ ગ્રીનહાઉસ વાયુ છે. તે કોલસો, કુદરતી વાયુ અને પેટ્રોલિયમ જેવા અશ્મિભૂત ઇંધણના દહનથી મોટા પ્રમાણમાં ઉત્પન્ન થાય છે. છોડ અને પ્રાણીઓના શ્વાસ દ્વારા પણ તે પુષ્કળ પ્રમાણમાં બને છે.

Exam Tip: ગ્રીનહાઉસ વાયુઓ અને તેમના વિવિધ સ્ત્રોતો, જેમાં કુદરતી અને માનવસર્જિત બંનેનો સમાવેશ થાય છે, તે વિશે જાણો.

 

Question 5. વિધાન (A) : ઉપલા સમતાપ આવરણમાં સૂર્યકિરણોની હાજરીને લીધે ઓઝોનનું વિઘટન થાય છે. કારણ (R) : ઓઝોન-સ્તર ક્ષયને કારણે UV કિરણોનો વધુ જથ્થો પૃથ્વીની સપાટી સુધી પહોંચે છે.
Answer: (D) વિધાન A ખોટું અને R સાચું છે.
ઓઝોન સ્તર સ્ટેટ્રોસ્ફિયરમાં જોવા મળે છે. ઓઝોન સ્તરનું ક્ષયન (ઓઝોન સ્તરમાં ગાબડાનું નિર્માણ)એ NO (કુદરતી સ્રોત અથવા માનવીય પ્રવૃત્તિ અથવા સુપરસોનિક વિમાન દ્વારા થતા વાયુઓનાં ઉત્સર્જન દ્વારા મળે) અથવા CFC કે જેને ફ્રિઓન (પ્રોપેલન્ટ દ્વારા છંટકાવ અથવા રેફ્રિજરેટર કે જ્યાં તે શીતક તરીકે ઉપયોગી છે) સાથેની પ્રક્રિયાથી થાય છે. આ ઓઝોન સ્તરમાં ગાબડું એ પારજાંબલી વિકિરણોને તેમાંથી પસાર થવા દઈ આપણા સુધી પહોંચાડે છે. જે ચામડીના કૅન્સર માટે જવાબદાર છે.
In simple words: ઓઝોન સ્તર સ્ટ્રેટોસ્ફિયરમાં આવેલું છે. ઓઝોન સ્તરમાં ગાબડાં કુદરતી અથવા માનવીય પ્રવૃત્તિઓથી ઉત્સર્જિત નાઇટ્રિક ઑક્સાઇડ (NO) અથવા CFCs જેવા ફ્રિઓન સાથેની પ્રતિક્રિયાઓને કારણે થાય છે. આ ગાબડાં વધુ યુવી કિરણોને પૃથ્વી સુધી પહોંચવા દે છે, જે ત્વચાના કેન્સરનું કારણ બની શકે છે.

Exam Tip: ઓઝોન સ્તરના નિર્માણ, વિનાશ અને તેની અસરો પર ધ્યાન કેન્દ્રિત કરો, ખાસ કરીને યુવી કિરણોના સંદર્ભમાં.

 

Question 6. વિધાન (A) : કીટનાશકોનો ઉપયોગ જમીન અને જળ-પ્રદૂષણનું કારણ છે. કારણ (R) : આવા કીટનાશકો જૈવ-અવિઘટનીય છે.
Answer: (A) વિધાન A અને R બંને સાચાં છે અને R વિધાન A ની સાચી સમજૂતી છે.
કેટલાક કીટનાશકો, જંતુનાશકો અને નીંદણનાશકો જમીન અને પાણીને પ્રદૂષિત કરે છે જે નોન-બાયોડિગ્રેડેબલ છે.
In simple words: કેટલાક જંતુનાશકો, કીટનાશકો અને નીંદણનાશકો જમીન અને પાણીને પ્રદૂષિત કરે છે કારણ કે તેઓ કુદરતી રીતે વિઘટિત થતા નથી.

Exam Tip: જૈવ-વિઘટનીય અને જૈવ-અવિઘટનીય પદાર્થો વચ્ચેનો તફાવત અને પર્યાવરણ પર તેમની અસરો સમજો.

 

Question 7. વિધાન (A) : જો સંગૃહીત પાણીનું BOD મૂલ્ય 5 ppm કરતાં ઓછું હોય, તો તે ખૂબ જ પ્રદૂષિત પાણી ગણાય. કારણ (R) : BODનું ઊંચું મૂલ્ય અર્થાત્ પાણીમાં બેક્ટેરિયાની નીચી સક્રિયતા
Answer: (C) વિધાન A અને R બંને ખોટાં છે.
પાણીના નિશ્ચિત જથ્થામાં રહેલા કાર્બનિક પદાર્થને તોડવા બૅક્ટેરિયા દ્વારા ઉપયોગમાં લેવાતા ઑક્સિજનના જથ્થાને BOD કહે છે. જો BODનું મૂલ્ય 5 ppm થી ઓછું હોય તો પાણી લગભગ શુદ્ધ છે. ઊંચું BOD મૂલ્ય એટલે બૅક્ટેરિયાની પાણીમાં સક્રિયતા વધુ.
In simple words: BOD એ બેક્ટેરિયા દ્વારા પાણીમાં કાર્બનિક પદાર્થોને તોડવા માટે વપરાતી ઓક્સિજનની માત્રા છે. જો BOD 5 ppm થી ઓછું હોય, તો પાણી સ્વચ્છ ગણાય. વધુ BOD નો અર્થ થાય છે કે પાણીમાં વધુ બેક્ટેરિયલ પ્રવૃત્તિ છે.

Exam Tip: BOD ની વ્યાખ્યા અને સ્વચ્છ તથા પ્રદૂષિત પાણી માટે BOD મૂલ્યોના અર્થઘટનને યાદ રાખો.

VI. દીર્ઘ જવાબી પ્રકારના પ્રશ્નો

 

Question 1. નીચેના માટે હરિયાળું રસાયણવિજ્ઞાન કઈ રીતે લાગુ પાડશો ?
(a) પ્રકાશરાસાયણિક ધૂમ્ર-ધુમ્મસને નિયંત્રિત કરવા.
(b) હેલોજનયુક્ત દ્રાવક ડ્રાયક્લિનિંગમાં તથા બ્લીચિંગ અને ક્લોરિનનો ઉપયોગ ટાળવા.
(c) સાંશ્વેષિત પ્રક્ષાલકોનો ઉપયોગ ઓછો કરવા.
(d) પેટ્રોલ અને ડીઝલના વપરાશને ઓછો કરવા.
Answer:
(a) પ્રકાશરાસાયણિક ધૂમ્ર-ધુમ્મસને નિયંત્રિત કરવા, વાહનોમાં ઉચ્ચ-ગુણવત્તાવાળા ઉત્પ્રેરક કન્વર્ટરનો ઉપયોગ કરવાથી હાનિકારક વાયુઓ બિન-હાનિકારક વાયુઓમાં રૂપાંતરિત થાય છે. વાતાવરણમાં અમુક સંયોજનોનો છંટકાવ કરવાથી મુક્ત રેડિકલ ઉત્પન્ન થાય છે જે ધૂમ્ર-ધુમ્મસ બનાવતા સંયોજનો સાથે જોડાય છે અને તેમની પ્રતિક્રિયાઓ રોકે છે. ડાયઇથાઇલ હાઇડ્રોક્સિલમાઇન જેવા સંયોજનો પ્રકાશરાસાયણિક ધૂમ્ર-ધુમ્મસને રોકવામાં મદદરૂપ છે. કેટલાક વૃક્ષો જેવા કે પાઇન, જ્યુનિપર, પાયરસ અને વિટિસ પણ મદદરૂપ થઈ શકે છે, કારણ કે તેઓ નાઇટ્રોજન ઑક્સાઇડ્સનું ચયાપચય કરી શકે છે.
(b) ડ્રાય ક્લિનિંગમાં ઉપયોગમાં લેવાતા ક્લોરિનયુક્ત સોલવન્ટ્સ સામાન્ય રીતે કાર્સિનોજેનિક હોય છે. આ સોલવન્ટ્સના બદલે, પ્રવાહી કાર્બન ડાયોક્સાઇડ સાથે કામ કરી શકે તેવા સંયોજનો શોધવા જોઈએ. કપડાંને બ્લીચ કરવા માટે, ક્લોરિન આધારિત બ્લીચને બદલે \( H_2O_2 \) નો ઉપયોગ કરવો સારો છે અને તે નુકસાનકારક નથી. અગાઉ કાગળને બ્લીચ કરવા માટે \( Cl_2 \) વાયુનો ઉપયોગ થતો હતો, પરંતુ ક્લોરિન ખૂબ ઝેરી છે. તેના ઉપયોગને યોગ્ય ઉત્પ્રેરકની હાજરીમાં \( H_2O_2 \) દ્વારા બદલવો જોઈએ.
(c) સફાઈ માટે સિન્થેટિક ડિટર્જન્ટનો ઉપયોગ ઘટાડવા માટે, શક્ય હોય ત્યારે વનસ્પતિ તેલમાંથી બનેલા સાબુનો ઉપયોગ કરવો જોઈએ. વનસ્પતિ તેલ જૈવ-વિઘટનીય હોય છે, જ્યારે ઘણા ડિટર્જન્ટ જૈવ-વિઘટનીય હોતા નથી.
(d) પેટ્રોલ અને ડીઝલના બદલે CNG અને LPGનો ઉપયોગ કરવો જોઈએ કારણ કે તે પ્રદૂષણમુક્ત ઇંધણ છે. પેટ્રોલ અને ડીઝલના વિકલ્પો તરીકે હાઇડ્રોજન અને ઇથાઇલ આલ્કોહોલ જેવા અન્ય પદાર્થોનો પણ ઉપયોગ કરી શકાય છે.
In simple words: (a) ફોટોકેમિકલ ધુમ્મસ ઘટાડવા માટે, વાહનોમાં ઉત્પ્રેરક કન્વર્ટરનો ઉપયોગ કરો, હવામાં રસાયણોનો છંટકાવ કરો જે ધુમ્મસ બનાવતી પ્રતિક્રિયાઓને રોકે છે, અને નાઇટ્રોજન ઑક્સાઇડ્સને શોષી લેતા વૃક્ષો વાવો. (b) ડ્રાય ક્લિનિંગ અને બ્લીચિંગમાં ક્લોરિનયુક્ત રસાયણોને બદલે પ્રવાહી કાર્બન ડાયોક્સાઇડ અને હાઇડ્રોજન પેરોક્સાઇડ જેવા સલામત વિકલ્પોનો ઉપયોગ કરો. (c) સફાઈ માટે સિન્થેટિક ડિટર્જન્ટને બદલે વનસ્પતિ તેલમાંથી બનેલા સાબુનો ઉપયોગ કરો, કારણ કે તે ઇકો-ફ્રેન્ડલી છે. (d) પેટ્રોલ અને ડીઝલને બદલે CNG, LPG, હાઇડ્રોજન અથવા ઇથાઇલ આલ્કોહોલ જેવા સ્વચ્છ બળતણનો ઉપયોગ કરો.

Exam Tip: ગ્રીન કેમિસ્ટ્રીના સિદ્ધાંતોને યાદ રાખો અને તેમને વાસ્તવિક-વિશ્વની પ્રદૂષણ સમસ્યાઓના ઉકેલો પર કેવી રીતે લાગુ કરી શકાય છે તે સમજાવો.

 

Question 2. લીલી વનસ્પતિ પ્રકાશસંશ્લેષણમાં \( CO_2 \) ઉપયોગમાં લે છે અને \( O_2 \) વાતાવરણમાં મુક્ત કરે છે. તેમ છતાં \( CO_2 \)ને ગ્રીનહાઉસ અસર માટે જવાબદાર ગણવામાં આવે છે. શા માટે ? સમજાવો.
Answer:
કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાં કુદરતી રીતે હાજર છે અને તે તમામ વનસ્પતિ માટે ખૂબ જ જરૂરી છે. તે વાતાવરણના કદના લગભગ 0.033 % જેટલો ભાગ બનાવે છે. તે પૃથ્વી પર જીવસૃષ્ટિ માટે જરૂરી તાપમાન જાળવવામાં મદદ કરે છે. વાતાવરણમાં \( CO_2 \)નું સ્તર સ્થિર રહે છે, કારણ કે તે શ્વાસ અને અશ્મિભૂત ઇંધણ તેમજ ચૂનાના પથ્થરના દહન દ્વારા મુક્ત થાય છે, જ્યારે વનસ્પતિ પ્રકાશસંશ્લેષણ દરમિયાન તેનો ઉપયોગ કરે છે. જોકે, માનવીય પ્રવૃત્તિઓ આ સંતુલનને ખલેલ પહોંચાડે છે અને વાતાવરણમાં \( CO_2 \)નું સ્તર વધારે છે. આનું કારણ અશ્મિભૂત ઇંધણનો વધુ પડતો ઉપયોગ, જંગલોનો નાશ અને ઔદ્યોગિકીકરણ છે. એવું અનુમાન કરવામાં આવ્યું છે કે છેલ્લી સદીમાં \( CO_2 \)નું પ્રમાણ લગભગ 25% વધ્યું છે. છેલ્લા 120 વર્ષ દરમિયાન પૃથ્વીના તાપમાનમાં આશરે 0.4°C થી 0.8°C નો વધારો જોવા મળ્યો છે. વર્તમાન અંદાજ મુજબ, \( CO_2 \)ની માત્રા બમણી કરવાથી તાપમાનમાં 1.0°C થી 3.5°C જેટલો વધારો થશે. ગ્રીનહાઉસ અસરમાં \( CO_2 \)નો ફાળો લગભગ 50 % છે, જ્યારે અન્ય વાયુઓનો ફાળો પણ 50 % જેટલો છે.
In simple words: કાર્બન ડાયોક્સાઇડ (CO2) વાતાવરણનો કુદરતી ભાગ છે અને છોડ માટે જરૂરી છે, જે પૃથ્વીનું તાપમાન જાળવવામાં મદદ કરે છે. જોકે, માનવ પ્રવૃત્તિઓ જેમ કે અશ્મિભૂત ઇંધણ બાળવું અને જંગલો કાપવાથી CO2નું પ્રમાણ વધ્યું છે, જેના કારણે પૃથ્વીના તાપમાનમાં વધારો થયો છે. CO2 ગ્રીનહાઉસ અસરમાં આશરે 50% ફાળો આપે છે.

Exam Tip: કાર્બન ચક્ર, માનવ પ્રવૃત્તિઓ કેવી રીતે તેને અસંતુલિત કરે છે, અને ગ્રીનહાઉસ અસરમાં \( CO_2 \) ની ભૂમિકા પર ધ્યાન આપો.

 

Question 3. ગ્રીનહાઉસ છે. સમજાવો.
Answer:
સૂર્યમાંથી આવતો દૃશ્યમાન પ્રકાશ પૃથ્વી સુધી પહોંચે છે અને તેને ગરમ કરે છે. જોકે, જ્યારે પૃથ્વી ઠંડી પડે છે ત્યારે, આ ઊર્જા ઇન્ફ્રારેડ કિરણોના સ્વરૂપમાં પૃથ્વીની સપાટીથી બહાર કાઢવામાં આવે છે. આ કિરણોમાં લાંબી તરંગલંબાઈ અને ગરમીની અસર હોય છે. આ ઇન્ફ્રારેડ કિરણો \( CO_2 \) અને પાણીની બાષ્પ દ્વારા શોષાય છે. આ રીતે શોષાયેલી ગરમી પૃથ્વીની સપાટી ઉપર પાછી ફરે છે અને આ રીતે પૃથ્વી ઉપર ગરમીનું પ્રમાણ વધે છે. જો પૃથ્વી પર આવતી સૌર ઊર્જા સતત રહે પણ \( CO_2 \)ની માત્રામાં વધારો થાય તો પૃથ્વી પર પાછી ફરતી ઊર્જા / ગરમીની માત્રામાં પણ વધારો થાય છે. આમ, પૃથ્વીની સપાટી પરનું તાપમાન વધે છે. આમ, ગ્લોબલ વૉર્મિંગ ગ્રીનહાઉસ અસર માટે જવાબદાર વાયુઓની માત્રા ઉપર આધારિત છે.
In simple words: સૂર્યનો પ્રકાશ પૃથ્વીને ગરમ કરે છે. જ્યારે પૃથ્વી ઠંડી પડે છે, ત્યારે તે ઇન્ફ્રારેડ કિરણો છોડે છે. કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની વરાળ આ કિરણોને શોષી લે છે અને તેને પૃથ્વી તરફ પાછા મોકલે છે, જેનાથી પૃથ્વીનું તાપમાન વધે છે. આ પ્રક્રિયા ગ્લોબલ વોર્મિંગનું કારણ બને છે, જે ગ્રીનહાઉસ વાયુઓની માત્રા પર આધાર રાખે છે.

Exam Tip: ગ્રીનહાઉસ અસરની પ્રક્રિયાને સમજો, જેમાં સૂર્યપ્રકાશનું શોષણ, ઇન્ફ્રારેડ ઉત્સર્જન અને ગ્રીનહાઉસ વાયુઓની ભૂમિકાનો સમાવેશ થાય છે.

 

Question 4. ખેડૂત તેના ખેતરમાં કીટનાશકોનો ઉપયોગ કરે છે. તેના ખેતરમાં થતો પાક માછલીઓના ખોરાક તરીકે બનાવવામાં આવ્યું કે, આ માછલીઓ મનુષ્યને ખાવા માટે યોગ્ય નથી. કારણ કે માછલાના કાષામાં મોટા પ્રમાણમાં કીટનાશકો એકત્રિત માલૂમ પડ્યા છે. સમજાવો આ કઈ રીતે થયું હશે ?
Answer:
જંતુનાશકો જમીન દ્વારા પાકમાં જાય છે અને પાકમાંથી આ જંતુનાશકો માછલીના ખોરાકમાં જાય છે. જંતુનાશકો માછલીના ખોરાક દ્વારા પાણીમાં જાય છે અને છેલ્લે માછલીના શરીરમાં પ્રવેશે છે. આમ, જંતુનાશકો આહાર શૃંખલા દ્વારા નિમ્ન પોષક સ્તરમાંથી ઉચ્ચ પોષક સ્તરમાં સ્થાનાંતર પામે છે. એક સમયે જંતુનાશકોની માત્રા માછલીમાં એટલી પહોંચી જાય છે કે જે ગંભીર ચયાપચય અને દેહધાર્મિક ક્રિયાઓને ખલેલ પહોંચાડે છે.
In simple words: જંતુનાશકો જમીનમાંથી પાકમાં જાય છે, જે માછલીઓ ખાય છે. આ રીતે, જંતુનાશકો પાણી દ્વારા માછલીના શરીરમાં પ્રવેશ કરે છે અને આહાર શૃંખલામાં નીચેના સ્તરોથી ઉપરના સ્તરો સુધી આગળ વધે છે. માછલીઓમાં જંતુનાશકોનું ઊંચું પ્રમાણ તેમના શરીરના કાર્યોને ગંભીર રીતે અસર કરી શકે છે.

Exam Tip: જૈવિક વિસ્તરણ (biomagnification) અને જૈવિક સંચય (bioaccumulation) ની વિભાવનાઓને સમજો, જ્યાં ઝેરી પદાર્થો ખાદ્ય શૃંખલામાં કેવી રીતે વધે છે.

 

Question 5. ડ્રાયક્લિનિંગમાં ટેટ્રાક્લોરો ઇથિનને બદલે પ્રવાહી \( CO_2 \)ને યોગ્ય પ્રક્ષાલકમાં લેતાં તે પૈકલ્પિક દ્રાવક બને છે. ટેટ્રાક્લોરો ઇથીનનો ઉપયોગ અટકાવીને પર્યાવરણને ક્યા પ્રકારના નુકસાનથી બચાવી શકાય છે ? પ્રદૂષણની દૃષ્ટિએ પ્રવાહીકૃત \( CO_2 \)ને યોગ્ય પ્રક્ષાલક સાથે ઉપયોગમાં લેવો શું સંપૂર્ણપણે સુરક્ષિત છે ? સમજાવો.
Answer:
ટેટ્રાક્લોરો ઇથેન - \( Cl_2 CH CHI_2 \) એ કૅન્સરજન્ય હોવાનું જાણવા મળ્યું છે અને તે ભૂગર્ભજળને પણ પ્રદૂષિત કરે છે. યોગ્ય ડિટર્જન્ટ સાથે પ્રવાહી \( CO_2 \)ના ઉપયોગથી હાનિકારક અસરોને અટકાવી શકાય છે. ડિટર્જન્ટ સાથે પ્રવાહી \( CO_2 \)નો ઉપયોગ એ સંપૂર્ણપણે સલામત નથી. કારણ કે મોટાભાગના ડિટર્જન્ટ જૈવ-વિઘટનીય નથી અને તેઓ જળ પ્રદૂષણ ફેલાવે છે. આ ઉપરાંત પ્રવાહી \( CO_2 \) વાતાવરણમાં પ્રવેશી ગ્રીનહાઉસ અસર ઉત્પન્ન કરવામાં ફાળો આપશે.
In simple words: ટેટ્રાક્લોરોઇથિન કેન્સરકારક છે અને ભૂગર્ભજળને પ્રદૂષિત કરે છે. પ્રવાહી કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ હાનિકારક અસરોને ઘટાડી શકે છે. જોકે, ડિટર્જન્ટ સાથે પ્રવાહી કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ સંપૂર્ણપણે સલામત નથી, કારણ કે ઘણા ડિટર્જન્ટ બિન-જૈવવિઘટનીય છે અને પાણી પ્રદૂષિત કરી શકે છે. વધુમાં, વાતાવરણમાં પ્રવાહી કાર્બન ડાયોક્સાઇડ ગ્રીનહાઉસ અસરમાં ફાળો આપી શકે છે.

Exam Tip: હરિયાળા દ્રાવકોના ફાયદા અને મર્યાદાઓ બંને પર વિચાર કરો, ખાસ કરીને પર્યાવરણીય પ્રદૂષણ અને સુરક્ષાના સંદર્ભમાં.

Free study material for Chemistry

GSEB Solutions Class 11 Chemistry Chapter 14 પર્યાવરણીય રસાયણવિજ્ઞાન

Students can now access the GSEB Solutions for Chapter 14 પર્યાવરણીય રસાયણવિજ્ઞાન prepared by teachers on our website. These solutions cover all questions in exercise in your Class 11 Chemistry textbook. Each answer is updated based on the current academic session as per the latest GSEB syllabus.

Detailed Explanations for Chapter 14 પર્યાવરણીય રસાયણવિજ્ઞાન

Our expert teachers have provided step-by-step explanations for all the difficult questions in the Class 11 Chemistry chapter. Along with the final answers, we have also explained the concept behind it to help you build stronger understanding of each topic. This will be really helpful for Class 11 students who want to understand both theoretical and practical questions. By studying these GSEB Questions and Answers your basic concepts will improve a lot.

Benefits of using Chemistry Class 11 Solved Papers

Using our Chemistry solutions regularly students will be able to improve their logical thinking and problem-solving speed. These Class 11 solutions are a guide for self-study and homework assistance. Along with the chapter-wise solutions, you should also refer to our Revision Notes and Sample Papers for Chapter 14 પર્યાવરણીય રસાયણવિજ્ઞાન to get a complete preparation experience.

FAQs

Where can I find the latest GSEB Class 11 Chemistry Solutions Chapter 14 પર્યાવરણીય રસાયણવિજ્ઞાન for the 2026-27 session?

The complete and updated GSEB Class 11 Chemistry Solutions Chapter 14 પર્યાવરણીય રસાયણવિજ્ઞાન is available for free on StudiesToday.com. These solutions for Class 11 Chemistry are as per latest GSEB curriculum.

Are the Chemistry GSEB solutions for Class 11 updated for the new 50% competency-based exam pattern?

Yes, our experts have revised the GSEB Class 11 Chemistry Solutions Chapter 14 પર્યાવરણીય રસાયણવિજ્ઞાન as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Chemistry concepts are applied in case-study and assertion-reasoning questions.

How do these Class 11 GSEB solutions help in scoring 90% plus marks?

Toppers recommend using GSEB language because GSEB marking schemes are strictly based on textbook definitions. Our GSEB Class 11 Chemistry Solutions Chapter 14 પર્યાવરણીય રસાયણવિજ્ઞાન will help students to get full marks in the theory paper.

Do you offer GSEB Class 11 Chemistry Solutions Chapter 14 પર્યાવરણીય રસાયણવિજ્ઞાન in multiple languages like Hindi and English?

Yes, we provide bilingual support for Class 11 Chemistry. You can access GSEB Class 11 Chemistry Solutions Chapter 14 પર્યાવરણીય રસાયણવિજ્ઞાન in both English and Hindi medium.

Is it possible to download the Chemistry GSEB solutions for Class 11 as a PDF?

Yes, you can download the entire GSEB Class 11 Chemistry Solutions Chapter 14 પર્યાવરણીય રસાયણવિજ્ઞાન in printable PDF format for offline study on any device.