Get the most accurate GSEB Solutions for Class 11 Biology Chapter 21 ચેતાકીય નિયંત્રણ અને સહનિયમન here. Updated for the 2026-27 academic session, these solutions are based on the latest GSEB textbooks for Class 11 Biology. Our expert-created answers for Class 11 Biology are available for free download in PDF format.
Detailed Chapter 21 ચેતાકીય નિયંત્રણ અને સહનિયમન GSEB Solutions for Class 11 Biology
For Class 11 students, solving GSEB textbook questions is the most effective way to build a strong conceptual foundation. Our Class 11 Biology solutions follow a detailed, step-by-step approach to ensure you understand the logic behind every answer. Practicing these Chapter 21 ચેતાકીય નિયંત્રણ અને સહનિયમન solutions will improve your exam performance.
Class 11 Biology Chapter 21 ચેતાકીય નિયંત્રણ અને સહનિયમન GSEB Solutions PDF
GSEB Solutions Class 11 Biology Chapter 21 ચેતાકીય નિયંત્રણ અને સહનિયમન
Question 1. ટૂંકમાં વર્ણવો :
(a) મગજ,
(b) આંખ,
(c) કાન.
Answer:
(a) મગજ :
- મગજ આપણા શરીરનું કેન્દ્રીય માહિતી પૃથ્થકરણ કરતું અંગ છે અને આદેશ તેમજ નિયંત્રણ તંત્ર તરીકે કાર્ય કરે છે.
- તે ઐચ્છિક હલનચલન, શરીરનું સંતુલન, મહત્વપૂર્ણ અનૈચ્છિક અંગોના કાર્યો (જેમ કે હૃદય, ફેફસાં, મૂત્રપિંડ), તાપમાન નિયમન, ભૂખ અને તરસ, શરીરમાં 24 કલાકની લયબદ્ધતા, વિવિધ અંતઃસ્ત્રાવી પ્રક્રિયાઓ અને માનવ વર્તણૂકનું નિયમન કરે છે.
- મગજ દૃષ્ટિ, શ્રવણ, વાચા, યાદશક્તિ, બુદ્ધિમત્તા, લાગણીઓ અને વિચારોની પ્રક્રિયાનું પણ કેન્દ્ર છે.
- માનવ મગજ ખોપરી દ્વારા સારી રીતે સુરક્ષિત રહે છે.
- ખોપરીની અંદર મગજ મસ્તિષ્ક આવરણો દ્વારા ઘેરાયેલું હોય છે. તેના બાહ્ય સ્તરને બાહ્ય તાનિકા (Dura mater) કહેવાય છે, પાતળા મધ્યસ્તરને મધ્ય તાનિકા (Arachnoid) કહેવાય છે અને મગજની પેશીઓ સાથે જોડાયેલા આંતરિક સ્તરને અંતઃ તાનિકા (Pia mater) કહેવાય છે.
(b) આંખ (Eye) :
- એક જોડ આંખ ખોપરીની ગુફાઓમાં સ્થિત છે, જેને નેત્રકોટર (Orbit) કહે છે.
- દરેક આંખ પોળી અને ગોળાકાર હોય છે. તેનો વ્યાસ 2.5 સેમી અને વજન 6 થી 8 ગ્રામ હોય છે.
(c) કાન : (The Ear)
- કાન એ શ્રવણ અને સંતુલનનું અંગ છે, જેને ફોનોરિસેપ્ટર પણ કહેવાય છે.
- માનવ કાન મુખ્ય ત્રણ ભાગોનો બનેલો છે:
- બાહ્યકર્ણ (External Ear)
- મધ્યકર્ણ (Middle Ear)
- અંતઃકર્ણ (Internal Ear)
🎯 Exam Tip: Questions on the functions and protection of sensory organs and the brain are common. Ensure you can describe the primary roles of each part clearly for full marks.
Question 2. નીચેનાનો તફાવત સમજાવો :
(a) મધ્યસ્થ ચેતાતંત્ર અને પરિધવર્તી ચેતાતંત્ર :
Answer:
| મધ્યસ્થ ચેતાતંત્ર (CNS) | પરિધવર્તી ચેતાતંત્ર (PNS) |
|---|---|
| આમાં મગજ અને કરોડરજ્જુનો સમાવેશ થાય છે. | આમાં મસ્તિષ્ક ચેતાઓ અને કરોડરજ્જુ ચેતાઓ આવેલી છે. |
| શરીરની મધ્ય-પૃષ્ઠ લંબ ધરીએ ગોઠવાયેલું હોય છે. | શરીરની બહાર પરિઘ તરફ અંગોના અંતિમ છેડા સુધી પ્રસરે છે. |
| તેમાં આવેલા વિવિધ કેન્દ્રો દ્વારા શરીરની દેહધાર્મિક ક્રિયાઓનું નિયમન થાય છે. | તેનું દૈહિકતંત્ર કંકાલસ્નાયુઓ, ત્વચા અને સાંધાઓનું નિયમન કરે છે, જ્યારે અનૈચ્છિક તંત્ર અનૈચ્છિક ક્રિયાઓનું નિયંત્રણ કરે છે. |
🎯 Exam Tip: Clearly differentiating between CNS and PNS components and their functions is crucial for scoring well. Focus on their anatomical location and the types of functions they regulate.
Question 2. નીચેનાનો તફાવત સમજાવો :
(b) વિશ્રામી કલાવીજસ્થિતિમાન અને સક્રિય કલાવીજસ્થિતિમાન :
Answer:
| વિશ્રામી કલાવીજસ્થિતિમાન | સક્રિય કલાવીજસ્થિતિમાન |
|---|---|
| આ પરિસ્થિતિમાં ચેતાતંતુ ધ્રુવીકૃત હોય છે. | આ પરિસ્થિતિમાં ચેતાતંતુ વિધ્રુવીકૃત હોય છે. |
| રસસ્તરની અંદરની બાજુ -ve વીજભાર અને બહારની બાજુ +ve વીજભાર હોય છે. | રસસ્તરની અંદરની તરફ +ve વીજભાર અને બહારની બાજુ -ve વીજભાર હોય છે. |
🎯 Exam Tip: Understanding the change in membrane potential and ion distribution during resting and action potentials is fundamental. Diagrams showing ion movement can be very helpful.
Question 2. નીચેનાનો તફાવત સમજાવો :
(c) મધ્યપટલ અને નેત્રપટલ :
Answer:
| મધ્યપટલ | નેત્રપટલ |
|---|---|
| સંયોજક પેશી અને રુધિર-વાહિનીનું બનેલું છે. કનીનિકા અને સિલીયરીકાય ધરાવે છે. | દૃષ્ટિના ભાગનું રંજક અધિચ્છદ, દૃષ્ટિ સંવેદી કોષસ્તર, દ્વિધ્રુવીય ચેતાકોષ સ્તર અને ચેતાકંદમય એમ ચાર સ્તર ધરાવે છે. |
| રુધિરવાહિની પોષણ આપે છે અને કનીનિકા લેન્સ જેવું કાર્ય કરી પ્રકાશને આગળ જવા દે છે. | પ્રકાશના કિરણો આપાત થયા બાદ મગજના પૃથક્કરણ દ્વારા વસ્તુને જોઈ અને ઓળખી શકાય છે. |
🎯 Exam Tip: Knowing the distinct layers of the eye and their specific roles (e.g., vascular supply by choroid, photoreception by retina) is important. Focus on the structural and functional differences.
Question 3. નીચેની પ્રક્રિયાઓનું વર્ણન કરો :
(a) ચેતાતંતુના પટલનું ધ્રુવીકરણ :
Answer: પટલની અંદરનું પ્રવાહી K+ ની ઉંચી સાંદ્રતા તેમજ ઋણભારિત પ્રોટીન્સ અને Na+ ની ઓછી સાંદ્રતા ધરાવે છે. તેથી વિરુદ્ધ, ચેતાક્ષની બહાર K+ ની ઓછી સાંદ્રતા અને Na+ ની સાંદ્રતા વધુ હોય છે, જેથી સાંદ્રતા ઢોળાંશનું નિર્માણ થાય છે. આ આયનિક ઢોળાંશ વિશ્રામી કલાવીજસ્થિતિમાનમાં Na-K+ પંપ દ્વારા સક્રિય વહન દ્વારા જળવાય છે, જે 3 Na+ ને બહાર અને 2 K+ ને અંદરની તરફ વહન કરાવે છે. તેના પરિણામે ચેતાક્ષપટલની બાહ્ય સપાટી ધનભારિત અને અંદરની સપાટી ઋણભારિત હોય છે, માટે તે ધ્રુવીકૃત બને છે.In simple words: ચેતાતંતુના પટલનું ધ્રુવીકરણ એટલે તેની અંદરની સપાટી ઋણ વિદ્યુતભારિત અને બહારની સપાટી ધન વિદ્યુતભારિત બનવી. આ સ્થિતિ Na-K પંપ દ્વારા આયનોના અસમાન વિતરણને કારણે જાળવી રખાય છે.
🎯 Exam Tip: To explain polarization, detail the roles of Na+ and K+ ions, the Na-K pump, and the resulting charge difference across the membrane. A clear understanding of ion gradients is key.
Question 3. નીચેની પ્રક્રિયાઓનું વર્ણન કરો :
(b) ચેતાતંતુ પટલનું વિધ્રુવીકરણ :
Answer: જ્યારે કોઈ સ્થાન પર ઉત્તેજના ઉત્પન્ન કરાય, તો A સ્થાને પટલ Na+ માટે મુક્ત રીતે પ્રવેશશીલ બને છે. તેના કારણે Na+ ઝડપથી અંદર પ્રવેશે છે. તે સ્થાનની પારગમ્યતામાં ફેરફાર થાય છે. ઉદા.ત., પટલની બહારની સપાટી ઋણભારિત અને અંદરની સપાટી ધન ભારિત બને છે. આમ, તે સ્થાનની ધ્રુવીયતા બદલાય છે, જેથી વિધ્રુવીકરણ જોવા મળે છે.In simple words: જ્યારે ચેતાતંતુ ઉત્તેજિત થાય છે, ત્યારે Na+ આયનો પટલની અંદર ઝડપથી પ્રવેશે છે, જેના કારણે પટલનો આંતરિક ભાગ હકારાત્મક અને બાહ્ય ભાગ નકારાત્મક બની જાય છે, જેને વિધ્રુવીકરણ કહેવાય છે.
🎯 Exam Tip: Explain how an external stimulus triggers a change in permeability for Na+ ions. Focus on the rapid influx of Na+ and the reversal of membrane potential at the stimulated site.
Question 3. નીચેની પ્રક્રિયાઓનું વર્ણન કરો :
(c) ચેતાતંતુ દ્વારા ઉર્મિવેગનું વહન :
Answer: જ્યારે ધ્રુવીય પટલના કોઈ એક સ્થાને ઉત્તેજના અપાય છે ત્યારે તે સ્થાને પટલ Na+ માટે મુક્તપણે પ્રવેશશીલ બને છે, જેના પરિણામે Na+ તીવ્ર ગતિથી અંદર આવે છે અને તે સ્થાને વિપરીત ધ્રુવીયતા થાય છે. પટલની બાહ્ય સપાટી ઋણભારિત બને છે, અંદરની બાજુ ધનભારિત બને છે. આમ, તે સ્થાન વિધ્રુવીકૃત થાય છે. A સ્થાને સમગ્ર રસસ્તરમાં વીજસ્થિતિમાનના તફાવતને સક્રિય કલાવીજસ્થિતિમાન કહે છે, જે સાચા અર્થમાં ઉર્મિવેગ છે. આ સ્થાનની તરત પછી ચેતાક્ષપટલ (B સ્થાન) બાહ્ય સપાટી પર +ve અને અંદરની તરફ -ve હોય છે, તેથી અંદરની સપાટી પર પ્રવાહ સ્થાન A થી B તરફ વહે છે, જેથી ચોક્કસ સ્થાન (A) ની ધ્રુવીયતા ઉલટી થાય છે અને સ્થાન B ઉપર સક્રિય કલાવીજસ્થિતિમાન ઉત્પન્ન થાય છે. આમ, ઉર્મિવેગ સ્થાન A થી ઉત્પન્ન થઈ સ્થાન B તરફ પહોંચે છે. ચેતાક્ષની લંબાઈને અનુસરીને ક્રમિક પુનરાવર્તન થાય છે. પરિણામ સ્વરૂપ ઉર્મિવેગનું વહન થાય છે.In simple words: ઉર્મિવેગનું વહન એટલે ચેતાતંતુ પર સક્રિય કલાવીજસ્થિતિમાનનું સર્જન થવું અને તે પટલ પર ક્રમશઃ આગળ વધવું. જ્યારે Na+ આયનોના પ્રવેશથી સ્થાનિક રીતે પટલ વિધ્રુવીકૃત થાય છે, ત્યારે આ પ્રવાહ નજીકના વિસ્તારને ઉત્તેજિત કરે છે અને ઉર્મિવેગ આગળ વધે છે.
🎯 Exam Tip: Focus on the sequential process: depolarization at one point leads to local currents that depolarize the adjacent region. Highlight how the impulse propagates along the axon, maintaining its strength. Use a simple analogy if possible to explain the chain reaction.
Question 3. નીચેની પ્રક્રિયાઓનું વર્ણન કરો :
(d) રાસાયણિક ચેતોપાગમ દ્વારા ઉર્મિવેગનું વહન :
Answer: ઉર્મિવેગનું પ્રસરણ (Transmission of Impulses)
- ઉર્મિવેગનું પ્રસરણ એક ચેતાકોષમાંથી બીજા ચેતાકોષમાં થાય છે, ત્યારે ત્યાંના જોડાણસ્થાનને ચેતોપાગમ (Synapse) કહે છે.
- ચેતોપાગમનું નિર્માણ પૂર્વ ચેતોપાગમીય ચેતાકોષ અને પશ્વચેતોપાગમીય ચેતાકોષના પટલ દ્વારા થાય છે, જે અવકાશ દ્વારા અલગ હોય કે ના પણ હોય, તેને ચેતોપાગમીય ફાટ (Synaptic cleft) કહે છે.
* ચેતોપાગમમાં બે પ્રકારના છે :
(i) વિદ્યુતકીય ચેતોપાગમ (Electrical synapse) : પૂર્વ અને પશ્વ ચેતોપાગમીય ચેતાકોષોના પટલો ખૂબ જ નજીક હોય છે. વિદ્યુત પ્રવાહ ચેતોપાગમની આરપાર એક ચેતાકોષમાંથી બીજામાં સીધો પસાર થાય છે.
- વિદ્યુતકીય ચેતોપાગમમાંથી પસાર થતો ઉર્મિવેગ એકલ ચેતાક્ષમાંથી પસાર થતા ઉર્મિવેગને સમાન હોય છે.
- વિદ્યુતકીય ચેતોપાગમ દ્વારા વહન હંમેશાં રાસાયણિક ચેતોપાગમ દ્વારા થતાં વહન કરતાં ઝડપી હોય છે. આપણા ચેતાતંત્રમાં વિદ્યુતકીય ચેતોપાગમ ખૂબ જ ઓછા હોય છે.
(ii) રાસાયણિક ચેતોપાગમ (Chemical synapse) : પૂર્વ અને પશ્વચેતોપાગમીય ચેતાકોષોના પટલ પ્રવાહીથી ભરેલ અવકાશ દ્વારા છૂટા પડે છે, તેને ચેતોપાગમીય ફાટ કહે છે.
- ચેતાક્ષનો અંતિમ ભાગ ચેતાપ્રેષક દ્રવ્ય (એસિટાઇલ કોલાઇન) થી ભરેલ પુટિકાઓ ધરાવે છે, જ્યારે ઉર્મિવેગ ચેતાક્ષના અંતિમ ભાગમાં પહોંચે ત્યારે તે ચેતોપાગમીય પુટિકાઓને પટલ તરફ ગતિ કરાવે છે.
- પુટિકાઓ રસસ્તર સાથે જોડાય છે અને તેના ચેતાપ્રેષક દ્રવ્યને ચેતોપાગમીય ફાટમાં મુક્ત કરે છે.
- આ મુક્ત થતું ચેતાપ્રેષક દ્રવ્ય પશ્વચેતોપાગમીય કલા ઉપર આવેલા તેના વિશિષ્ટ ગ્રાહકો સાથે જોડાય છે. આ જોડાણ આયનમાર્ગો ખોલી આયનોને પ્રવેશ કરાવે છે, જે પશ્વ ચેતોપાગમીય ચેતાકોષમાં નવા વીજસ્થિતિમાનનું નિર્માણ કરે છે.
- વિકસતો નવો સ્થિતિમાન ઉત્તેજનાત્મક/અવરોધક હોય છે.
🎯 Exam Tip: For chemical synapses, detail the steps: arrival of impulse, release of neurotransmitters, binding to receptors, and generation of a new potential. Contrast this with the direct transmission in electrical synapses. Make sure to distinguish between the two types of synapses.
Question 4. નીચેનાની નામનિર્દેશનયુક્ત આકૃતિ દોરો.
(a) ચેતાકોષ :
Answer:
ℹ️ चित्र व्याख्या (Diagram Explanation): આ રેખાકૃતિ એક ચેતાકોષ (ન્યુરોન) ના મુખ્ય ભાગો દર્શાવે છે. તેમાં શીખાતંતુઓ, કોષકાય, કોષકેન્દ્ર, શ્વૉનનો કોષ, ચેતાક્ષ, મજ્જા આવરણ, રેન્વિયરની ગાંઠ, ચેતાક્ષનો છેડો અને ચેતોપાગમીય ગાંઠો શામેલ છે. આ રચનાઓ ચેતાતંત્રમાં સંદેશા વહન માટે જવાબદાર છે.In simple words: ચેતાકોષની આકૃતિમાં શિખાતંતુઓ (જે સંદેશા મેળવે છે), કોષકાય (મુખ્ય ભાગ) અને ચેતાક્ષ (જે સંદેશા આગળ મોકલે છે) દર્શાવવામાં આવે છે, જે ચેતાતંત્રનો મૂળભૂત એકમ છે.
🎯 Exam Tip: Labeling a neuron diagram accurately is vital. Ensure all parts like dendrites, cell body, axon, myelin sheath, Nodes of Ranvier, and synaptic knobs are correctly identified and their basic functions known.
Question 4. નીચેનાની નામનિર્દેશનયુક્ત આકૃતિ દોરો.
(b) મગજ :
Answer:
ℹ️ चित्र व्याख्या (Diagram Explanation): આ રેખાકૃતિ માનવ મગજના વિવિધ ભાગો દર્શાવે છે. તેમાં બૃહદ્ મસ્તિષ્ક ગોળાર્ધ, કેલોસમકાય, થેલેમસ, હાયપોથેલેમસ, મધ્યમગજ, સેતુ, અનુમસ્તિષ્ક, મજ્જા (લંબમજ્જા) અને કરોડરજ્જુ શામેલ છે. આકૃતિ મગજના અગ્ર, મધ્ય અને પશ્વ ભાગોને સ્પષ્ટપણે દર્શાવે છે, જે શરીરના વિવિધ કાર્યોનું નિયંત્રણ કરે છે.In simple words: મગજની આકૃતિમાં અગ્ર મગજ (બૃહદ્ મસ્તિષ્ક, થેલેમસ, હાયપોથેલેમસ), મધ્ય મગજ અને પશ્વ મગજ (સેતુ, અનુમસ્તિષ્ક, લંબમજ્જા) દર્શાવવામાં આવ્યા છે, જે શરીરના જટિલ કાર્યોનું સંચાલન કરે છે.
🎯 Exam Tip: For the brain diagram, correctly labeling the cerebrum, cerebellum, brainstem (pons, medulla), thalamus, and hypothalamus is critical. Understanding the general location and function of each region is important for essay questions.
Question 4. નીચેનાની નામનિર્દેશનયુક્ત આકૃતિ દોરો.
(c) આંખ :
Answer:
ℹ️ चित्र व्याख्या (Diagram Explanation): આ રેખાકૃતિ માનવ આંખની આંતરિક રચના દર્શાવે છે. તેમાં તરલરસ કોટર, કાચરસ કોટર, નેત્રમણિ, કનીનિકા, ગર્ત, અંધિબિંદુ, દૃષ્ટિચેતા, પારદર્શક પટલ, નેત્રપટલ, મધ્યપટલ અને શ્વેતપટલ જેવા ભાગો સ્પષ્ટપણે દર્શાવવામાં આવ્યા છે. આકૃતિ આંખના પ્રકાશને ગ્રહણ કરવા અને છબી બનાવવાની પ્રક્રિયામાં સંકળાયેલા વિવિધ ઘટકોને સમજાવે છે.In simple words: આંખની આકૃતિમાં બહારથી અંદરના ભાગો જેવા કે પારદર્શક પટલ, કનીનિકા, નેત્રમણિ, નેત્રપટલ અને દૃષ્ટિચેતા દર્શાવવામાં આવે છે, જે દૃષ્ટિની પ્રક્રિયા માટે જરૂરી છે.
🎯 Exam Tip: When drawing or labeling the eye, accurately show the cornea, lens, iris, pupil, retina, optic nerve, and the aqueous and vitreous humor. Understanding how light travels through these structures is essential.
Question 4. નીચેનાની નામનિર્દેશનયુક્ત આકૃતિ દોરો.
(d) કાન :
Answer:
ℹ️ चित्र व्याख्या (Diagram Explanation): આ રેખાકૃતિ માનવ કાનના મુખ્ય ત્રણ ભાગો - બાહ્યકર્ણ, મધ્યકર્ણ અને અંતઃકર્ણ - દર્શાવે છે. તેમાં કર્ણ પલ્લવ, શંખાસ્થિ, બાહ્યકર્ણ નલિકા, કર્ણપટલ, હથોડી, એરણ, પેંગડું, અંડાકાર ગવાક્ષ, શંખિકા, શંખિકા ચેતા અને કર્ણ કંઠનળી શામેલ છે. આકૃતિ અવાજના તરંગોના ગ્રહણ અને વહન માર્ગને સમજાવવામાં મદદરૂપ થાય છે.In simple words: કાનની આકૃતિમાં બાહ્યકર્ણ (કર્ણ પલ્લવ), મધ્યકર્ણ (કર્ણપટલ, હથોડી, એરણ, પેંગડું) અને અંતઃકર્ણ (શંખિકા, શંખિકા ચેતા) ના મુખ્ય ભાગો દર્શાવવામાં આવ્યા છે, જે શ્રવણ અને સંતુલન કાર્યો માટે જવાબદાર છે.
🎯 Exam Tip: For the ear diagram, identify the external ear (pinna, auditory canal), middle ear (eardrum, ossicles), and inner ear (cochlea, semicircular canals). Clearly show the path of sound waves and the connection to the auditory nerve.
Question 5. નીચેના વિશે ટૂંકમાં જણાવો :
(a) ચેતાકીય નિયમન :
Answer: સમસ્થિતિની જાળવણી માટે અંગો-અંગતંત્રોના કાર્યનું નિયમન કે સંકલન આવશ્યક છે. સંકલન દ્વારા એક અથવા વધુ અંગો એકબીજા સાથે પ્રતિક્રિયા કરીને એકબીજાના કાર્યને પૂરક બને છે. ઉદાહરણ તરીકે, જ્યારે આપણે કસરત કરીએ છીએ ત્યારે શક્તિની માંગ સ્નાયુઓની ક્રિયાને કારણે વધે છે. O2 નો પુરવઠો પણ વધે છે. O2 ની વધતી જરૂરિયાત શ્વસનદરમાં વધારો કરે છે. હૃદયના ધબકારા અને રુધિરનું પ્રમાણ રુધિરવાહિનીઓ દ્વારા વધે છે. જ્યારે ભૌતિક કસરત પૂરી થાય ત્યારે ચેતાઓ, ફેફસાં, હૃદય અને મૂત્રપિંડના કાર્ય તેમની સામાન્ય સ્થિતિ પ્રાપ્ત કરે છે. આમ, સ્નાયુ, ફેફસાં, હૃદય, રુધિરવાહિની, મૂત્રપિંડ અને અન્ય અંગોના કાર્યનું કસરત દરમિયાન સંકલન થાય છે.In simple words: ચેતાકીય નિયમન એટલે શરીરના વિવિધ અંગો અને તંત્ર વચ્ચે સુસંગતતા સ્થાપિત કરવી જેથી શરીરની આંતરિક સ્થિરતા જળવાઈ રહે અને પર્યાવરણના ફેરફારો સામે અનુકૂલન સાધી શકાય.
🎯 Exam Tip: Highlight that neural regulation ensures homeostasis and coordinated responses to stimuli. Provide an example (like exercise) to illustrate how multiple organ systems work together under nervous control.
Question 5. નીચેના વિશે ટૂંકમાં જણાવો :
(b) અગ્ર મગજ :
Answer: અગ્ર મગજ (Fore Brain)
- અગ્ર મગજમાં બૃહદ્ મસ્તિષ્ક (Cerebrum), થેલેમસ અને હાયપોથેલેમસનો સમાવેશ થાય છે.
- બૃહદ્ મસ્તિષ્ક મગજનો મુખ્ય ભાગ છે. તે મધ્યસ્થ ઊંડી ફાટ દ્વારા બે અડધા ભાગોમાં વિભાજિત થાય છે, જેને બૃહદ્ મસ્તિષ્ક ગોળાર્ધ કહે છે.
- આ બંને બૃહદ્ મસ્તિષ્ક ગોળાર્ધ ચેતાતંતુઓની પટ્ટી દ્વારા જોડાયેલા છે, જેને કેલોસમ કાય (Corpus callosum) કહે છે.
- મસ્તિષ્ક ગોળાર્ધને ઘેરતાં કોષોના સ્તરને મસ્તિષ્ક બાહ્યક (Cortex) કહે છે, તે નિશ્ચિત ગડીઓ (Sulci) માં ફેરવાય છે.
- મસ્તિષ્ક બાહ્યક (Cortex) ભૂખરું દ્રવ્ય ધરાવે છે (Grey matter) અને તેમાં ચેતાકોષો (Cyton) જોવા મળે છે.
- મસ્તિષ્ક બાહ્યકમાં પ્રેરક વિસ્તારો, સંવેદી વિસ્તારો અને અન્ય વિસ્તારો કે જેના સંપૂર્ણ સંવેદી કે પ્રેરક કાર્યો હોય, જોવા મળે છે. આ વિસ્તારોને સંગઠન વિસ્તારો (Association area) કહે છે, જે જટિલ કાર્યો જેવા કે આંતરસંવેદી સંગઠનો, વાતચીત અને યાદશક્તિ માટે જવાબદાર છે.
- આ પથનાં તંતુઓ (Tract) મજ્જા આવરણ દ્વારા આવરીત હોય છે, જે મસ્તિષ્ક ગોળાર્ધનો અંદરનો ભાગ (મજ્જા – Medulla) બનાવે છે, તે સપાટીએથી અપારદર્શક સફેદ દેખાય છે, તેથી તેને શ્વેત દ્રવ્ય (White matter) કહે છે.
- બૃહદ્ મસ્તિષ્ક આવરણથી ઘેરાયેલી રચનાને થેલેમસ કહે છે, જે સંવેદી અને પ્રેરક સંદેશાઓનું સહનિયમન કરે છે.
- થેલેમસના તળિયાના ભાગમાં હાયપોથેલેમસ આવેલો છે. તેમાં આવેલા કેન્દ્રો શરીરના તાપમાન, ખાવા-પીવાની તીવ્રતાનું નિયંત્રણ કરે છે.
- હાયપોથેલેમસ પણ ચેતાકોષોના જૂથ ધરાવે છે, તે અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ કરે છે.
- મસ્તિષ્ક ગોળાર્ધના અંદરના ભાગો અને સંકળાયેલ ઊંડી રચનાઓના સમૂહ જેવા કે બદામ આકારનો ભૂખરો દ્રવ્યનો સમૂહ (Amygdala) અને હિપોકેમ્પસ (Hippocampus) જટિલ રચના ધરાવે છે, તેને લિમ્બિક તંત્ર કેન્દ્ર કહે છે.
- હાયપોથેલેમસની સાથે મળી તે જાતીય વર્તણૂક પ્રતિક્રિયાની અભિવ્યક્તિ (વિખુશી, ગુસ્સો, ભય) અને પ્રેરણાનું નિયમન કરે છે.
🎯 Exam Tip: When describing the forebrain, explain the main components (cerebrum, thalamus, hypothalamus) and their specific functions. Emphasize the cerebrum's role in higher cognitive functions and the hypothalamus's role in homeostasis and emotions.
Question 5. નીચેના વિશે ટૂંકમાં જણાવો :
(c) મધ્ય મગજ :
Answer: મધ્ય મગજ (Mid Brain)
- અગ્ર મગજના થેલેમસ-હાયપોથેલેમસ અને પશ્વ મગજના પોન્સની વચ્ચે આવેલું છે.
- મધ્ય મગજમાંથી મસ્તિષ્ક જલનલિકા (Cerebral aqueduct) પસાર થાય છે.
- મધ્ય મગજનો પૃષ્ઠ ભાગ ચાર ઉપસેલા ગોળકો - ચતુષ્કાય ખંડો (Corpora quadrigemina) ધરાવે છે.
- ઉપરની બાજુ આવેલ જોડને સુપીરિયર કોલિક્યુલી કહે છે, આંખ અને શીર્ષના સ્નાયુઓના ઉર્મિવેગો ગ્રહણ કરે છે, દૃષ્ટિની પરાવર્તી ક્રિયાનું નિયમન કરે છે, નીચે આવેલી જોડને ઇન્ફીરિયર કોલિક્યુલી કહે છે, જે કર્ણ અને શીર્ષના સ્નાયુમાંથી આવતા ઉર્મિવેગને ગ્રહણ કરે છે, શ્રવણ પરાવર્તી ક્રિયાઓનું નિયંત્રણ કરે છે. મધ્ય મગજનો અધોભાગ બે આયામ મસ્તિષ્ક ચેતાતંતુ દંડ ધરાવે છે, જેને મસ્તિષ્ક દંડ (Crura cerebri) કહે છે.
🎯 Exam Tip: Identify the key structures of the midbrain, such as the cerebral aqueduct and corpora quadrigemina. Emphasize its role in visual and auditory reflexes and connecting the forebrain and hindbrain.
Question 5. નીચેના વિશે ટૂંકમાં જણાવો :
(d) પશ્વ મગજ :
Answer: પશ્વ મગજ (Hind Brain) :
(i) અનુમસ્તિષ્ક :
- ખૂબ જ મોટું, પૂર્ણવિકસિત છે, તે બે મોટા પાર્શ્વ ભાગોનું બનેલું છે, જે અનુમસ્તિષ્ક ગોળાર્ધ અને નાનું વર્ગીસ ધરાવે છે. અનુમસ્તિષ્કની સપાટી ખૂબ ગૂંચળામય હોય છે, જે ઘણાં બધાં ચેતાકોષોને વધારાની જગ્યા પૂરી પાડે છે.
- અનુમસ્તિષ્કનો બાહ્ય ભાગ ભૂખરાં દ્રવ્યનો અને આંતરિક ભાગ શ્વેત દ્રવ્યનો બનેલો છે.
- કાર્ય : દોડવું, વાતચીત, ટાઈપ કરવું વગેરે ક્રિયાનું નિયંત્રણ કરે છે.
(ii) સેતુ :
- ચેતાતંતુની બનેલી અંડાકાર રચના છે, જે અનુમસ્તિષ્ક અને લંબમજ્જાને જોડે છે.
- કાર્ય : ઉર્મિવેગનું પ્રસરણ બૃહદ્ મસ્તિષ્ક અને પશ્વ મગજના ભાગો વચ્ચે કરે છે.
(iii) લંબમજ્જા :
- પિરામીડ આકારનો, મગજના પશ્વ ભાગમાં આવેલો કરોડરજ્જુને જોડતો ભાગ છે.
- ચતુર્થ ગુહાની ફરતે આવેલો છે, આ ગુહાની છત પાતળા, બિનચેતાકીય, અધિચ્છદીય ગડીયુક્ત છે, જેને પશ્વરુધિરકેશિકાજાળ કહે છે.
- કાર્ય : શ્વસન, હૃદયના સ્પંદન, લાળનો સ્ત્રાવ, ગળવાની ક્રિયા, જઠરનો સ્ત્રાવ અને બીજા અનૈચ્છિક કાર્યોનું નિયંત્રણ કરે છે.
🎯 Exam Tip: Focus on the specific functions of the cerebellum (coordination, posture), pons (relay station, breathing regulation), and medulla oblongata (vital involuntary functions like heart rate, respiration). This helps in understanding integrated brain functions.
Question 5. નીચેના વિશે ટૂંકમાં જણાવો :
(e) નેત્રપટલ :
Answer: નેત્રપટલ (Retina) :
- તે દૃષ્ટિના ભાગનું નાજુક સ્તર છે.
- તે ચાર સ્તરોનું બનેલું છે :
1. રંજક અધિચ્છદ,
2. દૃષ્ટિ સંવેદીકોષો,
3. દ્વિધ્રુવીય ચેતાકોષો અને
4. ચેતાકંદમય સ્તર. - રંજક અધિચ્છદ : રંજકકણોયુક્ત કોષોનું સ્તર.
- દૃષ્ટિ સંવેદીકોષો : દંડકોષો (Rod cells), શંકુકોષો (Cone cells).
- દંડકોષો : જાંબલી રંગનું રોડોપ્સિન (Rhodopsin) રંજકદ્રવ્ય ધરાવે છે અને મંદ પ્રકાશમાં કાર્ય કરે છે. તીવ્ર પ્રકાશમાં રોડોપ્સિનનું વિઘટન રંગનાશ કે ક્રિયાથી થાય છે અને સ્કોપ્સિન અને રેટિનલ બને છે.
- આ વિઘટનથી ઉર્મિવેગ ઉત્પન્ન થાય છે અને ન્યુરોટ્રાન્સમીટર મુક્ત થાય છે, જે ઉર્મિવેગનું વહન દ્વિધ્રુવીય કોષો મારફતે કરે છે. અંધકારમાં રોડોપ્સિનનું પુનઃ સંશ્લેષણ થાય છે.
- શંકુકોષો : રંજક કણો ધરાવે છે. દિવસના પ્રકાશમાં કાર્ય કરે છે. શંકુકોષો પ્રમાણમાં ઓછા સંવેદી છે.
- મનુષ્યની આંખમાં ત્રણ પ્રકારના શંકુકોષો આવેલા છે, જે પોતાના લાક્ષણિક પ્રકાશ રંજકકણો ધરાવે છે. લાલ, લીલા અને વાદળી રંગ માટે પ્રતિસાદ આપે છે. વિવિધ રંગો માટેની સંવેદના, આ શંકુકોષો અને તેમના પ્રકાશ રંજકકણોના વિવિધ મિશ્રણ દ્વારા ઉત્પન્ન થાય છે.
- જ્યારે આ શંકુ કોષો સમાન રીતે ઉત્તેજિત થાય છે ત્યારે સફેદ પ્રકાશ માટેની સંવેદના પેદા થાય છે.
- અંધ બિંદુ (Blind spot) : દૃષ્ટિચેતાઓ આંખની બહાર અને નેત્રપટલ રુધિરવાહિનીઓ તેની અંદર દાખલ થાય છે. તે જગ્યા મધ્યથી સહેજ ઉપર આંખના ડોળાના પશ્વ ધ્રુવમાં આવેલ છે. તે વિસ્તારમાં પ્રકાશગ્રાહી કોષો આવેલા હોતા નથી અને તેથી તેને અંધ બિંદુ કહે છે.
- પિત્ત બિંદુ : આંખના પશ્વ ધ્રુવમાં, અંધ બિંદુની પાર્શ્વ બાજુએ પીળાશ પડતાં રંગકણના બિંદુને પિત્ત બિંદુ (Macula lutea) કહે છે, તેને મધ્યસ્થ ખાડા સાથે ગર્તા (Fovea) કહે છે. ગર્ત નેત્રપટલનો પાતળો ભાગ છે, જ્યાં ફક્ત શંકુકોષો હોય છે. આ સ્થાને દૃષ્ટિ તીવ્રતા (Resolution) સારી મળે છે.
પારદર્શક પટલ અને નેત્રમણિ (lens) વચ્ચેના અવકાશને તરલરસ કોટર (Aqueous chamber) કહે છે, તે પાતળું, જલીય પ્રવાહી ધરાવે છે, તેને તરલરસ (Aqueous humor) કહે છે. નેત્રમણિ અને નેત્રપટલ વચ્ચેના અવકાશને કાચરસ કોટર (Vitreous chamber) કહે છે, તે પારદર્શક પ્રવાહી, જેલી જેવું ધરાવે છે, તેને કાચરસ (Vitreous humor) કહે છે.In simple words: નેત્રપટલ એ આંખનો સૌથી અંદરનો સ્તર છે જેમાં પ્રકાશસંવેદી કોષો (દંડકોષો અને શંકુકોષો) હોય છે. દંડકોષો મંદ પ્રકાશમાં અને શંકુકોષો રંગીન પ્રકાશમાં દૃષ્ટિ માટે જવાબદાર છે. અંધ બિંદુ એવો વિસ્તાર છે જ્યાં પ્રકાશસંવેદી કોષો હોતા નથી.
🎯 Exam Tip: Clearly describe the layers of the retina, distinguishing between rods and cones and their specific roles in vision (night vs. day, color vs. black-and-white). Also, know the location and significance of the blind spot and fovea (macula lutea).
Question 5. નીચેના વિશે ટૂંકમાં જણાવો :
(f) કર્ણાશ્મો :
Answer: ત્રણ નાનાં અસ્થિ હથોડી, એરણે અને પેંગડું મધ્યકર્ણમાં જોવા મળે છે. તે એકબીજા સાથે સાંકળની જેમ જોડાયેલા છે. એરણ કર્ણપટલ સાથે અને પેંગડું લંબગોળ ગવાક્ષ (શંખિકા) સાથે જોડાયેલ છે. કર્ણના અસ્થિઓ અવાજના તરંગોની વહન ક્ષમતા વધારે છે.In simple words: કર્ણાશ્મો એ મધ્યકર્ણમાં રહેલા ત્રણ નાના હાડકાં (હથોડી, એરણ, પેંગડું) છે જે અવાજના તરંગોને કર્ણપટલથી અંતઃકર્ણ સુધી પહોંચાડીને ધ્વનિ સંકેતોને પ્રસારિત કરવામાં મદદ કરે છે.
🎯 Exam Tip: Focus on the names of the three ossicles (malleus, incus, stapes) and their arrangement. Explain their function in amplifying and transmitting sound vibrations from the eardrum to the inner ear.
Question 5. નીચેના વિશે ટૂંકમાં જણાવો :
(g) શંખિકા :
Answer: શંખિકા (Cochlea) : તે સપકાર, ગૂંચળાકાર નલિકા છે, જે શંખના કવચને મળતી આવે છે. અસ્થિકુહરનો ભાગ જે શંખિકા નલિકાને વીંટળાયેલો છે તેને સંયુક્ત રીતે શંખિકા કહે છે.
- સેક્યુલીનો પશ્વ ભાગ સ્પ્રિંગની જેમ ગૂંચળામય હોય છે, તેને શંખિકા નલિકા (Cochlear canal) કહે છે.
- શંખિકા નલિકા એ સેક્યુલી સાથે નલિકા દ્વારા જોડાયેલા હોય છે, તેને Ductus reuniens કહે છે.
- શંખિકામાં ત્રણ આયામ કોટર આવેલા છે, જે સ્કેલા (Scalae) તરીકે ઓળખાય છે. એકબીજાથી પાતળી કલા દ્વારા છૂટા પડેલા છે.
- સ્કેલા મીડિયા : શંખિકામાં મધ્યના કોટરને સ્કેલા મીડિયા કહે છે, જે કોર્ટિકાય ધરાવે છે.
- રીસેનર્સ કલા : સ્કેલા મીડિયાની છતને Reissner's membrane કહે છે.
- બેસીલર કલા : સ્કેલા મીડિયાનો તલપ્રદેશ છે.
કોર્ટિકાય (Organ of Corti) : સાંભળવાનું અંગ છે, જે રિસેપ્ટર કોષો (રોમમય કોષો) અને આધાર કોષોનું બનેલું છે. રોમમય કોષો તેમની મુક્ત સપાટી પર રોમ ધરાવે છે અને તળિયાના ભાગ પર ચેતોપાગમનો સંપર્ક અંતર્વાહ ચેતાતંતુઓ સાથે હોય છે. દરેક રોમ કોષોનાં ટોચના ભાગેથી પ્રવર્ષો નીકળે છે, જેને ત્રિ-પરિમાણીય પક્ષ્મ (Stereocilia) કહે છે. રોમ કોષોની હરોળની ઉપર પાતળી સ્થિતિસ્થાપક કલા આવેલ છે, જેને ટેક્ટોરિયલ કલા (Tectorial membrane) કહે છે. આધાર કોષો બે પ્રકારના છે :
- લાંબા સ્તંભીય કોષો અને
- નાના ફેલેનજીયલ કોષો.
🎯 Exam Tip: Focus on the structure of the cochlea, including its three canals (scala vestibuli, media, tympani) and the location of the Organ of Corti. Understand how sound vibrations are transduced into neural impulses by hair cells in the Organ of Corti.
Question 5. નીચેના વિશે ટૂંકમાં જણાવો :
(h) કોર્ટિકાય :
Answer: કોર્ટિકાય (Organ of Corti) : સાંભળવાનું અંગ છે, જે રિસેપ્ટર કોષો (રોમમય કોષો) અને આધાર કોષોનું બનેલું છે. રોમમય કોષો તેમની મુક્ત સપાટી પર રોમ ધરાવે છે અને તળિયાના ભાગ પર ચેતોપાગમનો સંપર્ક અંતર્વાહ ચેતાતંતુઓ સાથે હોય છે. દરેક રોમ કોષોનાં ટોચના ભાગેથી પ્રવર્ષો નીકળે છે, જેને ત્રિ-પરિમાણીય પક્ષ્મ (Stereocilia) કહે છે. રોમ કોષોની હરોળની ઉપર પાતળી સ્થિતિસ્થાપક કલા આવેલ છે, જેને ટેક્ટોરિયલ કલા (Tectorial membrane) કહે છે. આધાર કોષો બે પ્રકારના છે :
- લાંબા સ્તંભીય કોષો અને
- નાના ફેલેનજીયલ કોષો.
🎯 Exam Tip: Describe the Organ of Corti's role as the primary structure for hearing within the cochlea. Mention the hair cells and tectorial membrane, explaining how their interaction converts mechanical vibrations into electrical signals.
Question 5. નીચેના વિશે ટૂંકમાં જણાવો :
(i) ચેતોપાગમ :
Answer: ઉર્મિવેગનું પ્રસરણ એક ચેતાકોષમાંથી બીજા ચેતાકોષમાં થાય છે, ત્યારે ત્યાંના જોડાણસ્થાનને ચેતોપાગમ (Synapse) કહે છે.
* ચેતોપાગમમાં બે પ્રકારના છે :
(i) વિદ્યુતકીય ચેતોપાગમ (Electrical synapse)
(ii) રાસાયણિક ચેતોપાગમ (Chemical synapse)
(i) વિદ્યુતકીય ચેતોપાગમ (Electrical synapse) : પૂર્વ અને પશ્વ ચેતોપાગમીય ચેતાકોષોના પટલો ખૂબ જ નજીક હોય છે. વિદ્યુત પ્રવાહ ચેતોપાગમની આરપાર એક ચેતાકોષમાંથી બીજામાં સીધો પસાર થાય છે.
- વિદ્યુતકીય ચેતોપાગમમાંથી પસાર થતો ઉર્મિવેગ એકલ ચેતાક્ષમાંથી પસાર થતા ઉર્મિવેગને સમાન હોય છે.
- વિદ્યુતકીય ચેતોપાગમ દ્વારા વહન હંમેશાં રાસાયણિક ચેતોપાગમ દ્વારા થતાં વહન કરતાં ઝડપી હોય છે. આપણા ચેતાતંત્રમાં વિદ્યુતકીય ચેતોપાગમ ખૂબ જ ઓછા હોય છે.
(ii) રાસાયણિક ચેતોપાગમ (Chemical synapse) : પૂર્વ અને પશ્વ ચેતોપાગમીય ચેતાકોષોના પટલ પ્રવાહીથી ભરેલ અવકાશ દ્વારા છૂટા પડે છે, તેને ચેતોપાગમીય ફાટ કહે છે.
- ચેતાક્ષનો અંતિમ ભાગ ચેતાપ્રેષક દ્રવ્ય (એસિટાઇલ કોલાઇન) થી ભરેલ પુટિકાઓ ધરાવે છે, જ્યારે ઉર્મિવેગ ચેતાક્ષના અંતિમ ભાગમાં પહોંચે ત્યારે તે ચેતોપાગમીય પુટિકાઓને પટલ તરફ ગતિ કરાવે છે.
- પુટિકાઓ રસસ્તર સાથે જોડાય છે અને તેના ચેતાપ્રેષક દ્રવ્યને ચેતોપાગમીય ફાટમાં મુક્ત કરે છે.
- આ મુક્ત થતું ચેતાપ્રેષક દ્રવ્ય પશ્વચેતોપાગમીય કલા ઉપર આવેલા તેના વિશિષ્ટ ગ્રાહકો સાથે જોડાય છે. આ જોડાણ આયનમાર્ગો ખોલી આયનોને પ્રવેશ કરાવે છે, જે પશ્વ ચેતોપાગમીય ચેતાકોષમાં નવા વીજસ્થિતિમાનનું નિર્માણ કરે છે.
- વિકસતો નવો સ્થિતિમાન ઉત્તેજનાત્મક/અવરોધક હોય છે.
🎯 Exam Tip: Define synapse and explain its two main types (electrical and chemical). For chemical synapses, detail the sequence of events involving neurotransmitter release and binding, as this is a frequently tested concept.
Question 6. ટૂંકમાં અહેવાલ આપો :
(a) ચેતોપાગમીય વહનની ક્રિયાવિધિ :
Answer: ચેતોપાગમનું નિર્માણ પૂર્વ ચેતોપાગમીય ચેતાકોષ અને પશ્વ ચેતોપાગમીય ચેતાકોષના પટલ દ્વારા થાય છે, જે અવકાશ દ્વારા અલગ હોય કે ના પણ હોય, તેને ચેતોપાગમીય ફાટ (Synaptic cleft) કહે છે. દૃશ્યમાન પ્રકાશનાં કિરણો નેત્રપટલ પર પારદર્શક પટલ અને નેત્રમણિ મારફતે કેન્દ્રિત થતા શંકુ અને દંડકોષોમાં ઉર્મિવેગ ઉત્પન્ન કરે છે. મનુષ્યની આંખ ઓપ્સિન (પ્રોટીન) અને રેટિનાલ (વિટામીન-A ના આલ્ડીહાઇડ) ધરાવે છે. પ્રકાશ ઓપ્સિનથી રેટિનાલના વિયોજનને પ્રેરે છે, પરિણામે ઓપ્સિનની રચનામાં ફેરફાર થાય છે. આના કારણે પટલની પ્રવેશશીલતા બદલાય છે. આના પરિણામે પ્રકાશગ્રાહી કોષોમાં કલાવીજસ્થિતિમાન નિર્માણ પામે છે. આ ઉત્પન્ન થતા સંદેશાઓ દ્વિધ્રુવીય કોષો દ્વારા સક્રિય કલાવીજસ્થિતિમાન ઉત્પન્ન કરે છે, આ ઉર્મિવેગો દૃષ્ટિ ચેતાઓ દ્વારા મગજના દૃષ્ટિ બાહ્યક વિસ્તારમાં મોકલાવાય છે, જ્યાં ચેતા ઉર્મિવેગોનું પૃથ્થકરણ થાય છે અને નેત્રપટલ પર ઉત્પન્ન થતું ચિત્ર પૂર્વ સ્મૃતિ અને અનુભવોને આધારે ઓળખાય છે. * લેન્સને ફોકસ કરવાની પ્રક્રિયા (Accomodation) :
- આંખમાં પ્રવેશતા પ્રકાશનાં કિરણો નેત્રપટલ પર સંકેન્દ્રિત થાય તે પહેલાં પારદર્શક પટલ, નેત્રમણિ, તરલરસ અને કાચરસમાંથી પસાર થાય છે.
- દૂરનાં દૃશ્ય જોતી વખતે નેત્રમણિ સપાટ રહે છે, જ્યારે નજીકની વસ્તુ જોતી વખતે તે ગોળાકાર બને છે. કારણ કે આ માટે પ્રકાશના કિરણોનું વધુ વક્રીભવન પ્રેરવું પડે છે. નેત્રમણિના આકારમાં ફેરફાર પ્રેરવાની ક્રિયાને વ્યવસ્થાપન કહે છે.
- વક્રીભવનની પ્રક્રિયાને કારણે નેત્રપટલ પર રચાતું પ્રતિબિંબ ઉલટું પડે છે. મગજ કોઈ રીતે આ ચિત્ર સુલટાવીને જુએ છે.
- પર્યાવરણનાં જે વિસ્તારમાંથી આંખો પ્રકાશ ગ્રહણ કરે છે તેને તેમનો દૃષ્ટિવ્યાપ (Visual field) કહે છે.
- બંને આંખો સપાટી પર એ રીતે ગોઠવાયેલી છે કે જેથી બંને આંખમાંના પ્રતિબિંબ એકમેકની પર આચ્છાદિત થઈ ત્રિપરિમાણીય ચિત્ર (Three dimensional image) રચે છે. આવી દૃષ્ટિને ત્રિપરિમાણીય (Stereoscopic) બે આંખો વડે જોવાની દૃષ્ટિ (Binocular vision) કહે છે.
🎯 Exam Tip: Explain the key events: impulse arrival, neurotransmitter release from pre-synaptic terminal, diffusion across the synaptic cleft, binding to post-synaptic receptors, and generation of a new potential. Mention the importance of neurotransmitters in signal transmission.
Question 6. ટૂંકમાં અહેવાલ આપો :
(b) દૃષ્ટિની ક્રિયાવિધિ :
Answer: દૃષ્ટિની ક્રિયાવિધિ (Mechanism of Vision) દૃશ્યમાન પ્રકાશનાં કિરણો નેત્રપટલ પર પારદર્શક પટલ અને નેત્રમણિ મારફતે કેન્દ્રિત થતા શંકુ અને દંડકોષોમાં ઉર્મિવેગ ઉત્પન્ન કરે છે. મનુષ્યની આંખ ઓપ્સિન (પ્રોટીન) અને રેટિનાલ (વિટામીન-A ના આલ્ડીહાઇડ) ધરાવે છે. પ્રકાશ ઓપ્સિનથી રેટિનાલના વિયોજનને પ્રેરે છે, પરિણામે ઓપ્સિનની રચનામાં ફેરફાર થાય છે. આના કારણે પટલની પ્રવેશશીલતા બદલાય છે. આના પરિણામે પ્રકાશગ્રાહી કોષોમાં કલાવીજસ્થિતિમાન નિર્માણ પામે છે. આ ઉત્પન્ન થતા સંદેશાઓ દ્વિધ્રુવીય કોષો દ્વારા સક્રિય કલાવીજસ્થિતિમાન ઉત્પન્ન કરે છે, આ ઉર્મિવેગો દૃષ્ટિ ચેતાઓ દ્વારા મગજના દૃષ્ટિ બાહ્યક વિસ્તારમાં મોકલાવાય છે, જ્યાં ચેતા ઉર્મિવેગોનું પૃથક્કરણ થાય છે અને નેત્રપટલ પર ઉત્પન્ન થતું ચિત્ર પૂર્વ સ્મૃતિ અને અનુભવોને આધારે ઓળખાય છે. * લેન્સને ફોકસ કરવાની પ્રક્રિયા (Accomodation) :
- આંખમાં પ્રવેશતા પ્રકાશનાં કિરણો નેત્રપટલ પર સંકેન્દ્રિત થાય તે પહેલાં પારદર્શક પટલ, નેત્રમણિ, તરલરસ અને કાચરસમાંથી પસાર થાય છે.
- દૂરનાં દૃશ્ય જોતી વખતે નેત્રમણિ સપાટ રહે છે, જ્યારે નજીકની વસ્તુ જોતી વખતે તે ગોળાકાર બને છે. કારણ કે આ માટે પ્રકાશના કિરણોનું વધુ વક્રીભવન પ્રેરવું પડે છે. નેત્રમણિના આકારમાં ફેરફાર પ્રેરવાની ક્રિયાને વ્યવસ્થાપન કહે છે.
- વક્રીભવનની પ્રક્રિયાને કારણે નેત્રપટલ પર રચાતું પ્રતિબિંબ ઉલટું પડે છે. મગજ કોઈ રીતે આ ચિત્ર સુલટાવીને જુએ છે.
- પર્યાવરણનાં જે વિસ્તારમાંથી આંખો પ્રકાશ ગ્રહણ કરે છે તેને તેમનો દૃષ્ટિવ્યાપ (Visual field) કહે છે.
- બંને આંખો સપાટી પર એ રીતે ગોઠવાયેલી છે કે જેથી બંને આંખમાંના પ્રતિબિંબ એકમેકની પર આચ્છાદિત થઈ ત્રિપરિમાણીય ચિત્ર (Three dimensional image) રચે છે. આવી દૃષ્ટિને ત્રિપરિમાણીય (Stereoscopic) બે આંખો વડે જોવાની દૃષ્ટિ (Binocular vision) કહે છે.
🎯 Exam Tip: Describe the pathway of light through the eye and how it stimulates photoreceptors. Explain the phototransduction process (conversion of light into electrical signals) and the role of rhodopsin/iodopsin. Detail the concept of accommodation and binocular vision.
Question 6. ટૂંકમાં અહેવાલ આપો :
(c) સાંભળવાની ક્રિયાવિધિ :
Answer: સાંભળવાની ક્રિયાવિધિ (Mechanism of Hearing)
- બાહ્ય કર્ણપલ્લવ અવાજના તરંગોને મેળવી તેમને કર્ણપટલ તરફ મોકલે છે.
- કર્ણપટલ અવાજના પ્રતિચાર રૂપે ધ્રુજે છે અને આ ધ્રુજારી કર્ણાસ્થિ (હથોડી, એરણ અને પેંગડું) માંથી વહન પામી અંડાકાર ગવાક્ષમાં જાય છે.
- અંડાકાર ગવાક્ષ દ્વારા ધ્રુજારી શંખિકાના પ્રવાહીમાં આવે છે, જ્યાં તેઓ લસિકામાં તરંગો ઉત્પન્ન કરે છે.
- લસિકાના તરંગો આધાર કલામાં હલચલ પ્રેરે છે. આ આધાર કલાનું હલનચલન રોમ કોષોને જોડે છે અને ટેક્ટોરિયલ કલા ઉપર દબાણ લાવે છે.
- પરિણામ સ્વરૂપ અંતર્વાહી ચેતાઓ સાથે સંકળાયેલા ચેતા ઉર્મિવેગ ઉત્પન્ન થાય છે, જે અંતર્વાહી તંતુઓ મારફતે શ્રવણ ચેતા દ્વારા મગજનાં શ્રવણ બાહ્યકમાં વહન પામે છે.
- અહીં, ઉર્મિવેગનું પૃથ્થકરણ થાય છે અને અવાજ ઓળખાય છે.
🎯 Exam Tip: Detail the entire process from sound wave collection by the external ear to its transduction into electrical signals in the cochlea and subsequent transmission to the brain. Highlight the roles of the eardrum, ossicles, cochlea, and Organ of Corti.
Question 7. ટૂંકમાં જવાબ આપો :
(a) તમે વસ્તુના રંગને કઈ રીતે ઓળખો છો?
Answer: માનવીની આંખ ત્રણ પ્રકારના શંકુકોષ ધરાવે છે, જે પોતાનાં લાક્ષણિક પ્રકાશ રંજકકણો ધરાવે છે, જે લાલ, લીલા અને વાદળી પ્રકાશ માટે પ્રતિસાદ આપે છે. વિવિધ રંગો માટેની સંવેદના આ શંકુકોષો અને તેમના પ્રકાશ રંજકકણોના વિવિધ મિશ્રણથી ઉત્પન્ન થાય છે. જ્યારે આ શંકુકોષો સમાન રીતે ઉત્તેજિત થાય છે ત્યારે સફેદ પ્રકાશ માટેની સંવેદના પેદા થાય છે.In simple words: આપણે વસ્તુના રંગને આંખમાં રહેલા ત્રણ પ્રકારના શંકુકોષો (લાલ, લીલા, વાદળી) દ્વારા ઓળખીએ છીએ. આ શંકુકોષો વિવિધ રંગો પ્રત્યે સંવેદનશીલ હોય છે અને તેમના સંયુક્ત પ્રતિભાવથી મગજ રંગને ઓળખે છે.
🎯 Exam Tip: Emphasize the three types of cone cells (red, green, blue) and how their differential stimulation and combined responses allow for the perception of a wide spectrum of colors. Also, mention the perception of white light when all cones are equally stimulated.
Question 7. ટૂંકમાં જવાબ આપો :
(b) આપણા શરીરનો સમતોલન જાળવવામાં મદદ કરે છે ?
Answer: અંતઃ કર્ણ ત્રણ અર્ધવર્તુળી નલિકાઓ ધરાવે છે, જે શંખિકાનો ભાગ છે. શંખિકા શરીરનું સમતોલન જાળવવા માટે જવાબદાર છે.In simple words: આપણા શરીરનું સંતુલન અંતઃકર્ણમાં આવેલી અર્ધવર્તુળી નલિકાઓ અને વેસ્ટિબ્યુલર તંત્ર દ્વારા જાળવવામાં આવે છે, જે માથાના હલનચલન અને ગુરુત્વાકર્ષણના ફેરફારોને અનુભવે છે.
🎯 Exam Tip: Explain the role of the vestibular apparatus (semicircular canals and otolith organs) in the inner ear. Detail how these structures detect head movements and changes in body position, sending signals to the brain for balance maintenance.
Question 7. ટૂંકમાં જવાબ આપો :
(c) આંખ દ્વારા નેત્રપટલ પર પડતાં પ્રકાશનું નિયમન કઈ રીતે થાય છે?
Answer: * લેન્સને ફોકસ કરવાની પ્રક્રિયા (Accomodation) :
- આંખમાં પ્રવેશતા પ્રકાશનાં કિરણો નેત્રપટલ પર સંકેન્દ્રિત થાય તે પહેલાં પારદર્શક પટલ, નેત્રમણિ, તરલરસ અને કાચરસમાંથી પસાર થાય છે.
- દૂરનાં દૃશ્ય જોતી વખતે નેત્રમણિ સપાટ રહે છે, જ્યારે નજીકની વસ્તુ જોતી વખતે તે ગોળાકાર બને છે. કારણ કે આ માટે પ્રકાશના કિરણોનું વધુ વક્રીભવન પ્રેરવું પડે છે. નેત્રમણિના આકારમાં ફેરફાર પ્રેરવાની ક્રિયાને વ્યવસ્થાપન કહે છે.
- વક્રીભવનની પ્રક્રિયાને કારણે નેત્રપટલ પર રચાતું પ્રતિબિંબ ઉલટું પડે છે. મગજ કોઈ રીતે આ ચિત્ર સુલટાવીને જુએ છે.
🎯 Exam Tip: Describe how the iris and pupil regulate the amount of light entering the eye. Explain the process of accommodation, where the ciliary muscles and lens adjust focus for near and distant vision, ensuring a clear image on the retina.
Question 8. નીચેનાની સમજૂતી આપો :(a) સક્રિય વીજસ્થિતિમાન સર્જવા માટે Na+નો ફાળો સમજાવો.
Answer: સોડિયમ-પોટેશિયમ (Na+-K+) પંપ દ્વારા, ત્રણ સોડિયમ આયનો (3Na+) ચેતાક્ષમાંથી બહાર ધકેલાય છે જ્યારે બે પોટેશિયમ આયનો (2K+) અંદર લેવામાં આવે છે. આ પ્રક્રિયાને કારણે ચેતાક્ષ પટલની બહારની સપાટી પર સોડિયમ આયનોની સાંદ્રતા વધુ રહે છે, જે પટલની આરપાર સક્રિય તફાવતનું નિર્માણ કરે છે. આ તફાવત ઉર્મિવેગની શરૂઆત અથવા સક્રિય કલાવીજસ્થિતિમાન માટે અત્યંત આવશ્યક છે.
In simple words: Na+-K+ પંપ ચેતાકોષમાં Na+ બહાર અને K+ અંદર ધકેલીને વિદ્યુત તફાવત જાળવે છે, જે ચેતા સંદેશા ઉત્પન્ન કરવા માટે જરૂરી છે.
🎯 Exam Tip: સક્રિય કલાવીજસ્થિતિમાનમાં Na+ આયનોની ભૂમિકા, ખાસ કરીને Na+-K+ પંપનું કાર્ય, યોગ્ય રીતે સમજાવવું સ્કોરિંગ માટે નિર્ણાયક છે.
(b) નેત્રપટલમાં પ્રકાશ પ્રેરિત ઉર્મિવેગના નિર્માણની ક્રિયાવિધિ સમજાવો.
Answer: પ્રકાશ રેટિનલમાંથી ઓપ્સિનના વિયોજનને ઉત્તેજિત કરે છે, જેના પરિણામે ઓપ્સિનના બંધારણમાં ફેરફાર થાય છે. આ ફેરફાર પ્રકાશસંવેદી કોષોના પટલની પારગમ્યતામાં બદલાવ લાવે છે, જેનાથી કલાવીજસ્થિતિમાન ઉત્પન્ન થાય છે. આ ઉત્પન્ન થયેલો સંકેત દ્વિધ્રુવીય કોષો દ્વારા ચેતાકંદ કોષોમાં સક્રિયતા સર્જે છે, જે આગળ ઉર્મિવેગનું નિર્માણ કરે છે.
In simple words: પ્રકાશ આંખમાં રેટિનલને ઓપ્સિનથી અલગ પાડે છે, જેનાથી કોષોમાં વિદ્યુત સંકેત ઉત્પન્ન થાય છે જે મગજને દ્રશ્ય માહિતી મોકલે છે.
🎯 Exam Tip: પ્રકાશસંવેદી કોષોમાં થતા રાસાયણિક ફેરફારો અને તેમના દ્વારા ઉર્મિવેગના નિર્માણની પ્રક્રિયા પર ધ્યાન કેન્દ્રિત કરો.
(c) અંતઃ કર્ણની અવાજ ઉત્પન્ન થવાના ઉર્મિવેગની ક્રિયાવિધિ સમજાવો.
Answer: અંતઃકર્ણની પોલી નલિકાઓ પ્રવાહીથી ભરેલી હોય છે અને સંવેદી અધિચ્છદ ધરાવે છે, જે રોમ કોષોનું બનેલું છે. આ કોષોના સૂક્ષ્મ રોમ, જે બંધારણીય પ્રોટીન તંતુકો છે, પ્રવાહીમાં લટકતા હોય છે. રોમ કોષો યાંત્રિક ગ્રાહીઓ છે, જે રાસાયણિક ચેતાપ્રેષકો દ્વારા ઉત્તેજના ઉત્પન્ન કરે છે. અવાજના તરંગો પ્રવાહીમાંથી પસાર થાય ત્યારે આ તંતુકો ખેંચાણ અનુભવે છે અને વળે છે, જે રોમ કોષોને ઉત્તેજિત કરે છે. આમ, અવાજના તરંગોનું ઉર્મિવેગમાં રૂપાંતર થાય છે.
In simple words: કાનમાં અવાજના તરંગો પ્રવાહીમાં રોમ કોષોને વાળીને વિદ્યુત સંકેત ઉત્પન્ન કરે છે, જે પછી મગજ સુધી પહોંચે છે.
🎯 Exam Tip: અંતઃકર્ણની રચના અને રોમ કોષો દ્વારા ધ્વનિ તરંગોનું વિદ્યુત સંકેતોમાં રૂપાંતર કેવી રીતે થાય છે તે સમજાવવું મહત્વનું છે.
Question 9. તફાવત આપો :(a) મસ્જિત ચેતા અને અમસ્જિત ચેતા :
Answer:
| મસ્જિત ચેતા | અમસ્જિત ચેતા |
|---|---|
| ચેતાક્ષની ફરતે સુવિકસિત મજ્જાપડ જોવા મળે છે. | ચેતાક્ષની ફરતે મજ્જાપડ અલ્પ-વિકસિત અથવા ગેરહાજર હોય છે. |
| ઉર્મિવેગનું પ્રસરણ ઝડપથી થાય છે. | ઉર્મિવેગનું વહન સામાન્ય રીતે થાય છે. |
| મધ્યસ્થ ચેતાતંત્રની ચેતાઓ મસ્જિત પ્રકારની હોય છે. | અનૈચ્છિક ચેતાતંત્રની ચેતાઓ અમસ્જિત પ્રકારની હોય છે. |
In simple words: મસ્જિત ચેતાઓમાં મજ્જાપડ હોય છે, જે સંદેશાઓને ઝડપથી પહોંચાડે છે, જ્યારે અમસ્જિત ચેતાઓમાં મજ્જાપડ ઓછું અથવા ગેરહાજર હોય છે અને સંદેશા ધીમા વહન પામે છે.
🎯 Exam Tip: મજ્જાપડની હાજરી/ગેરહાજરી અને તેની વહન ગતિ પરની અસરના આધારે તફાવત સ્પષ્ટ કરવો જોઈએ.
(b) શિખાતંતુ અને ચેતાક્ષ :
Answer:
| શિખાતંતુ | ચેતાક્ષ |
|---|---|
| કોષકાયના અગ્ર ભાગેથી ચેતા કોષરસપડ અનેક શાખિત પ્રવર્ધો ધરાવે છે, જેને શિખાતંતુ કહે છે. | કોષકાયના પશ્વ છેડેથી એક લાંબો પ્રવર્ધ નીકળે છે, જેને ચેતાક્ષ કહે છે. |
| ઉર્મિવેગનું વહન કોષકાય તરફ કરે છે. | કોષકાયથી પ્રતિચાર અંગો તરફ ઉર્મિવેગનું વહન કરે છે. |
In simple words: શિખાતંતુઓ કોષકાય તરફ સંદેશા લાવે છે, જ્યારે ચેતાક્ષ કોષકાયથી દૂર સંદેશા લઈ જાય છે.
🎯 Exam Tip: શિખાતંતુ અને ચેતાક્ષના સ્થાન, રચના અને ઉર્મિવેગ વહનની દિશા પર ભાર મૂકવો.
(c) દંડકોષ અને શંકુકોષ :
Answer:
| દંડકોષ | શંકુકોષ |
|---|---|
| દંડ (Rod) આકારના કોષો હોય છે. | શંકુ (Cone) જેવી રચના ધરાવતા કોષો છે. |
| જાંબલી રંગના રંજકકણો રોડોપ્સિન ધરાવે છે. | તેનાં રંજકકણો આયોડોપ્સિન ધરાવે છે. |
| દંડકોષો વધુ સંવેદી હોય છે. | તે ઓછા પ્રમાણમાં સંવેદી હોય છે. |
| રાત્રે અને મંદ પ્રકાશમાં કાર્ય કરે છે. | દિવસના પ્રકાશમાં કાર્ય કરી સંપૂર્ણ ચિત્ર અને રંગ સર્જે છે. |
In simple words: દંડકોષો ઓછી રોશનીમાં જોવા માટે છે અને શંકુકોષો તેજ રોશનીમાં રંગીન દ્રષ્ટિ માટે છે.
🎯 Exam Tip: દંડકોષ અને શંકુકોષના આકાર, રંજકકણો, સંવેદનશીલતા અને કાર્યક્ષેત્ર (પ્રકાશની તીવ્રતા) ના આધારે તફાવત દર્શાવો.
(d) થેલામસ અને હાયપોથલામસ :
Answer:
| થેલામસ | હાયપોથલામસ |
|---|---|
| બૃહદ્ મસ્તિષ્ક આવરણથી ઘેરાયેલ રચનાને થેલામસ કહે છે. | થેલામસના તળિયાના ભાગમાં આવેલો મહત્ત્વનો ભાગ છે. |
| તે સંવેદી અને પ્રેરક સંદેશાઓનું મુખ્ય સહનિયમન કેન્દ્ર છે. | શરીરની ખાવા-પીવાની તીવ્રતાનું નિયમન, તાપમાન જાળવણીના કેન્દ્રો ધરાવે છે, તે ઘણા અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ કરે છે. |
In simple words: થેલામસ સંવેદી અને પ્રેરક સંદેશાનું નિયંત્રણ કરે છે, જ્યારે હાયપોથલામસ ભૂખ, તરસ અને શરીરના તાપમાન જેવા કાર્યોનું નિયમન કરે છે.
🎯 Exam Tip: બંનેના સ્થાન અને શરીરના કાર્યોના નિયમનમાં તેમની વિશિષ્ટ ભૂમિકાઓને સ્પષ્ટ કરો.
(e) બૃહદ્ મસ્તિષ્ક અને અનુ મસ્તિષ્ક :
Answer:
| બૃહદ્ મસ્તિષ્ક | અનુ મસ્તિષ્ક |
|---|---|
| અગ્ર મગજનો ભાગ છે. | પશ્વ મગજનો ભાગ છે. |
| બૃહદ્ મસ્તિષ્ક મગજનો મુખ્ય ભાગ બનાવે છે. | અનુ મસ્તિષ્કની સપાટી ગૂંચળામય હોય છે. |
| ઐચ્છિક ક્રિયાઓ, યાદ-શક્તિ વગેરે માટે જવાબદાર છે. | ઘણા બધા ચેતાકોષોને વધારાની જગ્યા પૂરી પાડે છે. |
| ઐચ્છિક હલનચલન, સમજ-શક્તિ, સર્જનાત્મક કૌશલ્ય સાથે સંકળાયેલ છે. | સ્નાયુની ક્રિયાઓ જેવી કે દોડવું, ચાલવું, વાતચીત, ટાઇપ કરવું વગેરેનું નિયંત્રણ કરે છે. |
In simple words: બૃહદ્ મસ્તિષ્ક વિચાર, યાદશક્તિ અને ઐચ્છિક હલનચલન માટે જવાબદાર છે, જ્યારે અનુ મસ્તિષ્ક શરીરનું સંતુલન અને સંકલિત હલનચલન જાળવે છે.
🎯 Exam Tip: બંને મગજના ભાગોના કાર્યો અને તેમની શારીરિક ક્રિયાઓ પરની અસરોને સ્પષ્ટ રીતે સમજાવો.
Question 10. નીચેનાનાં જવાબ આપો :(a) કાનનો કયો ભાગ અવાજના સ્વરને ઓળખે છે ?
Answer: કોર્ટિકાયના સંવેદી કોષોનું હલનચલન થતાં, ઉર્મિવેગનું વહન ચેતા દ્વારા બૃહદ્ મસ્તિષ્કના શ્રવણ વિસ્તારમાં થાય છે, જ્યાં અવાજ ઓળખાય છે.
In simple words: કાનમાં રહેલો કોર્ટિકાયનો અંગ અવાજના સંકેતોને મગજ સુધી પહોંચાડે છે, જ્યાં અવાજ ઓળખાય છે.
🎯 Exam Tip: કોર્ટિકાયના કાર્ય અને શ્રવણ પ્રક્રિયામાં તેની ભૂમિકાનું વર્ણન કરો.
(b) માનવ મગજનો કયો ભાગ સૌથી વધુ વિકસીત છે ?
Answer: બૃહદ્ મસ્તિષ્ક માનવ મગજનો સૌથી વધુ વિકસિત ભાગ છે. તે માહિતીનું પૃથક્કરણ, નિયમન અને સંચાલન કરે છે. યાદશક્તિ, સમજશક્તિ વગેરે જેવી ઉચ્ચ માનસિક પ્રક્રિયાઓ સાથે સંકળાયેલી રચનાઓ તેમાં આવેલી છે.
In simple words: માનવ મગજમાં બૃહદ્ મસ્તિષ્ક સૌથી વધુ વિકસિત છે, જે વિચાર, યાદશક્તિ અને બુદ્ધિ જેવી ઉચ્ચ કાર્યો માટે જવાબદાર છે.
🎯 Exam Tip: બૃહદ્ મસ્તિષ્કના કાર્યો, જેમ કે માહિતી પૃથક્કરણ, યાદશક્તિ અને સમજશક્તિ, પર ભાર મૂકીને જવાબ આપો.
(c) મધ્યસ્થ મગજનો ક્યો ભાગ પ્રમુખ ઘડિયાળ તરીકે કાર્ય કરે છે ?
Answer: બૃહદ્ મસ્તિષ્ક ગોળાર્ધની વચ્ચે આવેલા કેલોસમ કાયની નીચે પિનીયલ ગ્રંથિ આવેલી છે. આ ગ્રંથિ મેલાટોનીન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે, જે જૈવિક ઘડિયાળ તરીકે કાર્ય કરે છે.
In simple words: પિનીયલ ગ્રંથિ મેલાટોનીન ઉત્પન્ન કરીને શરીરની જૈવિક ઘડિયાળ તરીકે કામ કરે છે, જે ઊંઘ-જાગરણ ચક્રનું નિયમન કરે છે.
🎯 Exam Tip: પિનીયલ ગ્રંથિનું સ્થાન, સ્ત્રાવ અને જૈવિક ઘડિયાળ તરીકેની તેની ભૂમિકા યાદ રાખો.
Question 11. પૃષ્ઠવંશીઓમાં આંખનો ભાગ જ્યાંથી દૃષ્ટિચેતા નેત્રપટલમાંથી બહાર નીકળે છે તેને શું કહે છે ?Answer: નેત્રપટલમાં દૃષ્ટિચેતા જ્યાંથી શરૂઆત પામે છે તેને અંધબિંદુ કહે છે.
In simple words: દૃષ્ટિચેતા આંખમાંથી બહાર નીકળે છે તે જગ્યાને અંધબિંદુ કહેવાય છે, કારણ કે ત્યાં કોઈ પ્રકાશસંવેદી કોષો હોતા નથી.
🎯 Exam Tip: અંધબિંદુના સ્થાન અને તેના કારણે દ્રષ્ટિ ન હોવાના કારણને સ્પષ્ટ કરો.
Question 12. તફાવત આપો :(a) અંતર્વાહ ચેતાકોષ અને બહિર્વાહી ચેતાકોષ.
Answer:
| અંતર્વાહ ચેતાકોષ (Afferent Neuron) | બહિર્વાહી ચેતાકોષ (Efferent Neuron) |
|---|---|
| ઉર્મિવેગનું વહન પેશી-અંગોથી મધ્યસ્થ ચેતાતંત્ર (CNS) તરફ કરે છે. | ઉર્મિવેગનું વહન મધ્યસ્થ ચેતાતંત્ર (CNS) થી નિયમનકારી પેશી-અંગો તરફ કરે છે. |
In simple words: અંતર્વાહ ચેતાકોષ શરીરથી મગજ તરફ સંદેશા લાવે છે, જ્યારે બહિર્વાહી ચેતાકોષ મગજથી શરીરના અંગો તરફ સંદેશા લઈ જાય છે.
🎯 Exam Tip: ઉર્મિવેગ વહનની દિશાના આધારે અંતર્વાહ અને બહિર્વાહી ચેતાકોષોનો તફાવત સમજાવવો.
(b) મસ્જિત ચેતાતંતુ અને અમસ્જિત ચેતાતંતુ દ્વારા ઉર્મિવેગનું વહન.
Answer:
| મસ્જિત ચેતાતંતુ | અમસ્જિત ચેતાતંતુ |
|---|---|
| મસ્જિત ચેતાતંતુની ફરતે મજ્જાપડ અને શ્વાન કોષ આવેલ હોય છે. મજ્જાપડ સળંગ ન હોતાં તૂટક હોય છે, જેને રેનવીયરની ગાંઠ કહે છે. ઉર્મિવેગનું પ્રસરણ એક રેનવીયરની ગાંઠથી બીજા ગાંઠ પ્રદેશ પર થાય છે. આને કૂદકામય (Saltatory) વહન કહે છે. | અમસ્જિત ચેતાતંતુમાં મજ્જાપડ અલ્પવિકસિત હોય છે, રેનવીયરની ગાંઠ હોતી નથી. ઉર્મિવેગનું પ્રસારણ સળંગ થાય છે. |
In simple words: મસ્જિત ચેતાતંતુઓમાં સંદેશા રેનવીયરની ગાંઠ પર કૂદીને ઝડપથી જાય છે (કૂદકામય વહન), જ્યારે અમસ્જિત ચેતાતંતુઓમાં સંદેશા ધીમા અને સળંગ રીતે જાય છે.
🎯 Exam Tip: મજ્જાપડ અને રેનવીયરની ગાંઠની હાજરી-ગેરહાજરી અને તેના પરિણામે ઉર્મિવેગના વહન પ્રકાર (કૂદકામય વિ. સળંગ) ને સમજાવો.
(c) તરલરસ અને કાચરસ.
Answer:
| તરલરસ (Aqueous Humor) | કાચરસ (Vitreous Humor) |
|---|---|
| પારદર્શક પટલ અને નેત્રમણિ વચ્ચેના અવકાશમાં રહેલ પાતળાં જલીય પ્રવાહીને તરલરસ કહે છે. | નેત્રમણિ અને નેત્રપટલના અવકાશમાં આવેલ પારદર્શક (જેલી) પ્રવાહીને કાચરસ કહે છે. |
In simple words: તરલરસ આંખના આગળના ભાગમાં પાતળું પાણી જેવું પ્રવાહી છે, જ્યારે કાચરસ આંખના પાછળના ભાગમાં જેલી જેવું ઘટ્ટ પ્રવાહી છે.
🎯 Exam Tip: આંખમાં બંને પ્રવાહીના સ્થાન અને તેમની ભૌતિક સ્થિતિ (જલીય વિ. જેલી) નો તફાવત સ્પષ્ટ કરો.
(d) અંધ બિંદુ અને પિત્ત બિંદુ.
Answer:
| અંધ બિંદુ (Blind Spot) | પિત્ત બિંદુ (Macula lutea/Fovea) |
|---|---|
| દૃષ્ટિચેતાઓ આંખની બહાર અને રુધિરવાહિનીઓ નેત્રપટલમાં જ્યાં દાખલ થાય છે તે જગ્યાને અંધ બિંદુ કહે છે. તે જગ્યા આંખના ડોળાના પશ્વ ધ્રુવના મધ્યથી સહેજ ઉપર આવેલ છે. આ વિસ્તારમાં પ્રકાશગ્રાહી કોષો હોતા નથી, તેથી તેને અંધ બિંદુ કહે છે. | આંખના પશ્વ ધ્રુવમાં, અંધ બિંદુની પાર્શ્વ બાજુએ પીળાશ પડતાં રંગકણના બિંદુને પિત્ત બિંદુ કહે છે. પિત્ત બિંદુના મધ્ય ભાગમાં ગર્તા (Fovea) આવેલી હોય છે, જે નેત્રપટલનો પાતળો ભાગ છે, જ્યાં ફક્ત શંકુકોષો હોય છે. આ સ્થાને દૃષ્ટિની તીવ્રતા સૌથી સારી મળે છે. |
In simple words: અંધબિંદુ એ દ્રષ્ટિચેતા આંખમાંથી નીકળે છે તે જગ્યા છે જ્યાં પ્રકાશ સંવેદના હોતી નથી; પિત્તબિંદુ એ નેત્રપટલ પરની જગ્યા છે જ્યાં સૌથી સ્પષ્ટ દ્રષ્ટિ મળે છે.
🎯 Exam Tip: બંને બિંદુઓના સ્થાન, પ્રકાશગ્રાહી કોષોની હાજરી-ગેરહાજરી અને દ્રષ્ટિ પરની તેમની અસરના આધારે તફાવત આપો.
(e) મસ્તિષ્ક ચેતાઓ અને કરોડરજ્જુ ચેતાઓ.
Answer:
| મસ્તિષ્ક ચેતાઓ (Cranial Nerves) | કરોડરજ્જુ ચેતાઓ (Spinal Nerves) |
|---|---|
| મસ્તિષ્ક ચેતાઓ મસ્તિષ્કમાંથી ઉત્પન્ન થાય છે. તે સંવેદી, ચાલક કે મિશ્ર પ્રકારની હોય છે. | કરોડરજ્જુ ચેતાઓ કરોડરજ્જુમાંથી ઉત્પન્ન થાય છે. તે પરિધિય સપાટીને આવરે છે. બધી કરોડરજ્જુ ચેતાઓ પૃષ્ઠમૂળ અને વક્ષમૂળથી બનેલી હોય છે, તે મિશ્ર પ્રકારની છે. |
In simple words: મસ્તિષ્ક ચેતાઓ મગજમાંથી સીધી નીકળે છે, જ્યારે કરોડરજ્જુ ચેતાઓ કરોડરજ્જુમાંથી નીકળીને શરીરના અન્ય ભાગોમાં ફેલાય છે.
🎯 Exam Tip: બંને પ્રકારની ચેતાઓના ઉત્પત્તિ સ્થાન અને કાર્યાત્મક પ્રકાર (સંવેદી, ચાલક, મિશ્ર) પર ધ્યાન કેન્દ્રિત કરો.
GSEB Class 11 Biology चेताकीय नियंत्रण अने सह-नियमन NCERT Exemplar Questions and Answers
બહુવિકલ્પી પ્રશ્નો (MCQ)
Question 1. ચેતોપાગમીય [મુક્ત કરાયેલા રસાયણો] કહે છે.(A) અંતઃસ્ત્રાવો
(B) ચેતાપ્રેષકો
(C) મસ્તિષ્ક મેરુજળ
(D) લસિકા
Answer: (B) ચેતાપ્રેષકો
In simple words: ચેતોપાગમમાં રસાયણો મુક્ત થાય છે જે સંદેશાનું વહન કરે છે, તેમને ચેતાપ્રેષકો કહેવાય છે.
🎯 Exam Tip: ચેતાપ્રેષકોની વ્યાખ્યા અને કાર્યક્ષેત્રને યાદ રાખો.
Question 2. વિશ્રામી કલાવીજસ્થિતિમાન દરમિયાન પોટેન્શિયલ તફાવત -ve હોય છે, તેનું કારણ નીચેના આયન્સના વિવિધ પ્રકારનું વિતરણ છે.(A) Na+ અને K+ આયન્સ
(B) CO32- અને Cl- આયન્સ
(C) Ca2+ અને Mg2+ આયન્સ
(D) Ca4+ અને Cl- આયન્સ
Answer: (A) Na+ અને K+ આયન્સ
– ચેતાકોષરસપડમાં આવેલા આયનમાર્ગો Na+ અને K+ આયન્સની, ચેતાકોષની અંદરની તરફ અને બહારની તરફની ગતિનું નિયંત્રણ કરે છે.
In simple words: વિશ્રામી સ્થિતિમાં ચેતાકોષમાં Na+ અને K+ આયનોનું અસમાન વિતરણ કોષની અંદર નકારાત્મક ચાર્જ જાળવી રાખે છે.
🎯 Exam Tip: વિશ્રામી કલાવીજસ્થિતિમાનમાં Na+ અને K+ આયનોના વિતરણ અને તેમના પંપ દ્વારા જાળવણીને સમજો.
Question 3. વિશ્રામી કલાવીજસ્થિતિમાન ................ દ્વારા જળવાય છે.(A) અંતઃસ્ત્રાવ
(B) ચેતાપ્રેષકો
(C) આયન પમ્પસ
(D) ઉપરના એકપણ નહિ
Answer: (C) આયન પમ્પસવિશ્રામી કલાવીજસ્થિતિમાન દરમિયાન આયનિક ઢોળાંશ આયનોનાં સક્રિય વહન દ્વારા (Na+, K+) દ્વારા થાય છે, જેમાં 3Na+ બહાર અને 2K+ અંદર ધકેલાય છે.
In simple words: કોષમાં વિદ્યુત સંતુલન જાળવવા અને વિશ્રામી સ્થિતિ પ્રાપ્ત કરવા માટે આયન પંપ Na+ અને K+ ને કોષરસપટલની આરપાર ધકેલે છે.
🎯 Exam Tip: Na+-K+ પંપની ભૂમિકા અને આયન ઢોળાંશ જાળવવામાં તેનું મહત્વ સમજો.
Question 4. આપણાં કોષાંતરીય કાર્યોનું નિયમન ................ દ્વારા થાય છે.(A) અનુકંપી અને દૈહિક ચેતાતંત્ર
(B) અનુકંપી અને પરાનુકંપી ચેતાતંત્ર
(C) મધ્યસ્થ અને દૈહિક ચેતાતંત્ર
(D) ઉપરના એકપણ નહિ
Answer: (B) અનુકંપી અને પરાનુકંપી ચેતાતંત્રઅનુકંપી અને પરાનુકંપી ચેતાતંત્ર શરીરના બધાં જ કોષાંતરીય અંગોનું નિયંત્રણ કરે છે.
In simple words: શરીરના આંતરિક કાર્યોનું નિયમન અનુકંપી અને પરાનુકંપી ચેતાતંત્ર દ્વારા થાય છે, જે સ્વયંસંચાલિત રીતે શરીરના કાર્યોને સંતુલિત કરે છે.
🎯 Exam Tip: સ્વયંસંચાલિત ચેતાતંત્રના બંને ભાગો (અનુકંપી અને પરાનુકંપી) ના કાર્યોને સમજો.
Question 5. નીચેનામાંથી કયું ઘૂંટણની પરાવર્તી (Knee-jerk) સાથે સંકળાયેલ નથી ?(A) સ્નાયુ તંતુકો
(B) ચાલક ચેતા
(C) મગજ
(D) આંતર ચેતાકોષ
Answer: (C) મગજમગજ કોઈ પરાવર્તી ક્રિયા સાથે જોડાયેલ નથી (ઉદા. Knee-jerk), જ્યારે સ્નાયુતંતુબંધ, આંતર ચેતાકોષ અને ચાલક ચેતાકોષ પરાવર્તી કમાનના ભાગરૂપ છે.
In simple words: ઘૂંટણની પરાવર્તી ક્રિયામાં મગજ સીધું સામેલ નથી; તે કરોડરજ્જુના સ્તરે થતી એક સ્વચાલિત ક્રિયા છે.
🎯 Exam Tip: પરાવર્તી ક્રિયાઓની લાક્ષણિકતાઓ અને તેમાં મગજની સીધી ભૂમિકાનો અભાવ યાદ રાખો.
Question 6. મગજનો વિસ્તાર કે જે પ્રબળ લાગણીઓ સાથે સંકળાયેલ છે તે ..........................(A) બૃહદ્ મસ્તિષ્ક બાહ્યક
(B) અનુમસ્તિષ્ક
(C) લિમ્બિક તંત્ર
(D) લંબમજ્જા
Answer: (C) લિમ્બિક તંત્રલિમ્બિક તંત્ર અને હાયપોથલામસ સંવેદનાઓનાં નિયંત્રણનું કાર્ય કરે છે. (દા.ત., ઉત્તેજના, ક્રોધ, ડર).
In simple words: લિમ્બિક તંત્ર મગજનો તે ભાગ છે જે ગુસ્સો, ભય, આનંદ જેવી પ્રબળ ભાવનાઓનું નિયંત્રણ કરે છે.
🎯 Exam Tip: લિમ્બિક તંત્રના મુખ્ય કાર્યો, ખાસ કરીને ભાવનાત્મક પ્રતિભાવોનું નિયંત્રણ, યાદ રાખો.
Question 7. રોડોપ્સિનમાં રહેલા વિટામીનની નોંધ કરો.(A) Vit. A
(B) Vit. B
(C) Vit. C
(D) Vit. D
Answer: (D) Vit. Aદંડકોષો જાંબલી-લાલાશ પડતું રોડોપ્સિન પ્રોટીન ધરાવે છે, જે આંખનું પ્રકાશસંવેદી સંયોજન છે, જેમાં ઓપ્સિન (પ્રોટીન) અને રેટીનલ (વિટામીન-A નું આલ્ડીહાઇડ) રહેલ છે.
In simple words: રોડોપ્સિનમાં વિટામીન A હોય છે, જે ઓછી રોશનીમાં દ્રષ્ટિ માટે જવાબદાર છે.
🎯 Exam Tip: રોડોપ્સિનના ઘટકો અને તેમાં વિટામીન A ની ભૂમિકા યાદ રાખો.
Question 8. મનુષ્યની આંખના ડોળામાં ત્રણ સ્તરો જોવા મળે છે અને તે .......................... ને આવરિત કરે છે.(A) નેત્રમણિ, કનીનિકા, દૃષ્ટિચેતા
(B) નેત્રમણિ, તરલરસ કોટર, કાચરસ કોટર
(C) પારદર્શક પટલ, નેત્રમણિ, કનીનિકા
(D) પારદર્શક પટલ, નેત્રમણિ, દૃષ્ટિચેતા
Answer: (B) નેત્રમણિ, તરલરસ કોટર, કાચરસ કોટરમનુષ્યના આંખનો ડોળો ત્રણ સ્તર ધરાવે છે. શ્વેતપટલ, મધ્યપટલ અને નેત્રપટલ, જે નેત્રમણિ, તરલરસ કોટર અને કાચરસ કોટરને આવરિત કરે છે.
In simple words: માનવ આંખમાં ત્રણ સ્તરો હોય છે જે નેત્રમણિ, તરલરસ કોટર અને કાચરસ કોટર જેવા આંતરિક ભાગોને ઘેરીને રક્ષણ આપે છે.
🎯 Exam Tip: આંખના ત્રણ સ્તરો (શ્વેતપટલ, મધ્યપટલ, નેત્રપટલ) અને તેઓ કયા ભાગોને આવરી લે છે તે યાદ રાખો.
Question 9. કર્ણનલિકામાં આવેલી મીણ ગ્રંથિને .......................... કહે છે.(A) પ્રસ્વેદ ગ્રંથિ
(B) પ્રોસ્ટેટ ગ્રંથિ
(C) ડાઉપરની ગ્રંથિ
(D) સિબેસીયસ-સિરુમીનસ ગ્રંથિ
Answer: (D) સિબેસીયસ-સિરુમીનસ ગ્રંથિભૂખરા રંગનાં ફેટી ઍસિડયુક્ત મીણનો સ્ત્રાવ કર્ણનલિકામાં કરે છે.
In simple words: કર્ણનલિકામાં સિરુમીનસ ગ્રંથિઓ હોય છે જે કાનનું મીણ ઉત્પન્ન કરે છે.
🎯 Exam Tip: કર્ણનલિકામાં મીણ ગ્રંથિનું નામ અને તેના કાર્યને યાદ રાખો.
Question 10. અંતઃ કર્ણનો ભાગ જે શ્રવણ (Hearing) માટે જવાબદાર છે ..........................(A) શંખિકા
(B) અર્ધવર્તુળી નલિકા
(C) યુટ્રીક્યુલસ
(D) સેક્યુલસ
Answer: (A) શંખિકાઅંતઃ કર્ણનો આ ભાગ શ્રવણ માટે જવાબદાર છે.
In simple words: અંતઃકર્ણમાં શંખિકા (કોક્લિયા) સાંભળવાની મુખ્ય કામગીરી કરે છે.
🎯 Exam Tip: અંતઃકર્ણના વિવિધ ભાગોના કાર્યોને અલગ-અલગ યાદ રાખો, ખાસ કરીને શ્રવણ માટે શંખિકાની ભૂમિકા.
Question 11. કોર્ટિકાય (Organ of corti) .......................... માં જોવા મળે છે.(A) બાહ્યકર્ણ
(B) મધ્યક
(C) અર્ધવર્તુળી નલિકા
(D) શંખિકા
Answer: (D) શંખિકાકોર્ટિકાય રચના શંખિકામાં જોવા મળે છે. શંખિકાની કલાઓ, રીસેનર્સ મેમ્બ્રેન અને બેસીલર મેમ્બ્રેન છે. કોર્ટિકાય, બેસિલર મેમ્બ્રેનના આધારકલા પર સ્થાપિત છે.
In simple words: કોર્ટિકાય, જે સાંભળવા માટેનો મુખ્ય અવયવ છે, તે કાનના આંતરિક શંખિકા ભાગમાં સ્થિત છે.
🎯 Exam Tip: કોર્ટિકાયનું સ્થાન અને શંખિકા સાથે તેનો સંબંધ યાદ રાખો.
અત્યંત ટૂંક જવાબી પ્રશ્નો (VSQ)
Question 1. આપેલ આકૃતિમાં દર્શાવેલ સ્થાન પરથી, નીચેના જોડાણોને ઉર્મિવેગના વહનની ગતિ માટે યોગ્ય ક્રમમાં પુનઃગોઠવણી દ્વારા દર્શાવો.- ચેતોપાગમીય દંડ
- અક્ષતંતુ
- કોષકાય શિખાતંતુ
- અક્ષતંતુના ચેતાન્તો
ℹ️ चित्र व्याख्या (Diagram Explanation): આકૃતિ એક ચેતાકોષ (ન્યુરોન) ની રચના દર્શાવે છે, જેમાં શિખાતંતુઓ, કોષકાય, ચેતાક્ષ અને ચેતાક્ષના છેડા (ચેતોપાગમીય ગાંઠો) સ્પષ્ટપણે બતાવેલ છે. તે ઉર્મિવેગના વહન માર્ગને સમજાવે છે.
Answer: ઉર્મિવેગ વહનની ગતિ માટે યોગ્ય ક્રમ:
- શિખાતંતુ
- કોષકાય
- અક્ષતંતુ
- અક્ષતંતુના ચેતાન્તો
- ચેતોપાગમીય દંડ
In simple words: ચેતાકોષમાં સંદેશા શિખાતંતુઓમાંથી કોષકાય, પછી ચેતાક્ષ અને અંતે ચેતાક્ષના છેડા દ્વારા આગળ વધે છે.
🎯 Exam Tip: ચેતાકોષના ભાગોને ક્રમબદ્ધ યાદ રાખો અને તેમાં ઉર્મિવેગ વહનના માર્ગને સમજો.
Question 2. કર્ણના સમતોલન તેમજ આકાર (Posture) જાળવવા માટેના ફાળાની ચર્ચા કરો.Answer: વેસ્ટીબ્યુલર તંત્ર અંતઃકર્ણની સંવેદી રચના છે, જે શરીરને તેના સમતોલન માટે મદદ કરે છે. અંતઃકર્ણમાં બે જોડ અંગિકાઓ છે: અર્ધવર્તુળી નલિકાઓ, જે પરિભ્રમણીય ગતિ પ્રત્યે પ્રતિચાર આપે છે, અને વેસ્ટીબ્યુલમાં આવેલ યુટ્રીકલ તથા સેક્યુલી, જે શીર્ષની સ્થિતિમાં ગુરુત્વાકર્ષણીય ફેરફારને કારણે થતા તફાવત પ્રત્યે પ્રતિચાર દર્શાવે છે. પ્રત્યેક અર્ધવર્તુળી નલિકાઓ રોમકોષો ધરાવે છે. શીર્ષના પરિભ્રમણને કારણે પ્રવાહીનું વહન થાય છે, જે રોમકોષના અગ્ર ભાગ, જે જેલી જેવા કેપ્યુલામાં ફેરફાર પ્રેરે છે. યુટ્રીકલ અને સેક્યુલીને ઓટોલીથ કહે છે, જે કર્ણાશ્મિઓ ધરાવે છે. જ્યારે શીર્ષ નમે કે શરીરની સ્થિતિમાં ફેરફાર પામે ત્યારે કર્ણાશ્મિ ફેરફાર પામે છે અને રોમકોષો વળે છે, જેનાથી સંતુલન જળવાય છે.
In simple words: કાનના અંતઃકર્ણમાં વેસ્ટીબ્યુલર તંત્ર, જેમાં અર્ધવર્તુળી નલિકાઓ અને ઓટોલીથ હોય છે, શરીરની ગતિ અને માથાની સ્થિતિને પારખીને સંતુલન જાળવવામાં મદદ કરે છે.
🎯 Exam Tip: અંતઃકર્ણના વેસ્ટીબ્યુલર તંત્રના ઘટકો (અર્ધવર્તુળી નલિકાઓ, યુટ્રીકલ, સેક્યુલી) અને તેમના સંતુલન જાળવવાના કાર્યોને વિગતવાર સમજાવો.
Question 3. નેત્રપટલના કયા કોષો આપણને આસપાસના રંગીન પદાર્થો નિહાળી શકવામાં મદદ કરે છે ?Answer: નેત્રપટલના શંકુકોષો આપણને રંગ નિહાળવા મદદ કરે છે. ત્રણ પ્રકારનાં શંકુકોષો છે, જે તેમનાં લાક્ષણિક રંગ કણો ધરાવે છે. મુખ્યત્વે લાલ, લીલા અને વાદળી રંગ પ્રત્યે પ્રતિચાર આપે છે.
In simple words: નેત્રપટલ પરના શંકુકોષો આપણને લાલ, લીલા અને વાદળી જેવા વિવિધ રંગોને ઓળખવામાં મદદ કરે છે.
🎯 Exam Tip: શંકુકોષોની ભૂમિકા, તેમના પ્રકારો અને રંગ દ્રષ્ટિમાં તેમનો ફાળો સ્પષ્ટ કરો.
Question 4. નીચેનાની અવાજના મોજાંની ગ્રહણ અને વહનનાં આધારે કર્ણકોટરમાં ગોઠવણી દર્શાવો. શંખિકા ચેતા, કર્ણ ચેતા, કર્ણપટલ, હથોડી, એરણ, પેંગડું, શંખિકાℹ️ चित्र व्याख्या (Diagram Explanation): આકૃતિ માનવ કાનની આંતરિક રચના દર્શાવે છે, જેમાં કર્ણ પલ્લવ, બાહ્યકર્ણ નલિકા, કર્ણપટલ, હથોડી, એરણ, પેંગડું, શંખિકા, શંખિકા ચેતા અને કર્ણ કંઠનળી જેવા મુખ્ય ભાગો દર્શાવેલા છે. આકૃતિ ધ્વનિ તરંગો કાનમાં કેવી રીતે પ્રવેશે છે અને આંતરિક રચનાઓ દ્વારા કેવી રીતે વહન પામે છે તે સમજાવે છે.
Answer: બાહ્ય કર્ણનલિકા – કર્ણપટલ – હથોડી – એરણ – પેંગડું – શંખિકા – શંખિકા ચેતા. આ ક્રમ મુજબ અવાજની સંવેદનાનું ગ્રહણ અને વહન જોવા મળે છે.
In simple words: અવાજ કર્ણનલિકામાંથી કર્ણપટલ પર આવે છે, પછી હથોડી, એરણ, પેંગડું દ્વારા શંખિકામાં જાય છે અને ત્યાંથી શંખિકા ચેતા દ્વારા મગજ સુધી પહોંચે છે.
🎯 Exam Tip: ધ્વનિના વહનનો સંપૂર્ણ માર્ગ કાનના વિવિધ ભાગોના ક્રમ સાથે યાદ રાખો.
Question 5. વિશ્રામ કલાવીજસ્થિતિમાન દરમિયાન અક્ષતંત્પટલ ધ્રુવીકૃત હોય છે. આકૃતિ દ્વારા +ve અને –ve આયનોની ગતિ જે ધ્રુવીકૃતતા દર્શાવે છે, વર્ણવો.ℹ️ चित्र व्याख्या (Diagram Explanation): આકૃતિ એક ચેતાકોષના પટલની આરપાર સોડિયમ (Na+) અને પોટેશિયમ (K+) આયનોની સાંદ્રતા અને તેમના વહનને દર્શાવે છે. કોષની બહાર Na+ ની વધુ સાંદ્રતા અને K+ ની ઓછી સાંદ્રતા જ્યારે કોષની અંદર Na+ ની ઓછી સાંદ્રતા અને K+ ની વધુ સાંદ્રતા બતાવવામાં આવી છે, જે પટલની ધ્રુવીકૃત અવસ્થા અને વિદ્યુતભારિત પ્રોટીન દર્શાવે છે.
Answer: વિશ્રામ કલાવીજસ્થિતિમાન દરમિયાન, ચેતાક્ષ પટલ ધ્રુવીકૃત અવસ્થામાં હોય છે. આ પરિસ્થિતિમાં, પટલની બહારની સપાટી પર ધન વીજભાર (+ve) અને અંદરની સપાટી પર ઋણ વીજભાર (-ve) જોવા મળે છે. આયન પંપ (Na+-K+ પંપ) સતત ત્રણ Na+ આયનોને કોષની બહાર ધકેલે છે અને બે K+ આયનોને કોષની અંદર લાવે છે. આ ઉપરાંત, કોષની અંદર મોટી સંખ્યામાં ઋણ વીજભારિત પ્રોટીન હોય છે જે કોષપટલને પાર કરી શકતા નથી. K+ આયનો માટેના ચેનલો Na+ આયનોના ચેનલો કરતાં વધુ પારગમ્ય હોય છે, જેથી K+ આયનો બહાર વધુ પ્રમાણમાં વહી શકે છે. આ બધા પરિબળોને કારણે કોષની અંદરની બાજુએ ઋણ વીજભાર અને બહારની બાજુએ ધન વીજભાર જળવાઈ રહે છે, જે પટલની ધ્રુવીકૃતતા દર્શાવે છે.
In simple words: વિશ્રામી સ્થિતિમાં ચેતાકોષનું પટલ બહારથી ધન અને અંદરથી ઋણ હોય છે, જે Na+ અને K+ આયનોના અસમાન વિતરણ અને કોષમાં રહેલા મોટા ઋણ પ્રોટીનને કારણે થાય છે.
🎯 Exam Tip: વિશ્રામી કલાવીજસ્થિતિમાનમાં Na+-K+ પંપ, આયનોની પારગમ્યતા અને ઋણ વીજભારિત પ્રોટીનની ભૂમિકાને સમજાવો.
Question 6. મગજના રક્ષણ સાથે સંકળાયેલી રચનાઓનાં નામ જણાવો.Answer: પ્રાણીઓમાં મગજના રક્ષણ માટે નીચેની રચનાઓ જોવા મળે છે:
(i) મસ્તિષ્ક પેટી: અસ્થિ દ્વારા બનેલી સખત, રક્ષણાત્મક રચના, જે મગજનું રક્ષણ કરે છે.
(ii) મસ્તિષ્ક આવરણ: ત્રણ પટલયુક્ત રચના (મેનિંગ્સ) થી મગજ આવરિત છે.
(a) અંતઃ તાનિકા: સૌથી અંદરનું પાતળું, નાજુક અને રુધિર કેશિકાયુક્ત આવરણ.
(b) મધ્ય તાનિકા: કરોળિયાના જાળા જેવી રચના ધરાવે છે.
(c) બાહ્ય તાનિકા: સૌથી બહારનું કઠણ તંતુમય આવરણ છે.
(iii) મસ્તિષ્ક મેરુજળ: આવરણની વચ્ચેની જગ્યાઓમાં મધ્ય અને બાહ્ય તાનિકા વચ્ચે ઘર્ષણ અવરોધક દ્રવ્ય તરીકે વર્તે છે.
In simple words: મગજનું રક્ષણ ખોપરી, મસ્તિષ્ક આવરણના ત્રણ સ્તરો (દુરા મેટર, એરેકનોઈડ મેટર, પિયા મેટર) અને મસ્તિષ્ક મેરુજળ દ્વારા થાય છે.
🎯 Exam Tip: મગજના રક્ષણ માટેના મુખ્ય ત્રણ ઘટકો (ખોપરી, મેનિંગ્સ, અને CSF) અને તેમની વિશિષ્ટ ભૂમિકાઓ યાદ રાખો.
Question 7. આપણું ઉગ્ર વર્તન, ધૃણાપ્રેરક શબ્દોનો ઉપયોગ, બેચેની વગેરે મગજ દ્વારા નિયંત્રિત થાય છે, તેમાં જોડાયેલા ભાગોનાં નામ જણાવો.Answer: બૃહદ્ મસ્તિષ્ક ગોળાર્ધના અંદરના વિસ્તારો અને તેની સંલગ્ન ઊંડી રચના લિમ્બિક તંત્ર, હાયપોથલામસની સાથે ઉપર જણાવેલા કાર્યો (દા.ત., ધૃણાપ્રેરક શબ્દો, ઉગ્ર વર્તન, બેચેની) સાથે સંલગ્ન છે.
In simple words: ઉગ્ર વર્તન, ધૃણા અને બેચેની જેવી ભાવનાઓ લિમ્બિક તંત્ર અને હાયપોથલામસ દ્વારા નિયંત્રિત થાય છે, જે મગજના ઊંડા ભાગોમાં સ્થિત છે.
🎯 Exam Tip: ભાવનાત્મક પ્રતિક્રિયાઓમાં લિમ્બિક તંત્ર અને હાયપોથલામસની સંયુક્ત ભૂમિકાને સમજાવો.
Question 8. મગજમાં ભૂખરું દ્રવ્ય અને શ્વેત દ્રવ્ય શેના દ્વારા બને છે ?Answer: ભૂખરું દ્રવ્ય મધ્યસ્થ ચેતાતંત્રનો મુખ્ય ભાગ છે, જેમાં ચેતાકીય કોષકાયો, શિખાતંતુ, મજ્જાપડ રહિત ચેતાક્ષતંતુ, ચેતાધાર (Glial cells) અને રુધિરકેશિકાઓ જોવા મળે છે. શ્વેત દ્રવ્યમાં ચેતાધાર કોષો અને મજ્જાપડયુક્ત ચેતાક્ષતંતુઓ જોવા મળે છે.
In simple words: ભૂખરું દ્રવ્ય ચેતાકોષના મુખ્ય ભાગો (કોષકાય, શિખાતંતુ) અને શ્વેત દ્રવ્ય મજ્જાપડવાળા ચેતાક્ષતંતુઓથી બનેલું છે.
🎯 Exam Tip: મગજના ભૂખરા અને શ્વેત દ્રવ્યના ઘટકો અને તેમના કાર્યાત્મક તફાવતને યાદ રાખો.
Question 9. મનુષ્યના મગજમાં ભૂખ અને તરસ જેવી ઇચ્છાઓના કેન્દ્ર ક્યાં આવેલા છે ?Answer: હાયપોથલામસ.
In simple words: ભૂખ અને તરસની લાગણીનું કેન્દ્ર મગજના હાયપોથલામસ ભાગમાં સ્થિત છે.
🎯 Exam Tip: હાયપોથલામસના મુખ્ય કાર્યો, ખાસ કરીને ભૂખ અને તરસનું નિયંત્રણ, યાદ રાખો.
Question 10. ચક્કર આવવા (Giddiness) ની સંવેદના માટે કયા સંવેદી અંગો સંકળાયેલા છે ?Answer: ચક્કર આવવા (Vertigo) ની સંવેદના માટે કાનના અંતઃકર્ણમાં રહેલા અર્ધવર્તુળી નલિકાઓમાં અંતલસિકા (Endolymph) અને કર્ણાશ્મિઓનું સ્થાનાંતર જેવી સંવેદી રચનાઓ જવાબદાર છે.
In simple words: ચક્કર આવવાની સંવેદના અંતઃકર્ણમાં આવેલી અર્ધવર્તુળી નલિકાઓ અને તેમાંના પ્રવાહી (અંતલસિકા) સાથે સંકળાયેલી છે.
🎯 Exam Tip: અંતઃકર્ણની રચના અને સંતુલન જાળવવામાં તેની ભૂમિકાને વિગતવાર સમજાવો.
Question 11. જ્યારે ઊંચાઈએ મુસાફરી કરતી વખતે વ્યક્તિને ચક્કર આવવા, ઉલ્ટી થવી જેવી સંવેદનાઓ થાય છે. અંતઃકર્ણનો કયો ભાગ મુસાફરી દરમિયાન વિચલિત થાય છે ?Answer: ઊંચાઈએ મુસાફરી કરતી વખતે ચક્કર આવવા, ઉલ્ટી થવાની સંવેદના વગેરે નીચેના કારણોસર થાય છે:
• યુસ્ટેચિયન નલિકાનું કાર્ય કર્ણપટલની બંને તરફની હવાના સમતોલનનું છે. એકાએક ઊંચાઈના કારણે આ સમતોલન જાળવતા વિસ્તારમાં અનિયમિતતા સર્જાય છે.
• અર્ધવર્તુળી નલિકાઓનો એક ફૂલેલો ભાગ તુમ્બિકાની રચના કરે છે. પ્રત્યેક તુમ્બિકામાં રોમયુક્ત કોષો છે, જે શરીરના સમતોલન માટે જવાબદાર હોય છે. ઊંચાઈના તફાવતથી અંતઃ કર્ણની રચનામાં ફેરફાર થતાં ઉપર જણાવેલા લક્ષણો જોવા મળે છે.
In simple words: ઊંચાઈ પર મુસાફરી કરતી વખતે યુસ્ટેચિયન નલિકા અને અંતઃકર્ણની અર્ધવર્તુળી નલિકાઓમાં દબાણ અને પ્રવાહીના ફેરફારને કારણે ચક્કર અને ઉલ્ટી જેવી સમસ્યાઓ થાય છે.
🎯 Exam Tip: યુસ્ટેચિયન નલિકા અને અર્ધવર્તુળી નલિકાઓની ભૂમિકાને ઊંચાઈ પરના દબાણના ફેરફાર સાથે જોડીને સમજાવો.
Question 12. યોગ્ય જોડ પસંદ કરી નીચેના વિધાનો પૂર્ણ કરો.Answer:
| કૉલમ - I | કૉલમ - II |
|---|---|
| (A) વિશ્રામી કલાવીજસ્થિતિમાન | (3) વિશ્રામી કલાવીજસ્થિતિમાનમાં ઇલેક્ટ્રીક પોટેન્શિયલ તફાવત |
| (B) ઉર્મિવેગ | (4) ઉત્તેજના પ્રત્યે ચેતાકોષનો વિદ્યુતકીય તરંગ જેવો પ્રતિચાર |
| (C) ચેતોપાગમીય ફાટ | (2) પૂર્વ ચેતોપાગમ અને પશ્વ ચેતોપાગમ ચેતાકોષ વચ્ચેનો અવકાશ |
| (D) ચેતાપ્રેષકો | (1) સંવેદનાનાં વહન માટે ચેતોપાગમીય સ્થાને સંકળાયેલા રસાયણો |
In simple words: વિશ્રામી કલાવીજસ્થિતિમાન એ વિદ્યુત તફાવત છે, ઉર્મિવેગ એ ચેતાકોષનો પ્રતિભાવ છે, ચેતોપાગમીય ફાટ એ ચેતાકોષો વચ્ચેનો અવકાશ છે, અને ચેતાપ્રેષકો સંદેશા વહન કરનારા રસાયણો છે.
🎯 Exam Tip: દરેક શબ્દાવલિની વ્યાખ્યા અને તેની સાથે સંકળાયેલા ખ્યાલોને સ્પષ્ટ રીતે સમજો.
ટૂંક જવાબી પ્રશ્નો (SQ)
Question 1. મનુષ્યનાં ચેતાતંત્રના મુખ્ય ભાગો નીચે દર્શાવ્યા છે, ખાલી ચોરસ યોગ્ય શબ્દો વડે ભરો.ℹ️ चित्र व्याख्या (Diagram Explanation): આકૃતિ માનવ ચેતાતંત્રની શાખાકીય રચના દર્શાવે છે, જેમાં મધ્યસ્થ ચેતાતંત્ર (CNS) અને પરિધવર્તી ચેતાતંત્ર (PNS) એમ બે મુખ્ય ભાગો છે. CNS ને મગજ અને કરોડરજ્જુમાં વિભાજિત કરવામાં આવ્યું છે, જ્યારે PNS ને દૈહિક અને સ્વયંવર્તી ચેતાતંત્રમાં વહેંચવામાં આવ્યું છે. સ્વયંવર્તી ચેતાતંત્રને વધુ અનુકંપી અને પરાનુકંપી ચેતાતંત્રમાં વિભાજિત કરાયું છે.
Answer:
| મનુષ્યનું ચેતાતંત્ર | ||||
|---|---|---|---|---|
| CNS | PNS | |||
| મગજ | કરોડરજ્જુ | દૈહિક ચેતાતંત્ર | સ્વયંવર્તી ચેતાતંત્ર | |
| અગ્રમગજ | મધ્યમગજ | પશ્વમગજ | અનુકંપી ચેતાતંત્ર | પરાનુકંપી ચેતાતંત્ર |
In simple words: માનવ ચેતાતંત્ર બે મુખ્ય ભાગોમાં વહેંચાયેલું છે: મધ્યસ્થ ચેતાતંત્ર (મગજ અને કરોડરજ્જુ) અને પરિધવર્તી ચેતાતંત્ર (દૈહિક અને સ્વયંવર્તી ચેતાતંત્ર, જેમાં અનુકંપી અને પરાનુકંપીનો સમાવેશ થાય છે).
🎯 Exam Tip: માનવ ચેતાતંત્રના વિવિધ વિભાગો અને તેમના પેટા-વિભાગોને ક્રમબદ્ધ રીતે યાદ રાખો.
Question 2. વિદ્યુતકીય વહન અને રાસાયણિક વહન વચ્ચે શું તફાવત છે?Answer:
| વિદ્યુતકીય વહન | રાસાયણિક વહન |
|---|---|
| વિદ્યુતકીય વહન વિદ્યુતકીય ચેતોપાગમમાં જોવા મળે છે. ચેતોપાગમીય ફાટ હોય અથવા ન હોય. અહીં વિદ્યુતપ્રવાહ એક ચેતાકોષમાંથી સળંગ રીતે ચેતોપાગમમાં થઈ બીજા ચેતાકોષમાં પસાર થાય છે. | રાસાયણિક વહન રાસાયણિક ચેતોપાગમમાં જોવા મળે છે. ચેતોપાગમીય ફાટ હાજર હોય છે. ચેતાપ્રેષકો પૂર્વ ચેતોપાગમીય ચેતાકોષથી, પશ્વચેતોપાગમીય ચેતાકોષમાં વહન પામે છે. રાસાયણિક વહન ધીમું હોય છે. |
In simple words: વિદ્યુતકીય વહન ઝડપી અને સીધું હોય છે જ્યારે રાસાયણિક વહન ચેતાપ્રેષકો દ્વારા થાય છે અને તે ધીમું હોય છે.
🎯 Exam Tip: વિદ્યુતકીય અને રાસાયણિક ચેતોપાગમ વચ્ચેના મુખ્ય તફાવતો (ફાટની હાજરી, વહનનો પ્રકાર, ગતિ) ને સમજાવો.
Question 3. ચેતાતંત્ર અને કોમ્યુટર કેટલાંક સામાન્ય લક્ષણો ધરાવે છે. પાંચ લીટીમાં અભિપ્રાય આપો.Answer: સંવેદી ચેતાકોષો જુદા જુદા અંગોમાં આવેલા છે. તે પર્યાવરણમાંથી સંવેદના ગ્રહણ કરી મગજ સુધી સંદેશ પહોંચાડે છે. તેથી આ કાર્ય કોમ્પ્યુટરના ઇનપુટ ડિવાઈસ જેવું કાર્ય (સમકક્ષ) દર્શાવે છે. મગજ CPU (Central Processing Unit) તરીકે વર્તે છે. સંવેદી ચેતાકોષો દ્વારા પ્રાપ્ત કરાયેલી માહિતીનું મગજમાં પૃથક્કરણ થાય છે અને સંબંધિત અંગને તે પ્રમાણે વર્તવાની સૂચના આપે છે. આ સંદેશા ચાલક ચેતા દ્વારા વહન પામે છે, જે આઉટપુટ ડિવાઈસ તરીકે વર્તે છે.
In simple words: ચેતાતંત્ર અને કમ્પ્યુટર બંને માહિતી મેળવે છે (ઇનપુટ), તેની પ્રક્રિયા કરે છે (CPU/મગજ), અને પછી પ્રતિક્રિયા આપે છે (આઉટપુટ), આમ બંનેમાં સમાન કાર્યપ્રણાલી જોવા મળે છે.
🎯 Exam Tip: ચેતાતંત્રના ઇનપુટ, પ્રોસેસિંગ અને આઉટપુટ કાર્યોને કમ્પ્યુટરના સમાન ઘટકો સાથે સરખાવીને સમજાવો.
Question 4. જો કોઈ વ્યક્તિને ગરદનની પાછળ ફટકો મારવામાં આવે તો તેનાં CNS પર શી અસર થાય છે ?Answer: જો કોઈ વ્યક્તિને ગરદન પાછળ ફટકો પડે તો તેની ભૌતિક કાર્યશક્તિ પર અસર પડે છે. તેને પરિણામે વર્તણૂકીય અથવા સંવેદનાયુક્ત વર્તનમાં ફેરફાર જોવા મળે છે. ગ્રીવામાં થતી ઇજા ક્વાડ્રિપ્લેજીયા (હાથ-પગનાં લકવામાં) પરિણમે છે.
In simple words: ગરદનની પાછળના ભાગમાં ફટકો મારવાથી મધ્યસ્થ ચેતાતંત્ર (CNS) ને ગંભીર નુકસાન થઈ શકે છે, જેનાથી શારીરિક કાર્યશક્તિ અને સંવેદનાઓમાં ફેરફાર આવે છે, અને લકવો પણ થઈ શકે છે.
🎯 Exam Tip: કરોડરજ્જુ અને ગરદનની ઇજાઓની CNS પર થતી અસરોને સમજાવો, ખાસ કરીને લકવા જેવી ગંભીર પરિસ્થિતિઓ.
Question 5. યુસ્ટેચિયન નલિકાનું શું કાર્ય છે ?Answer: યુસ્ટેચિયન નલિકા મધ્યકર્ણ ગુહાને કંઠનળી સાથે જોડે છે. તે કર્ણપટલની બંને તરફ હવાના દબાણનું સમતોલન જાળવવામાં મદદ કરે છે. કંઠનળીમાં કર્ણનલિકા સાથેના જોડાણસ્થાને આવેલ વાલ્વ બગાસું ખાતી વખતે, ખોરાક ગળતી વખતે કે ઊંચાઈમાં એકાએક ફેરફાર થાય તે સમયે ખુલે છે. જ્યારે હવા કર્ણ ગુહાની અંદર કે બહાર જાય છે ત્યારે બંને તરફ હવાનું સમતોલન જાળવે છે.
In simple words: યુસ્ટેચિયન નલિકા કાનના પડદાની બંને બાજુ હવાના દબાણને સંતુલિત કરે છે, જે સાંભળવા માટે જરૂરી છે અને ઊંચાઈના ફેરફાર જેવી સ્થિતિમાં કાનને સુરક્ષિત રાખે છે.
🎯 Exam Tip: યુસ્ટેચિયન નલિકાનું સ્થાન, કાર્ય અને કાનના દબાણ સંતુલનમાં તેની ભૂમિકાને યાદ રાખો.
Question 6. આપેલ આકૃતિમાં તીરની મદદથી નીચેના ભાગો દર્શાવી નામનિર્દેશન કરો.(તરલરસ કોટર, નેત્રમણિ, કનીનિકા, કાચરસ કોટર, અંધ બિંદુ)
ℹ️ चित्र व्याख्या (Diagram Explanation): આકૃતિ માનવ આંખની આંતરિક રચના દર્શાવે છે. તેમાં તરલરસ કોટર (Aqueous chamber), કાચરસ કોટર (Vitreous chamber), નેત્રમણિ (Lens), કનીનિકા (Iris) અને અંધ બિંદુ (Blind spot) જેવા મુખ્ય ભાગોને સ્પષ્ટપણે ઓળખી શકાય છે. આકૃતિ આંખના વિવિધ ઘટકોના સ્થાનને સમજવામાં મદદ કરે છે.
Answer:
પારદર્શક પટલ અને નેત્રમણિ વચ્ચેના અવકાશને તરલરસ કોટર (Aqueous chamber) કહે છે.
નેત્રમણિ અને નેત્રપટલ વચ્ચેના અવકાશને કાચરસ કોટર (Vitreous chamber) કહે છે.
નેત્રમણિ: આંખનો પારદર્શક, બહિર્ગોળ લેન્સ જે પ્રકાશને નેત્રપટલ પર કેન્દ્રિત કરે છે.
કનીનિકા: આંખનો રંગીન ભાગ જે કીકીના કદને નિયંત્રિત કરે છે.
અંધ બિંદુ: નેત્રપટલ પરનો તે વિસ્તાર જ્યાંથી દૃષ્ટિચેતા આંખ છોડે છે અને પ્રકાશગ્રાહી કોષો ગેરહાજર હોય છે.
In simple words: આકૃતિમાં આંખના મુખ્ય ભાગો જેવા કે તરલરસ, નેત્રમણિ, કનીનિકા, કાચરસ અને અંધબિંદુ દર્શાવેલા છે, જે આંખની રચના અને કાર્ય સમજાવે છે.
🎯 Exam Tip: આંખના દરેક ભાગનું સ્થાન અને તેનું કાર્ય સ્પષ્ટ રીતે યાદ રાખો.
Question 4. જો કોઈ વ્યક્તિને ગરદનની પાછળ ફટકો મારવામાં આવે તો તેનાં CNS પર શી અસર થાય છે ?
Answer: ગરદનની પાછળ ફટકો વાગવાથી વ્યક્તિની શારીરિક કાર્યક્ષમતા પર પ્રતિકૂળ અસર પડે છે. આને કારણે વર્તણૂકમાં અથવા સંવેદનાત્મક ક્રિયાઓમાં ફેરફાર જોવા મળે છે. ગરદન પરની ઈજા ક્વાડ્રિપ્લેજિયા (હાથ-પગના લકવા) માં પરિણમી શકે છે.
In simple words: A blow to the neck can affect a person's physical abilities, causing changes in behavior or sensation, and potentially leading to paralysis of all four limbs.
🎯 Exam Tip: Understanding the impact of physical trauma on the central nervous system, particularly the spinal cord in the neck region, is crucial for answering such questions effectively.
Question 5. યુસ્ટેચિયન નલિકાનું શું કાર્ય છે ?
Answer: યુસ્ટેચિયન નલિકા મધ્યકર્ણની ગુહાને કંઠનળી સાથે જોડે છે. તેનું મુખ્ય કાર્ય કર્ણપટલની બંને બાજુએ હવાનું સંતુલન જાળવવાનું છે. કંઠનળીમાં કર્ણનલિકા સાથેના જોડાણ સ્થાને એક વાલ્વ હોય છે, જે સામાન્ય રીતે બંધ રહે છે. આ વાલ્વ બગાસું ખાતી વખતે, ખોરાક ગળતી વખતે અથવા ઊંચાઈમાં અચાનક ફેરફાર થાય ત્યારે ખુલે છે. જ્યારે હવા કર્ણ ગુહાની અંદર કે બહાર જાય છે, ત્યારે તે બંને બાજુએ હવાનું સંતુલન જાળવવામાં મદદ કરે છે.
In simple words: The Eustachian tube connects the middle ear to the pharynx, regulating air pressure on both sides of the eardrum to maintain balance, opening during activities like yawning or swallowing.
🎯 Exam Tip: Focus on the primary function of the Eustachian tube, which is pressure equalization across the eardrum, and the specific actions that cause its valve to open.
Question 6. આપેલ આકૃતિમાં તીરની મદદથી નીચેના ભાગો દર્શાવી નામનિર્દેશન કરો. (તરવરસ કોટર, નેત્રમણિ, કનીનિકા, કાચરસ કોટર, અંધ બિંદુ)
Answer:
ℹ️ चित्र व्याख्या (Diagram Explanation): આકૃતિ માનવ આંખની આંતરિક રચના દર્શાવે છે. તેમાં આંખના મુખ્ય ભાગો જેવા કે તરલરસ કોટર, નેત્રમણિ, કનીનિકા, કાચરસ કોટર અને અંધ બિંદુને તીરો દ્વારા દર્શાવવામાં આવ્યા છે, જે તેમની સંબંધિત સ્થિતિ અને આકાર સમજાવે છે.
In simple words: The diagram illustrates the internal structure of the human eye, pointing out key components such as the aqueous humor chamber, lens, iris, vitreous humor chamber, and the blind spot.
🎯 Exam Tip: For diagrams, clearly labeling each part and understanding its function within the overall structure is essential. Practice drawing and labeling to reinforce learning.
દીર્ઘ જવાબી પ્રશ્નો (LQ)
Question 1. ચેતા પ્રેષકોના વહન અને સ્ત્રાવની પ્રક્રિયા નામનિર્દેશનયુક્ત આકૃતિ (જેમાં ચેતાકોષ, ચેતાન્તો અને ચેતોપાગમ હોય) દ્વારા સમજાવો.
Answer: ચેતાકોષ મુખ્યત્વે ત્રણ ભાગો દર્શાવે છે:
(i) કોષકાય
(ii) શિખાતંતુ
(iii) અક્ષતંતુ
કોઈપણ ઉત્તેજના અથવા ઉર્મિવેગ એક ચેતાકોષમાંથી બીજા ચેતાકોષમાં ચેતાક્ષ દ્વારા વહન પામે છે. ઉર્મિવેગનું વહન વીજરાસાયણિક પ્રક્રિયા છે, જે ઉત્તેજનાને કારણે થાય છે. ચેતાપ્રેષકોનું વહન અને સ્ત્રાવ રેનવીયરની ગાંઠ અને ચેતોપાગમમાં થાય છે. રાસાયણિક ચેતાક્ષનો છેડો ચેતોપાગમમાં પૂર્વ અને પશ્ચ-ચેતોપાગમીય ચેતાકોષો પ્રવાહીથી ભરેલી ચેતોપાગમીય ફાટ દ્વારા અલગ પડે છે. ચેતાપ્રેષકો તરીકે ઓળખાતા રસાયણો આ ચેતોપાગમમાં વહનની ક્રિયા સાથે સંકળાયેલા છે. ચેતાંતો પુટિકાઓ ધરાવે છે, જેમાં ચેતાપ્રેષક દ્રવ્યો રહેલા છે. જ્યારે ઉર્મિવેગ ચેતાંતો આગળ પહોંચે છે, ત્યારે પુટિકાઓ પટલ તરફ ગતિ કરી કોષરસપટલ સાથે જોડાઈ તેમનો ચેતાપ્રેષક દ્રવ્ય મુક્ત કરે છે. મુક્ત થયેલ ચેતાપ્રેષક ચોક્કસ ગ્રાહી સ્થાન, જે પશ્ચ-ચેતાકીય પટલ પર હોય છે, ત્યાં જોડાય છે અને આયનમાર્ગો ખોલે છે, જે નવા સક્રિય વીજસ્થિતિમાનનું નિર્માણ કરે છે.
ℹ️ चित्र व्याख्या (Diagram Explanation): આકૃતિ એક ચેતોપાગમની રચના દર્શાવે છે, જેમાં પૂર્વ-ચેતોપાગમીય ચેતાક્ષ, ચેતોપાગમીય પુટિકાઓ, ચેતોપાગમીય ફાટ અને પશ્ચ-ચેતોપાગમીય પટલ પરના ગ્રાહીઓ શામેલ છે. આ ચેતાપ્રેષકોના મુક્ત થવા અને સંચારની પ્રક્રિયાને સમજાવે છે.
In simple words: Nerve impulses travel through neurons. At the synapse, neurotransmitters are released from vesicles in the presynaptic terminal, cross the synaptic cleft, and bind to receptors on the postsynaptic membrane, generating a new electrical signal.
🎯 Exam Tip: When explaining synaptic transmission, ensure to describe the roles of neurotransmitters, synaptic cleft, and receptors clearly, emphasizing the electrochemical nature of the process. A well-labeled diagram is highly beneficial.
Question 2. મનુષ્યનાં અગ્ર મગજનાં વિવિધ ભાગોનાં નામ અને તેને સંબંધિત કાર્યો જણાવો.
Answer: અગ્ર મગજ (Fore Brain):
અગ્ર મગજમાં બૃહદ્ મસ્તિષ્ક (Cerebrum), થેલેમસ અને હાઈપોથેલેમસનો સમાવેશ થાય છે. બૃહદ્ મસ્તિષ્ક મગજનો સૌથી મોટો ભાગ છે. તે મધ્યમ રીતે ઊંડી ફાટ દ્વારા બે અડધા ગોળાર્ધમાં વિભાજિત થાય છે, જેને બૃહદ્ મસ્તિષ્ક ગોળાર્ધ કહે છે. આ બંને ગોળાર્ધ ચેતાતંતુઓની પટ્ટી દ્વારા જોડાયેલા છે, જેને કોર્પસ કેલોસમ કહે છે. મસ્તિષ્ક ગોળાર્ધને ઘેરતા કોષોના સ્તરને મસ્તિષ્ક બાહ્યક (Cortex) કહે છે, જે નિશ્ચિત ગડીઓ (Sulci) માં ફેરવાય છે. મસ્તિષ્ક બાહ્યક (Cortex) ભૂખરું દ્રવ્ય ધરાવે છે, જેમાં ચેતાકોષના કોષકાયો જોવા મળે છે. મસ્તિષ્ક બાહ્યકમાં પ્રેરક વિસ્તારો, સંવેદી વિસ્તારો અને સંયોજક વિસ્તારો હોય છે, જે સંપૂર્ણ સંવેદી કે પ્રેરક હોય છે. આ વિસ્તારોને સંગઠન વિસ્તારો (Association area) કહે છે, જે જટિલ કાર્યો જેવા કે આંતર-સંવેદી સંગઠનો, વાતચીત અને યાદશક્તિ માટે જવાબદાર છે. આ પથના તંતુઓ (Tract) મજ્જા આવરણ દ્વારા આવૃત હોય છે, જે મસ્તિષ્ક ગોળાર્ધનો અંદરનો ભાગ (મજ્જા-Medulla) બનાવે છે, તે સપાટીએથી અપારદર્શક સફેદ દેખાય છે, તેથી તેને શ્વેત દ્રવ્ય (White matter) કહે છે. બૃહદ્ મસ્તિષ્ક આવરણથી ઘેરાયેલી રચનાને થેલેમસ કહે છે, જે સંવેદી અને પ્રેરક સંદેશાઓનું સહનિયમન કરે છે. થેલેમસના તળિયાના ભાગમાં હાઈપોથેલેમસ આવેલો છે. તેમાં આવેલા કેન્દ્રો શરીરના તાપમાન, ખાવા-પીવાની તીવ્રતાનું નિયંત્રણ કરે છે. હાઈપોથેલેમસ પણ ચેતાકોષોના જૂથ ધરાવે છે, જે અંતઃસ્ત્રાવોનો સ્રાવ કરે છે. મસ્તિષ્ક ગોળાર્ધના અંદરના ભાગો અને સંલગ્ન ઊંડી રચનાઓના સમૂહ જેવા કે બદામ આકારનો ભૂખરા દ્રવ્યનો સમૂહ (Amygdala) અને હિપોકેમ્પસ (Hippocampus) જટિલ રચના ધરાવે છે, તેને લિમ્બિક તંત્ર કહે છે. હાઈપોથેલેમસની સાથે મળીને તે જાતીય વર્તણૂક, પ્રતિક્રિયાની અભિવ્યક્તિ (જેમ કે ખુશી, ગુસ્સો, ભય) અને પ્રેરણાનું નિયમન કરે છે.
In simple words: The forebrain includes the cerebrum, thalamus, and hypothalamus. The cerebrum controls voluntary actions, memory, and complex thoughts, while the thalamus regulates sensory and motor signals. The hypothalamus manages body temperature, hunger, thirst, and hormone release, also contributing to emotional responses with the limbic system.
🎯 Exam Tip: To score well, define each part of the forebrain (cerebrum, thalamus, hypothalamus) and clearly list their distinct functions, highlighting their coordinated roles in controlling complex bodily processes and behaviors.
Question 3. મધ્યકર્ણ અને અંતઃકર્ણની રચના આકૃતિની મદદથી સમજાવો.
Answer: મધ્યકર્ણ (Middle Ear):
મધ્યકર્ણ એક પાતળી, અંડાકાર કલા છે, જે તંતુમય સંયોજક પેશીની બનેલી છે. તેની બહારની બાજુ ચામડી અને અંદરની બાજુ સ્નાયુમય સ્તર આવેલું છે. કર્ણપટલની અંદરની દીવાલમાં બે છિદ્રો આવેલા છે. ઉપરના છિદ્રને ગોળ ગવાક્ષ (Round window) અને નીચે આવેલા છિદ્રને અંડાકાર ગવાક્ષ (Oval window) કહે છે. બંને છિદ્રની ફરતે કલા આવેલી છે. મધ્યકર્ણમાં નાના, હલનચલન કરી શકે તેવાં સાંધાવાળા ત્રણ કર્ણાસ્થિ આવેલા છે:
1. હથોડી (Malleus): કર્ણપટલ સાથે જોડાયેલું છે.
2. એરણ (Incus): મધ્યમાં જોવા મળે છે.
3. પેંગડું (Stapes): પદાકારનું સૌથી નાનું અસ્થિ છે. પેંગડું શંખિકા (Cochlea) ના અંડાકાર ગવાક્ષ સાથે જોડાયેલું છે. આ ત્રણેય અસ્થિઓ સાંકળની જેમ એકબીજા સાથે જોડાયેલા હોય છે. કર્ણાસ્થિનું કાર્ય અવાજનાં મોજાંનું અંતઃકર્ણ સુધી વહન કરવાનું છે, અવાજનાં મોજાં 20 ગણા વધુ ધ્વનિ વિસ્તારીત થાય છે. કર્ણ કંઠનળી (Eustachian tube) મધ્યકર્ણ ગુહાને કંઠનળી સાથે જોડે છે. કર્ણ કંઠનળી બંને બાજુના કર્ણપટલ પરનાં દબાણને સંતુલિત કરવામાં મદદ કરે છે.
અંતઃકર્ણ (Inner Ear):
અનિયમિત, નાજુક અને જટિલ અંગ છે, જેને કલાકુહર (Membranous labyrinth) કહે છે અને તે અસ્થિ કુંડલ (bony labyrinth) માં વીંટળાયેલું છે. આ બંને વચ્ચેનો અવકાશ બાહ્ય લસિકા પ્રવાહીથી ભરેલો છે. કલાકુહર પણ અંતઃલસિકા પ્રવાહીથી ભરેલો હોય છે. કલાકુહર ત્રણ ભાગનું બનેલું હોય છે:
(1) ઉદરિકા
(2) અર્ધવર્તુળી નલિકા અને
(3) શંખિકા
(1) ઉદરિકા: કોથળી બે કોટરની બનેલી છે, જેમાં મોટા કોટરને યુટ્રિકલ અને નાના કોટરને સેક્યુલી કહે છે, જે શંખિકા નલિકામાં ખુલે છે. યુટ્રિકલ અને સેક્યુલીની દીવાલ પર મેક્યુલા (macula) આવેલ છે. મેક્યુલા રોમમય કોષ સમૂહો અને આધાર કોષો ધરાવે છે. આધાર કોષ ઘણા નાના સ્ફટિકો ધરાવે છે, જેને ઓટોકોનિયા (Otoconia) કે કાનનાં પથ્થરો કહે છે, તે કેલ્શિયમ કાર્બોનેટ અને પ્રોટીનનાં બનેલા છે.
(2) અર્ધવર્તુળી નલિકાઓ: અગ્ર, પશ્ચ અને પાર્શ્વ બાજુએ ગોઠવાયેલી 3 અર્ધવર્તુળી નલિકાઓ હોય છે. દરેક નલિકા યુટ્રિકલના બંને છેડે ખુલે છે. દરેક નલિકાનો છેડો ફૂલેલો હોય છે, તેને તુમ્બિકા (Ampulla) કહે છે. દરેક તુમ્બિકા પર સંવેદી સ્તર જોવા મળે છે, તેને ક્રિસ્ટા કહે છે. ક્રિસ્ટા પર આવેલા સૂક્ષ્મ પ્રવર્ધોને સ્ટીરીઓ સિલિયા અને કીનો સિલિયા કહે છે. અગ્ર અને પાર્શ્વ નલિકાઓ એક જ નલિકામાંથી ઉદ્ભવે છે, તેને ક્રસ કોમ્યુન કહે છે. કાર્ય: સમતુલન જાળવે છે.
ℹ️ चित्र व्याख्या (Diagram Explanation): આ આકૃતિ શંખિકાની આંતરિક રચના દર્શાવે છે, જેમાં સ્કેલા મીડિયા, કોર્ટિકાય, રેઇસનર્સ કલા, સ્કેલા વેસ્ટિબ્યુલી, આધારકલા, સ્કેલા ટેમ્પેની અને ટેક્ટોરિયલ કલા જેવા મુખ્ય ઘટકો સ્પષ્ટપણે દ્રશ્યમાન છે. આ રચના શ્રવણ પ્રક્રિયા માટે મહત્વપૂર્ણ છે.
(3) શંખિકા (Cochlea): તે સર્પાકાર, ગૂંચળાકાર નલિકા છે, જે શંખના કવચને મળતી આવે છે. અસ્થિકુહરનો ભાગ જે શંખિકા નલિકાને વીંટળાયેલો છે તેને સંયુક્ત રીતે શંખિકા કહે છે. સેક્યુલીનો પશ્ચ ભાગ સ્પ્રિંગની જેમ ગૂંચળામય હોય છે, તેને શંખિકા નલિકા (Cochlear canal) કહે છે. શંખિકા નલિકા એ સેક્યુલી સાથે નલિકા દ્વારા જોડાયેલી હોય છે, તેને ડક્ટસ રીયુનિયન્સ કહે છે. શંખિકામાં ત્રણ આયામ કોટર આવેલા છે, જે સ્કેલા (Scalae) તરીકે ઓળખાય છે, એકબીજાથી પાતળી કલા દ્વારા છૂટા પડેલા છે.
1. સ્કેલા મીડિયા: શંખિકામાં મધ્યના કોટરને સ્કેલા મીડિયા કહે છે, જે કોર્ટીકાય ધરાવે છે.
2. રીસેનર્સ કલા: સ્કેલા મીડિયાની છતને રીસેનર્સ મેમ્બ્રેન કહે છે.
3. બેસીલર કલા: સ્કેલા મીડિયાનો તલપ્રદેશ છે.
કોર્ટીકાય (Organ of Corti) સાંભળવાનું અંગ છે, જે રીસેપ્ટર કોષો (રોમમય કોષો) અને આધાર કોષોનું બનેલું છે. રોમમય કોષો તેમની મુક્ત સપાટી પર રોમ ધરાવે છે અને તળિયાના ભાગ પર ચેતોપાગમનો સંપર્ક અંતર્વાહી ચેતાતંતુઓ સાથે હોય છે. દરેક રોમ કોષોનાં ટોચના ભાગેથી પ્રવર્ધો નીકળે છે, જેને ત્રિ-પરિમાણીય પક્ષ્મ (Stereocilia) કહે છે. રોમ કોષોની હરોળની ઉપર પાતળી સ્થિતિસ્થાપક કલા આવેલ છે, જેને ટેક્ટોરિયલ કલા (Tectorial membrane) કહે છે. આધાર કોષો બે પ્રકારના છે:
1. લાંબા સ્તંભીય કોષો અને
2. નાના ફેલેનજીયલ કોષો.
In simple words: The middle ear contains the eardrum and three ossicles (malleus, incus, stapes) which transmit and amplify sound vibrations to the inner ear. The inner ear includes the cochlea (for hearing) and the semicircular canals and vestibule (for balance), each with specialized structures to convert physical stimuli into nerve impulses.
🎯 Exam Tip: For this comprehensive question, ensure you describe each part of the middle and inner ear (eardrum, ossicles, Eustachian tube, cochlea, vestibule, semicircular canals) with their specific structures and functions. Clearly differentiate between hearing and balance mechanisms.
Free study material for Biology
GSEB Solutions Class 11 Biology Chapter 21 ચેતાકીય નિયંત્રણ અને સહનિયમન
Students can now access the GSEB Solutions for Chapter 21 ચેતાકીય નિયંત્રણ અને સહનિયમન prepared by teachers on our website. These solutions cover all questions in exercise in your Class 11 Biology textbook. Each answer is updated based on the current academic session as per the latest GSEB syllabus.
Detailed Explanations for Chapter 21 ચેતાકીય નિયંત્રણ અને સહનિયમન
Our expert teachers have provided step-by-step explanations for all the difficult questions in the Class 11 Biology chapter. Along with the final answers, we have also explained the concept behind it to help you build stronger understanding of each topic. This will be really helpful for Class 11 students who want to understand both theoretical and practical questions. By studying these GSEB Questions and Answers your basic concepts will improve a lot.
Benefits of using Biology Class 11 Solved Papers
Using our Biology solutions regularly students will be able to improve their logical thinking and problem-solving speed. These Class 11 solutions are a guide for self-study and homework assistance. Along with the chapter-wise solutions, you should also refer to our Revision Notes and Sample Papers for Chapter 21 ચેતાકીય નિયંત્રણ અને સહનિયમન to get a complete preparation experience.
FAQs
The complete and updated GSEB Class 11 Biology Solutions Chapter 21 ચેતાકીય નિયંત્રણ અને સહનિયમન is available for free on StudiesToday.com. These solutions for Class 11 Biology are as per latest GSEB curriculum.
Yes, our experts have revised the GSEB Class 11 Biology Solutions Chapter 21 ચેતાકીય નિયંત્રણ અને સહનિયમન as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Biology concepts are applied in case-study and assertion-reasoning questions.
Toppers recommend using GSEB language because GSEB marking schemes are strictly based on textbook definitions. Our GSEB Class 11 Biology Solutions Chapter 21 ચેતાકીય નિયંત્રણ અને સહનિયમન will help students to get full marks in the theory paper.
Yes, we provide bilingual support for Class 11 Biology. You can access GSEB Class 11 Biology Solutions Chapter 21 ચેતાકીય નિયંત્રણ અને સહનિયમન in both English and Hindi medium.
Yes, you can download the entire GSEB Class 11 Biology Solutions Chapter 21 ચેતાકીય નિયંત્રણ અને સહનિયમન in printable PDF format for offline study on any device.