Get the most accurate GSEB Solutions for Class 10 Social Science Chapter 09 વન અને વન્યજીવ સંસાધન here. Updated for the 2026-27 academic session, these solutions are based on the latest GSEB textbooks for Class 10 Social Science. Our expert-created answers for Class 10 Social Science are available for free download in PDF format.
Detailed Chapter 09 વન અને વન્યજીવ સંસાધન GSEB Solutions for Class 10 Social Science
For Class 10 students, solving GSEB textbook questions is the most effective way to build a strong conceptual foundation. Our Class 10 Social Science solutions follow a detailed, step-by-step approach to ensure you understand the logic behind every answer. Practicing these Chapter 09 વન અને વન્યજીવ સંસાધન solutions will improve your exam performance.
Class 10 Social Science Chapter 09 વન અને વન્યજીવ સંસાધન GSEB Solutions PDF
નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તર લખો:
Question 1. જંગલોના પ્રકાર વિશે સવિસ્તર નોંધ લખો. અથવા વહીવટી દષ્ટિએ જંગલોના પ્રકાર જણાવી, તેમનું વર્ણન કરો.
Answer:
(i) વહીવટી કારણોસર જંગલોને ત્રણ ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. જેમાં 1. અનામત જંગલો (આરક્ષિત જંગલો) (Reserved Forest), 2. સંરક્ષિત જંગલો (Protected Forest) અને 3. અવર્ગીકૃત જંગલો (Unclassified Forest) નો સમાવેશ થાય છે.
1. અનામત જંગલો (આરક્ષિત જંગલો):
જે જંગલોને લાકડું અને જંગલ પેદાશો મેળવવા માટે કાયમ માટે સુરક્ષિત કે આરક્ષિત રાખવામાં આવ્યાં હોય, તેમને 'અનામત' કે 'આરક્ષિત જંગલો' કહેવાય છે.
* તેમાં વૃક્ષો કાપવા, લાકડાં એકઠા કરવા, ખેતી કરવા કે પશુ ચરાવવાની મંજૂરી અપાતી નથી.
* આ જંગલો સરકારના સીધા નિયંત્રણ હેઠળ હોય છે.
* તે ભારતના કુલ વન વિસ્તારનો 54.4% ભાગ આવરી લે છે.
2. સંરક્ષિત જંગલો:
ત્યાં ઝાડને નુકસાન કર્યા વિના લાકડાં એકઠા કરવા, ખેતી કરવા કે પશુ ચરાવવાની સ્થાનિક લોકોને પરવાનગી અપાય છે.
* આ જંગલોની સંભાળ સરકારી વિભાગો દ્વારા રખાય છે.
* તે ભારતના કુલ વન વિસ્તારનો 29.2% ભાગ ધરાવે છે.
3. અવર્ગીકૃત જંગલો:
જે જંગલ વિસ્તારો ખૂબ જ ગીચ અને પહોંચવા મુશ્કેલ હોવાથી વર્ગીકૃત કરાયા નથી, તેમને 'અવર્ગીકૃત જંગલો' કહેવામાં આવે છે.
* તેમાં વૃક્ષો કાપવા, ખેતી કરવા કે પશુઓ ચરાવવા પર કોઈ રોક નથી.
* તે ભારતના કુલ વન વિસ્તારનો 16.4% ભાગ આવરે છે.
(ii) માલિકી અને વ્યવસ્થાપનની દષ્ટિએ જંગલોના પ્રકારો:
1. રાજ્યની માલિકીનું જંગલ (State Forest):
આવા પ્રકારના જંગલો પર કેન્દ્ર કે રાજ્ય સરકારનું નિયંત્રણ હોય છે. દેશના ઘણા મોટા જંગલો આ પ્રકારના હોય છે.
2. સામુદાયિક જંગલ (Communal Forest):
આ જંગલો પર ગ્રામપંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા જેવી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનું નિયંત્રણ જોવા મળે છે.
3. ખાનગી જંગલ (Private Forest):
આવા જંગલો વ્યક્તિગત માલિકીના હોય છે. આ પ્રકારના ઘણા જંગલો બગડી ગયા છે અથવા ઉજ્જડ બની ગયા છે. ભારતના ઓડિશા, મેઘાલય, પંજાબ, હિમાચલ પ્રદેશ જેવા રાજ્યોમાં આવા જંગલો જોવા મળે છે.
In simple words: જંગલોને વહીવટી અને માલિકીના આધારે અલગ-અલગ પ્રકારોમાં વહેંચવામાં આવે છે. અનામત જંગલો સંપૂર્ણપણે સરકારના નિયંત્રણમાં હોય છે અને તેમાં કોઈ પ્રવૃત્તિ કરવાની છૂટ હોતી નથી. સંરક્ષિત જંગલોમાં સ્થાનિક લોકોને મર્યાદિત પ્રવૃત્તિઓની છૂટ મળે છે. અવર્ગીકૃત જંગલો દુર્ગમ હોય છે અને તેના પર કોઈ ખાસ નિયંત્રણ નથી. માલિકીના આધારે રાજ્ય, સમુદાય કે વ્યક્તિના જંગલો હોય છે.
Exam Tip: જ્યારે જંગલોના પ્રકારો વિશે પૂછવામાં આવે ત્યારે વહીવટી અને માલિકી-વ્યવસ્થાપન એમ બંને દૃષ્ટિકોણથી વર્ણન કરવું જરૂરી છે, દરેક પ્રકારની મુખ્ય વિશેષતાઓ અને ભારતમાં તેનું પ્રમાણ પણ સ્પષ્ટ કરવું.
Question 2. વન-સંરક્ષણના ઉપાયો વર્ણવો. અથવા જંગલોના સંરક્ષણ માટેના ઉપાયો વર્ણવો.
Answer: વન-સંરક્ષણ માટેના ઉપાયો નીચે મુજબ છે:
* બળતણની જરૂરિયાત માટે લાકડાને બદલે સૌર ઊર્જા, પવન ઊર્જા, બાયો ઊર્જા વગેરેનો ઉપયોગ કરવા લોકોને પ્રોત્સાહન આપવું.
* બળતણ માટે લાકડાને બદલે વાપરી શકાય તેવી સામગ્રી માટે સંશોધન કરવું.
* જરૂરિયાત કે બાંધકામ માટે જે વૃક્ષો અનિવાર્યપણે કાપવા પડે, તેની જગ્યાએ એ જ જાતિના વૃક્ષો વાવવા જોઈએ. નાના વૃક્ષો કાપવા પર સંપૂર્ણ રોક લગાવવી જોઈએ.
* જંગલોમાંથી કાચો માલ મેળવતા ઉદ્યોગોને તેમની જરૂરિયાત માટે વનીકરણ કરવાની ફરજ આપવી જોઈએ.
* ઇકો-ટુરિઝમના વિકાસના નામે જંગલોની સ્થિતિ ન બગડે તે માટે કડક નિયંત્રણ રાખવું.
* સ્થાનિક લોકોમાં જંગલોની સુરક્ષા માટે મોટા જનજાગૃતિ કાર્યક્રમો ગોઠવવા.
* શાળા-કૉલેજોનાં પાઠ્યપુસ્તકોમાં વન-સંરક્ષણ અંગેની માહિતીનો સમાવેશ કરવો અને વિદ્યાર્થીઓને વન-સંરક્ષણની જરૂરિયાત સમજાવવી.
* ઘાસચારા અને બળતણની જરૂરિયાત માટે સામાજિક વનીકરણ (Social Forestry) અને કૃષિ વનીકરણ (Agro Forestry) જેવા કાર્યક્રમોને પ્રોત્સાહન આપવા માટે સઘન પગલાં લેવાં.
* વન-સંસાધનોનો કાળજીપૂર્વક ઉપયોગ કરવો. જીવાતોથી ખરાબ થયેલા વૃક્ષોને દૂર કરવાથી બીજા તંદુરસ્ત વૃક્ષો બચી જશે અને તેમનો વિકાસ ઝડપી બનશે.
* દાવાનળથી જંગલો નાશ પામે છે. જંગલોમાં આગ ન લાગે તેની સાવચેતી રાખવી અને આગ લાગે તો તેના તાત્કાલિક શમન માટે રાષ્ટ્રીય સ્તરે સ્વતંત્ર તંત્ર કે દળ ઊભું કરવું.
* જંગલ વિસ્તારોમાં આવેલા ધાર્મિક સ્થળો પર યોજાતા મેળાઓ, ભંડારા કે પરિક્રમા જેવી પ્રવૃત્તિમાં હજારો યાત્રાળુઓ એકઠા થાય છે. તે સમય દરમિયાન જંગલમાં ભેગા થતા કચરાનો યોગ્ય નિકાલ ન થતાં જંગલ દૂષિત થાય છે.
* પાલતુ પશુઓને ચરાવવા માટે અલગ વિસ્તારો હોવા જોઈએ.
In simple words: જંગલોને બચાવવા માટે લાકડાને બદલે વૈકલ્પિક ઊર્જાનો ઉપયોગ કરવો જોઈએ, નવા વૃક્ષો વાવવા જોઈએ અને નાના વૃક્ષો કાપવા પર પ્રતિબંધ મૂકવો જોઈએ. જનજાગૃતિ વધારવી, જંગલની આગ અટકાવવી અને પર્યાવરણને નુકસાન કરતી પ્રવૃત્તિઓ પર નિયંત્રણ રાખવું પણ ખૂબ જરૂરી છે.
Exam Tip: વન-સંરક્ષણના ઉપાયોમાં વૈકલ્પિક ઇંધણ, પુનર્વનીકરણ, જનજાગૃતિ, અને કડક નિયમન જેવા મુખ્ય મુદ્દાઓ પર ભાર મૂકવો. દરેક મુદ્દાને સ્પષ્ટ રીતે સમજાવવો.
Question 3. વન્ય જીવોના સંરક્ષણ માટેની વિવિધ યોજનાઓ વર્ણવો.
Answer: વન્ય જીવોના સંરક્ષણ માટેની વિવિધ પરિયોજનાઓ નીચે મુજબ છે:
1. **વાઘ પરિયોજના:** અનિયંત્રિત ગેરકાયદેસર શિકાર અને જંગલોના વિનાશને કારણે ભારતના રાષ્ટ્રીય પ્રાણી વાઘના અસ્તિત્વ સામે મોટો ભય ઊભો થયો હતો. આથી વાઘની પ્રજાતિને બચાવવાના હેતુથી ભારત સરકારે ઈ.સ. 1971માં "વાઘ પરિયોજના" (ટાઈગર પ્રોજેક્ટ) શરૂ કરી છે. આ યોજના મુજબ વાઘના કુદરતી નિવાસસ્થાનોને સુરક્ષિત રાખવા અને તેનું પર્યાવરણીય સંતુલન જાળવવા રાષ્ટ્રીય સ્તરે ઘણાં પગલાં લેવામાં આવ્યાં. આ પરિયોજના હેઠળ હાલમાં દેશમાં કુલ 44 જેટલાં ક્ષેત્રો કામ કરી રહ્યાં છે.
2. **હાથી પરિયોજના:** હાથીઓને તેમના કુદરતી રહેઠાણોમાં સુરક્ષા આપવા તેમજ તેમના સ્થળાંતરના માર્ગો (Corridor)નું રક્ષણ કરવાના હેતુથી ભારત સરકારે ઈ.સ. 1992માં હાથી "પરિયોજના" શરૂ કરી છે. આ પરિયોજના હેઠળ હાલમાં દેશમાં 26 જેટલા સંરક્ષિત વિસ્તારો છે. આ યોજનાના અમલ થવાથી જંગલોમાં હાથીઓની સંખ્યામાં વધારો થયો છે. આ યોજના હેઠળ પાલતુ હાથીઓના પાલનપોષણ માટે પણ કામગીરી કરાય છે.
3. **ગેંડા પરિયોજના:** આ પરિયોજના અસમ રાજ્યમાં અને પશ્ચિમ બંગાળના સુંદરવનમાં રહેતા ગેંડાની પ્રજાતિના સંરક્ષણ માટે બનાવવામાં આવી છે. ભારતનું "રાઈનો વિઝન" (Rhino Vision) 2020નું લક્ષ્ય છે કે ભારતમાં ગેંડાની સંખ્યા 3000 સુધી લઈ જવી.
4. **ઘડિયાલ પરિયોજના:** મીઠા પાણીમાં રહેતી ઘડિયાલ નામની મગરોની જાતિ ઈ.સ. 1970ના દાયકામાં લગભગ લુપ્ત થવાની આરે હતી. મગરોની પ્રજાતિને બચાવવાના હેતુથી ભારત સરકારે આ પરિયોજના શરૂ કરી છે.
5. **ગીધ પરિયોજના:** ગીધ એ પ્રકૃતિનો સફાઈ કામદાર છે. તે મરેલા ઢોરનું માંસ ખાય છે. ભારતમાં ગીધની કુલ 9 જાતિઓ છે. ગીધોની સંખ્યામાં વધારો કરવા ભારત સરકારે ઈ.સ. 2004માં "ગીધ પરિયોજના" શરૂ કરી છે.
6. **હિમદીપડા પરિયોજના:** હિમાલયમાં આશરે 3000 મીટરની ઊંચાઈએ બરફથી ઢંકાયેલા વિસ્તારોમાં હિમદીપડાની જાતિ વસે છે. સ્થાનિક લોકોમાં હિમદીપડા વિશે જાગૃતિ વધે અને તેના સંરક્ષણ માટે જાગૃત થાય તે હેતુથી ભારત સરકારે ઈ.સ. 2000માં "હિમદીપડા પરિયોજના" શરૂ કરી છે.
ઉપર જણાવેલ પરિયોજનાઓ ઉપરાંત, દેશમાં "કાશ્મીરી હંગુલ પરિયોજના", "લાલ પાંડા પરિયોજના", "મણિપુર થામિલ પરિયોજના", "ગંગા ડોલ્ફિન પરિયોજના" વગેરે યોજનાઓ પણ ચાલી રહી છે.
In simple words: ભારતમાં વિવિધ વન્ય જીવોને બચાવવા માટે સરકાર દ્વારા ઘણી યોજનાઓ શરૂ કરવામાં આવી છે. તેમાં વાઘ, હાથી, ગેંડા, ઘડિયાલ, ગીધ અને હિમદીપડા જેવી પ્રજાતિઓ માટે ખાસ પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. આ યોજનાઓ તેમના નિવાસસ્થાનોનું રક્ષણ કરવા અને તેમની સંખ્યા વધારવા માટે કામ કરે છે.
Exam Tip: વન્યજીવ સંરક્ષણ યોજનાઓ વિશે લખતી વખતે, દરેક યોજનાનું નામ, તે કયા પ્રાણી માટે છે, તે ક્યારે શરૂ થઈ અને તેના મુખ્ય ઉદ્દેશો સ્પષ્ટ રીતે દર્શાવવા.
નીચેના પ્રશ્નોના ઉત્તર મુદ્દાસર લખો:
Question 1. જૈવ આરક્ષિત ક્ષેત્ર એટલે શું?
Answer: જેમના પર નાશ થવાનો ભય હોય તેવા વન્ય જીવોના રક્ષણ અને વિકાસ માટે સુરક્ષિત કરાયેલા વિસ્તારોને 'અભયારણ્ય' કહેવામાં આવે છે.
* કોઈ એક ખાસ જાતિના સંરક્ષણ માટે રાજ્ય સરકાર અભયારણ્ય બનાવી શકે છે.
* તેમાં મર્યાદિત પ્રમાણમાં માનવીય પ્રવૃત્તિઓ કરી શકાય છે.
* સત્તાધિકારી પાસેથી પરવાનગી મેળવીને અહીં પાલતુ પશુઓને ચરાવી શકાય છે.
* પેરિયાર, ચંદ્રપ્રભા, એતુરનાગરમ્, સરિકા વગેરે દેશના જાણીતા અભયારણ્યો છે.
In simple words: જૈવ આરક્ષિત ક્ષેત્ર એ પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિવિધતાનું રક્ષણ કરતો વિસ્તાર છે. અહીં વનસ્પતિઓ, જીવજંતુઓ, જમીન અને માનવ સમુદાયની જીવનશૈલીનું સંરક્ષણ થાય છે, અને બહારની માનવીય પ્રવૃત્તિઓ પર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે.
Exam Tip: જૈવ આરક્ષિત ક્ષેત્રની વ્યાખ્યા આપતી વખતે તેના મુખ્ય હેતુઓ, તેમાં થતી પ્રવૃત્તિઓ પરના નિયંત્રણો અને કેટલાક જાણીતા ઉદાહરણોનો સમાવેશ કરવો.
Question 2. ગુજરાતમાં અગાઉ ક્યાં ક્યાં વાઘ જોવા મળતા હતા?
Answer: ગુજરાતમાં પહેલાં ઈડર, અંબાજી, પંચમહાલ અને ડાંગના જંગલોમાં વાઘ જોવા મળતા હતા.
In simple words: પહેલાં ગુજરાતમાં ઈડર, અંબાજી, પંચમહાલ અને ડાંગના જંગલોમાં વાઘ હતા.
Exam Tip: જ્યારે આવા વિશિષ્ટ પ્રશ્નો પૂછાય ત્યારે સચોટ સ્થળોના નામ યાદ રાખીને લખવા જેથી ઉત્તર પૂર્ણ ગણાય.
Question 3. નિર્વનીકરણની અસરો જણાવો. અથવા જંગલોના વિનાશની અસરો જણાવો. અથવા નિર્વનીકરણના પ્રભાવ વિશે લખો.
Answer: નિર્વનીકરણ – એટલે કે જંગલોના વિનાશની – અસરો નીચે મુજબ છે:
* વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ વધ્યું છે.
* ગ્રીનહાઉસ અસર (હરિત ગૃહ પ્રભાવ)ની અસરો વધુ ગંભીર બની છે.
* જમીનના ધોવાણથી ખેતીની ફળદ્રુપતામાં ઘટાડો થયો છે.
* દીપકલ્પીય ભારતના જંગલોનો મોટા પાયે નાશ થવાથી જંગલનો વિસ્તાર ઓછો થયો છે.
* વૈશ્વિક તાપમાનમાં વધારો થયો છે.
* વરસાદનું પ્રમાણ ઘટ્યું છે.
* દુષ્કાળનું પ્રમાણ વધ્યું છે.
* ઘણા વન્ય જીવો બેઘર બન્યા છે.
* વન્ય જીવો ખોરાક અને પાણીની શોધમાં માણસો રહે છે તેવા વિસ્તારોમાં આવી જાય છે.
* માંસાહારી વન્ય જીવો દ્વારા જંગલ નજીકના વિસ્તારોમાં રહેતા પશુપાલકોના પાલતુ પશુઓના શિકારની ઘટનાઓ વધી રહી છે.
* કેટલાક વન્ય પ્રાણીઓ લુપ્ત થઈ ગયા છે.
In simple words: જંગલોના નાશથી વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઈડ વધે છે, ગ્રીનહાઉસ અસર ગંભીર બને છે, જમીનનું ધોવાણ થાય છે, વરસાદ ઘટે છે, દુષ્કાળ વધે છે, ઘણા પ્રાણીઓ બેઘર બને છે અને કેટલાક લુપ્ત પણ થાય છે.
Exam Tip: નિર્વનીકરણની અસરો લખતી વખતે પર્યાવરણીય, જૈવિક અને સામાજિક એમ ત્રણેય પાસાંને આવરી લેવાનો પ્રયાસ કરો.
Question 4. લુપ્ત થતા વન્ય જીવ વિશે નોંધ લખો. અથવા “લુપ્ત થતા વન્ય જીવન અંગે ગંભીરતાથી વિચારવાનો સમય પાકી ગયો છે.” આ વિધાન સમજાવો. અથવા “માનવીય દખલના કારણે વન્ય જીવો વિનાશના આરે ઊભા છે. તે સ્પષ્ટ કરો.
Answer: જે પ્રાણીજાતિના છેલ્લા જીવના મૃત્યુ વિશે સહેજ પણ શંકા ન હોય, તે પ્રાણીજાતિને 'લુપ્ત વન્ય જીવ' કહેવાય છે.
* આજે ઘણા બધા વન્ય જીવો નાશ થવાના આરે ઊભા છે.
* છેલ્લી સદીની શરૂઆતમાં વાઘ આખા ભારતમાં જોવા મળતા હતા. આજે તે ફક્ત મધ્ય પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને હિમાલયના જંગલોમાં જ જોવા મળે છે.
* તે સમયે ગુજરાતમાં ઈડર, અંબાજી, પંચમહાલ અને ડાંગના જંગલોમાં વાઘ હતા. આજે ગુજરાતના જંગલોમાંથી વાઘ સંપૂર્ણપણે નાશ પામ્યા છે.
* આજે ભારતના જંગલોમાંથી ચિત્તો લુપ્ત થઈ ચૂક્યો છે.
* અગાઉ ભારતના જંગલોમાં સામાન્ય રીતે જોવા મળતી પક્ષીઓની ઘણી જાતિઓ હવે ભાગ્યે જ દેખાય છે.
* ગીધ, ગુલાબી ડોકવાળી બતક, સારસ, ઘુવડ વગેરે પક્ષીઓ લુપ્ત થવાની તૈયારીમાં છે.
* અરુણાચલ પ્રદેશમાં એક સમયે મોટી સંખ્યામાં જોવા મળતા મોટા ચિલોત્રા આજે સહેલાઈથી દેખાતા નથી.
* નદીઓના મીઠા પાણીમાં જોવા મળતી મગરની પ્રજાતિ ઘડિયાલ અને ગંગા ડોલ્ફિન નાશ થવાના આરે ઊભેલા જીવો છે.
* ઓડિશા અને ગુજરાતના દરિયાકિનારે રેતીમાં ઇંડાં મૂકવા આવતા સમુદ્રી કાચબાઓની સંખ્યા સતત ઓછી થતી જાય છે.
* ગુજરાતમાં નર્મદા, તાપી, મહી અને સાબરમતી નદીઓમાં જળબિલાડી લગભગ લુપ્ત થઈ રહી છે.
In simple words: લુપ્ત વન્ય જીવ એટલે જે જાતિનો છેલ્લો પ્રાણી પણ મૃત્યુ પામ્યો હોય અને હવે તે પૃથ્વી પર જોવા મળતો ન હોય. માનવીય દખલગીરીને કારણે ઘણા પ્રાણીઓ, જેવા કે વાઘ, ચિત્તો, ગીધ, ડોલ્ફિન અને કાચબા, આજે નાશ થવાના આરે છે.
Exam Tip: લુપ્ત થતા વન્ય જીવો વિશે લખતી વખતે, વ્યાખ્યા આપો અને ભારતમાં લુપ્ત થયેલા અથવા ભય હેઠળના પ્રાણીઓના વિશિષ્ટ ઉદાહરણો આપો. માનવીય પ્રવૃત્તિઓની અસર પણ દર્શાવો.
નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખો:
Question 1. અભયારણ્ય એટલે શું?
Answer: જેમના પર નાશ થવાનો ભય હોય તેવા વન્ય જીવોના રક્ષણ અને વિકાસ માટે સુરક્ષિત કરાયેલા વિસ્તારોને 'અભયારણ્ય' કહેવામાં આવે છે.
* કોઈ એક ખાસ જાતિના સંરક્ષણ માટે રાજ્ય સરકાર અભયારણ્ય બનાવી શકે છે.
* તેમાં મર્યાદિત પ્રમાણમાં માનવીય પ્રવૃત્તિઓ કરી શકાય છે.
* સત્તાધિકારી પાસેથી પરવાનગી મેળવીને અહીં પાલતુ પશુઓને ચરાવી શકાય છે.
* પેરિયાર, ચંદ્રપ્રભા, એતુરનાગરમ્, સરિકા વગેરે દેશના જાણીતા અભયારણ્યો છે.
In simple words: અભયારણ્ય એટલે એવો સુરક્ષિત વિસ્તાર જ્યાં ભય હેઠળના પ્રાણીઓને બચાવવામાં આવે છે. અહીં માનવીય પ્રવૃત્તિઓ મર્યાદિત હોય છે અને પાલતુ પશુઓને ચરાવવાની પરવાનગી મેળવવી પડે છે.
Exam Tip: અભયારણ્યની વ્યાખ્યા, તેના હેતુ અને તેની મુખ્ય લાક્ષણિકતાઓનો ઉલ્લેખ કરો. ભારતના કેટલાક જાણીતા અભયારણ્યોના નામ પણ આપી શકો છો.
Question 2. રાષ્ટ્રીય ઉદ્યાન એટલે શું?
Answer: કુદરતી વનસ્પતિ, વન્ય જીવો, કુદરતી સૌંદર્યના સ્થળો તેમજ મહત્વના રાષ્ટ્રીય સ્થળોની સુરક્ષા માટેના સુરક્ષિત વિસ્તારોને 'રાષ્ટ્રીય ઉદ્યાનો' કહેવામાં આવે છે.
* તે અભયારણ્ય કરતાં વધુ સુરક્ષિત વિસ્તાર છે.
* તેમાં એક કરતાં વધુ પારિસ્થિતિકી તંત્રનો સમાવેશ થાય છે.
* તેમાં પાલતુ પશુઓને ચરાવવા પર સંપૂર્ણપણે પ્રતિબંધ હોય છે.
* અહીં પ્રવાસીઓના આવવા-જવા પર પણ નિયંત્રણ હોય છે.
* તે કોઈ ખાસ જાતિ પર ધ્યાન કેન્દ્રિત કરતું નથી.
* તેની સ્થાપના રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના સહયોગથી થાય છે.
* કાઝીરંગા, કોર્બેટ, વેળાવદર, દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન, ગીર, દચિગામ વગેરે ભારતના રાષ્ટ્રીય ઉદ્યાનો છે.
In simple words: રાષ્ટ્રીય ઉદ્યાન એ કુદરતી વનસ્પતિ, પ્રાણીઓ અને સુંદર સ્થળોનું રક્ષણ કરવા માટેનો ખૂબ જ સુરક્ષિત વિસ્તાર છે. અહીં પાલતુ પશુઓને ચરાવવા કે પ્રવાસીઓના આવવા પર સખત નિયંત્રણ હોય છે.
Exam Tip: રાષ્ટ્રીય ઉદ્યાનની વ્યાખ્યા આપતી વખતે તેના મુખ્ય ઉદ્દેશો, અભયારણ્ય કરતાં તેની સુરક્ષાનું સ્તર, અને તેમાં સમાવિષ્ટ પારિસ્થિતિકી તંત્રની વિશેષતાનો ઉલ્લેખ કરો.
Question 3. ભારતમાં કયાં કયાં જળપ્લાવિત ક્ષેત્રોમાં યાયાવર પક્ષીઓ શિયાળો ગાળવા આવે છે?
Answer: ભારતમાં રાજસ્થાનમાં આવેલ કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન, ભરતપુર અને ગુજરાતના નળ સરોવર જેવા પાણીવાળા વિસ્તારોમાં યાયાવર પક્ષીઓ શિયાળો ગાળવા આવે છે.
In simple words: રાજસ્થાનમાં કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન અને ભરતપુર, તેમજ ગુજરાતમાં નળ સરોવર જેવા જળપ્લાવિત વિસ્તારોમાં યાયાવર પક્ષીઓ શિયાળા દરમિયાન આવે છે.
Exam Tip: યાયાવર પક્ષીઓના શિયાળા માટેના સ્થળો વિશે પૂછવામાં આવે ત્યારે રાજસ્થાન અને ગુજરાતના મુખ્ય જળપ્લાવિત ક્ષેત્રોના નામનો ઉલ્લેખ કરવો.
દરેક પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો:
Question 1. ગુજરાતનાં જંગલોમાંથી લુપ્ત થયેલો વન્ય જીવ ક્યો છે?
(a) ઘુડખર
(b) રીંછ
(c) વાઘ
(d) દીપડો
Answer: (c) વાઘ
In simple words: ગુજરાતના જંગલોમાંથી વાઘ નામનું પ્રાણી હવે જોવા મળતું નથી. તે સંપૂર્ણપણે લુપ્ત થઈ ગયું છે.
Exam Tip: લુપ્ત થયેલા પ્રાણીઓ વિશેના પ્રશ્નોમાં ચોક્કસ જવાબ યાદ રાખવો, કારણ કે વિકલ્પો ઘણીવાર નજીકના પ્રાણીઓનો સમાવેશ કરે છે.
Question 2. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ(ગ્રામપંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત)નું નિયંત્રણ હોય તે જંગલો
(a) ગ્રામ્ય વનો
(b) અભયારણ્ય
(c) સામુદાયિક જંગલ
(d) ઝૂમ જંગલ
Answer: (c) સામુદાયિક જંગલ
In simple words: ગ્રામપંચાયત, નગરપાલિકા કે જિલ્લા પંચાયત જેવી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ દ્વારા જે જંગલો પર નિયંત્રણ રખાય છે, તેને સામુદાયિક જંગલ કહે છે.
Exam Tip: જંગલોના પ્રકારો અને તેમના પરના નિયંત્રણ વિશેના પ્રશ્નોમાં, દરેક પ્રકારની માલિકી અને વ્યવસ્થાપન સંસ્થાને યાદ રાખવી મહત્વપૂર્ણ છે.
Question 3. વિશ્વમાં પશુ-પક્ષીઓની કુલ લગભગ કેટલી પ્રજાતિઓ છે?
(a) બાર લાખ
(b) એકવીસ લાખ
(c) સાત લાખ
(d) પંદર લાખ
Answer: (d) પંદર લાખ
In simple words: આખી દુનિયામાં પશુ-પક્ષીઓની કુલ સંખ્યા અંદાજે પંદર લાખ જાતિઓની આસપાસ છે.
Exam Tip: આવા આંકડાકીય પ્રશ્નોમાં સચોટ માહિતી યાદ રાખવી, કારણ કે તે સામાન્ય જ્ઞાનનો ભાગ હોય છે અને સીધા પૂછવામાં આવે છે.
Free study material for Social Science
GSEB Solutions Class 10 Social Science Chapter 09 વન અને વન્યજીવ સંસાધન
Students can now access the GSEB Solutions for Chapter 09 વન અને વન્યજીવ સંસાધન prepared by teachers on our website. These solutions cover all questions in exercise in your Class 10 Social Science textbook. Each answer is updated based on the current academic session as per the latest GSEB syllabus.
Detailed Explanations for Chapter 09 વન અને વન્યજીવ સંસાધન
Our expert teachers have provided step-by-step explanations for all the difficult questions in the Class 10 Social Science chapter. Along with the final answers, we have also explained the concept behind it to help you build stronger understanding of each topic. This will be really helpful for Class 10 students who want to understand both theoretical and practical questions. By studying these GSEB Questions and Answers your basic concepts will improve a lot.
Benefits of using Social Science Class 10 Solved Papers
Using our Social Science solutions regularly students will be able to improve their logical thinking and problem-solving speed. These Class 10 solutions are a guide for self-study and homework assistance. Along with the chapter-wise solutions, you should also refer to our Revision Notes and Sample Papers for Chapter 09 વન અને વન્યજીવ સંસાધન to get a complete preparation experience.
FAQs
The complete and updated GSEB Class 10 Social Science Solutions Chapter 9 વન અને વન્યજીવ સંસાધન is available for free on StudiesToday.com. These solutions for Class 10 Social Science are as per latest GSEB curriculum.
Yes, our experts have revised the GSEB Class 10 Social Science Solutions Chapter 9 વન અને વન્યજીવ સંસાધન as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Social Science concepts are applied in case-study and assertion-reasoning questions.
Toppers recommend using GSEB language because GSEB marking schemes are strictly based on textbook definitions. Our GSEB Class 10 Social Science Solutions Chapter 9 વન અને વન્યજીવ સંસાધન will help students to get full marks in the theory paper.
Yes, we provide bilingual support for Class 10 Social Science. You can access GSEB Class 10 Social Science Solutions Chapter 9 વન અને વન્યજીવ સંસાધન in both English and Hindi medium.
Yes, you can download the entire GSEB Class 10 Social Science Solutions Chapter 9 વન અને વન્યજીવ સંસાધન in printable PDF format for offline study on any device.